Chapter : માનવંત ઇમામો, મુહદ્દિસો, ઉલમા અને અવલિયાઓ ઇઝામ (રહ.)
(Page : 201)
સવાલ : કઈ કિતાબોના પઢવાથી આલિમ કહેવાશે, ઘણા બૂઝૂગૌંની હાલત એવી હતી કે તેઓએ આલિમની પદવી ન મેળવી હતી તો શું તેઓ બશારતમાં દાખલ ગણાશે ?
જવાબ : જે કિતાબોના પઢવાથી જવાબ નં. ૭૬માં લખેલી વાતો પ્રાપ્ત થઈ જાય તે આલિમ છે અને વર્તમાન યુગમાં અરબી મદારિસમાં પઢાવવામાં આવતી કિતાબોથી આ હાલત પ્રાપ્ત થાય છે.
જો કોઈ બુઝુર્ગને મખ્સૂસ કોર્ષની કિતાબો પઢી આલિમની પદવી મેળવ્યા વગર આલિમોની સુહબત અને કિતાબોના અભ્યાસથી મજકૂર હાલત પ્રાપ્ત થઈ જાય તો તેવા બુઝુર્ગ પણ મજકૂર બશારતમાં દાખલ ગણાશે.
Log in or Register to save this content for later.