[૭૩] ઇસ્લામના બાર ઇમામોનો મતલબ

Chapter : માનવંત ઇમામો, મુહદ્દિસો, ઉલમા અને અવલિયાઓ ઇઝામ (રહ.)

(Page : 191 to 195)

સવાલ  :  સિય્યદુના હઝરત ઇમામ હુસૈન (રદિ.) પછી બાર ઇમામો થઈ ગયા તો ઇમામનો મતલબ શું છે અને તે બાર ઇમામોના નામ શું છે ?

જવાબ  : શરીઅતમાં ઇમામતના બે પ્રકાર છે :

                એક ઇમામતે સુગ્રા, જેનો મતલબ આ છે કે કોઈ મુકતદીની નમાઝનું દસ શર્તોની રિઆયત સાથે ઇમામની નમાઝ સાથે જોડાણ થઈ જવું અને સંકળાય જવું.

                બીજો પ્રકાર છે ઇમામતે કુબ્રા, જેનો મતલબ આ છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ખલીફા અને નાયબ તરીકે દીની અને દુન્યવી કાર્ય-વ્યવસ્થામાં સર્વ સત્તાધિશ હોવું.

                સવાલમાં દર્શાવેલ ઇમામથી ઇમામતે સુગરાવાળા ઇમામ મુરાદ લેવામાં આવે તો તેઓની સંખ્યા હઝરત હુસૈન (રદિ.) પછી ફકત બાર નહિ બલ્કે ઘણી જ મોટી અને ગણી ન શકાય એટલી વિશાળ સંખ્યામાં ઇમામો થઈ ગયાં કહી શકાય.

                અને જો સવાલમાં ઇમામતે કુબરાવાળા ઇમામ મુરાદ હોય તો અહલે સુન્‍નત વલ-જમાઅતના અકીદા મુજબ હઝરત હુસૈન (રદિ.) પછી ફકત બાર ઇમામો થવાની કે તેઓના સમાવેશ સાથે ખિલાફતના આરંભકાળથી ઇસ્લામીયુગના અંત સુધી ફકત બાર ઇમામો થવાની કોઈ હકીકત કુર્આન- હદીસથી સાબિત નથી.

                અલબત્ત, સહીહ હદીસમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ફરમાનથી બાર ખલીફાઓ અને ઇમામો વિશે એ હકીકત સાબિત છે કે ઉમ્મતે મુસ્લિમહમાં બાર ખલીફાઓની ખિલાફત અને ઇમામતના યુગમાં ઈસ્લામી હુકૂમતનો મામલો સુરક્ષિાત,સંગઠિત અને સવર્ોપરી રહેશે અને તે સિવાયના સમયમાં ફિતના-ફસાદનું વાતાવરણ સજર્ાશે.

                ઉલમાએ અહલે સુન્‍નત વલ જમાઅત મજકૂર હદીસના ભાવાર્થ સૂચક વિવિધ શબ્દો અને ઇસ્લામી ઇતિહાસને નજર સમક્ષા રાખીને હદીસમાં વર્ણન થયેલા બાર ઇમામોની નામાવલી બાબત બે સંભવિત મતલબ બયાન કરે છે.

                એક તો એ કે આ બાર ઇમામોનો વુજૂદ હઝરત અબૂબક્ર સિદ્દીક (રદિયલ્લાહુ અન્હુ)થી લઈને હિશામ બિન અબ્દુલ મલિક બિન મરવાન સુધી લગાતાર થઈ ચૂકયો છે. જેમાં :

                ચાર ખુલફાએ રાશિદીન અને

                હઝરત મુઆવિયહ (રદિયલ્લાહુ અન્હુ),

                તેઓના પુત્ર યઝીદ,

                અબ્દુલ મલિક બિન મરવાન,

                તેઓના ચાર પુત્રો વલીદ, સુલૈમાન, યઝીદ, હિશામ અને

                હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ (રહમતુલ્લાહિ અલયહ)નો સમાવેશ થાય છે.

                બીજો મતલબ એ થાય છે કે, આ બાર ખલીફાઓ જેઓના ખિલાફત યુગમાં ઇસ્લામી વહીવટી તંત્ર સુરક્ષિાત, વ્યવિસ્થત અને સંગઠિત રહેશે અને ઇસ્લામ મજબૂત અને ગાલિબ પરિિસ્થતમાં રહેશે તે બાર ખલીફાઓનો વુજૂદ એક પછી એક એમ લગાતાર નહિ થાય, બલ્કે કિયામત સુધી પૂરી મુદ્દતે ઇસ્લામમાં આ બાર ઇમામોનો વુજૂદ થશે જેમાં :

                ચાર ખુલફાએ રાશિદીન અને

                હઝરત હસન (રદિયલ્લાહુ અન્હુ),

                હઝરત મુઆવિયહ (રદિયલ્લાહુ અન્હુ),

                હઝરત અબ્દુલ્લાહ બિન ઝુબૈર (રદિયલ્લાહુ અન્હુ) અને

                હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ (રદિયલ્લાહુ અન્હુ)

                એમ આઠનો સમાવેશ થાય છે.

                અને ખુલફાએ અબ્બાસિયહમાંથી :

                ખલીફા મુહતદી અને

                ખલીફા ઝાહિરનો સમાવેશ પણ આ બાર ખલીફાઓમાં સંભવિત છે.

                અને મજકૂર બાર ખલીફાઓમાંથી બેનો વજૂદ  બાકી છે. જેમાંથી એક ખલીફા મહ્દી છે જે કિયામતના કરીબ જાહેર થનાર છે.

