Chapter : માનવંત ઇમામો, મુહદ્દિસો, ઉલમા અને અવલિયાઓ ઇઝામ (રહ.)
(Page : 200)
સવાલ : હદીસ શરીફમાં છે કે ઉલમા હઝરાત અમ્બિયા (અલૈ.)ના વારિસો છે તો મજકૂર આલિમ કોણ કહેવાશે ?
જવાબ : જે માણસ ઇસ્લામી અકીદાઓ વિગતવાર જાણતો હોય અને ૦ જે ઇબાદતો અને વ્યવહારથી તેને અમલી વાસ્તો પડે છે તેના
મસાઈલ જાણતો હોય અને તે મુજબ અમલ પણ કરતો હોય અને
૦ જે ઇબાદતો અને મામલાઓથી વાસ્તો નથી પડતો તેના મસાઈલ
પણ જાણતો હોય અને ખુદા તઆલાથી ડરતો હોય
તેવો આલિમ વારિસે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ છે.
અગર મોટો જાણકાર હોય ; પરંતુ ખુદાના ડર અને અમલથી ખાલી હોય તો તે વારિસે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હોવાનો હકદાર નથી. (“મઆરિફુલ કુર્આન” : ૭ / ૩૩૬, “શામી” : ૧ / ર૬)
[૭૭] અરબી મદારિસની નિસાબી કિતાબો પઢવાથી આલિમ કહેવાશે
સવાલ : કઈ કિતાબોના પઢવાથી આલિમ કહેવાશે, ઘણા બૂઝૂગૌંની હાલત એવી હતી કે તેઓએ આલિમની પદવી ન મેળવી હતી તો શું તેઓ બશારતમાં દાખલ ગણાશે ?
જવાબ : જે કિતાબોના પઢવાથી જવાબ નં. ૭૬માં લખેલી વાતો પ્રાપ્ત થઈ જાય તે આલિમ છે અને વર્તમાન યુગમાં અરબી મદારિસમાં પઢાવવામાં આવતી કિતાબોથી આ હાલત પ્રાપ્ત થાય છે.
જો કોઈ બુઝુર્ગને મખ્સૂસ કોર્ષની કિતાબો પઢી આલિમની પદવી મેળવ્યા વગર આલિમોની સુહબત અને કિતાબોના અભ્યાસથી મજકૂર હાલત પ્રાપ્ત થઈ જાય તો તેવા બુઝુર્ગ પણ મજકૂર બશારતમાં દાખલ ગણાશે.
Log in or Register to save this content for later.