                ઉપરોકત હદીસ શરીફનો મતલબ એ છે કે, ઇસ્લામી વહીવટી તંત્રની સુરક્ષાા, સંગઠન અને સવર્ોપરિતા બાર ખલીફાઓની ખિલાફતની મુદ્દત સુધી મર્યાદિત રહેશે.

                મજકૂર હદીસનો મતલબ એ નથી કે, ખિલાફતના આરંભકાળથી કિયામત સુધી ખલીફા અને ઇમામોની સંખ્યા ફકત બાર સુધી જ મર્યાદિત રહેશે, એથી વધુ ખલીફાઓ નહી થાય અને બાર ઇમામો ઉપરાંત જે કોઈ વ્યિકતએ પણ ખિલાફતનો દાવો કર્યો અથવા કરશે તે નાહક અને બાતિલ ગણાશે જેમ કે શીઆપંથી ઇસ્નાઅશરી અને ઇમામિયહ ફિરકાનો અકીદો છે.

                શીઆપંથી ઇસ્નાઅશરી ઇમામિયહ ફિરકાનો અકીદો એ છે કે,

                ઇમામતે કુબરા અને ખિલાફત માટે હાશિમી તથા અલવી હોવું અને મઅસૂમ હોવું શર્ત અને જરૂરી છે.

                ગેરહાશિમી અને ગેરઅલવી તથા ગેરમાસૂમોને ઇમામત અને ખિલાફતનો કોઈ હક નથી. એવી વ્યિકત કદી મુસલમાનોના ખલીફા અને ઇમામ બની શકતી નથી અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની વફાત પછીથી લઈને કિયામત સુધી ફકત બાર જ વ્યિકતઓને ઇમામતે કુબરા અને ખિલાફત મળવાની છે અને તેઓની નામઝદગી અને નિમણુંક પહેલેથી જ અલ્લાહ તઆલા તરફથી થઈ ચૂકી છે. અને એ બધાં જ ખાનદાને બનૂ હાશિમમાંથી અને હઝરત અલી (રદિયલ્લાહુ અન્હુ)ના સિવાય બીજા અગિયાર ઇમામો હઝરત અલી (રદિયલ્લાહુ અન્હુ)ની નસલમાંથી જ થવાના છે. અને તેઓ આ બાર ઇમામોની નામાવલી ક્રમશ: આ પ્રમાણે માને છે :

   (૧)   હઝરત અલી  (રદિયલ્લાહુ અન્હુ)

   ( ર)   હઝરત હસન (રદિયલ્લાહુ અન્હુ)

   (૩)   હઝરત હુસૈન (રદિયલ્લાહુ અન્હુ)

   (૪)   હઝરત અલી બિન હુસૈન (ઇમામ ઝૈનુલ આબિદીન) (રહમતુલ્લાહિ અલયહ)

   (પ)   હઝરત મુહમ્મદ બિન અલી (ઇમામ બાકિર) (રહમતુલ્લાહિ અલયહ)

   (૬)   હઝરત જઅફરે સાદિક બિન મુહમ્મદ (રહમતુલ્લાહિ અલયહ)

   (૭)   હઝરત મૂસા કાસિમ બિન જઅફરે સાદિક (રહમતુલ્લાહિ અલયહ)

   (૮)   હઝરત અલી બિન મૂસા રઝા (રહમતુલ્લાહિ અલયહ)

 (૯)    હઝરત મુહમ્મદ તકી બિન અલી (રહમતુલ્લાહિ અલયહ)

(૧૦)   હઝરત અલી નકી બિન મુહમ્મદ (રહમતુલ્લાહિ અલયહ)

(૧૧)   હઝરત હસન અસ્કરી બિન અલી (રહમતુલ્લાહિ અલયહ)

(૧ર)   હઝરત મહદી મુહમ્મદ બિન હસન અસ્કરી.

                શીઆપંથી અકીદા મુજબ આખરી બારમાં ઇમામ મહદી મુહંમદ બિન હસન અસ્કરી આજથી લગભગ સાડા અગિયારસો વર્ષ પહેલાં પેદા થઈ ચૂકયા છે અને ચાર-પાંચ વર્ષની ઉમરમાં પોતાના દુશ્મનોના ડરથી એક ગુફામાં છૂપાઈ ગયા છે અને તેઓ હાલ પણ ગુફામાં હયાત છે અને ઇમામતના મનસબ પર ચાલુ છે. અને કિયામતથી પહેલાં તેઓ તે ગુફામાંથી બહાર નીકળશે અને શીઆપંથી અકીદા મુજબ તેઓ જયારે ગુફાથી નીકળશે તો પોતાની સાથે તે અસલી અને સહીહ કુર્આન પણ લાવશે, જે હઝરત અલી (રદિયલ્લાહુ અન્હુ)એ તૈયાર કયુઁ હતું, જે હાલના કુર્આન કરતાં ઘણા ફેરફારવાળું અને અનોખું હશે. કારણ કે તેઓના ઘણા આલિમો હાલના કુર્આન મજીદને (મઆઝલ્લાહ) ખુદા તઆલા તરફથી કુર્આનની હિફાઝતનો અડગ વાયદો હોવા છતાં અસલી કુર્આન નથી માનતા બલ્કે માનવસજર્િત વધારા-ઘટાડાવાળું કુર્આન સમજે છે.

                ઇસ્ના અશરી શીઆ ફિરકાના અકીદા મુજબ ઇમામત માટે હાશિમી અને અલવી હોવું જરૂરી છે માટે તેઓ તમામ એવા ખલીફાઓની ખિલાફતનો ઇન્કાર કરે છે જેઓ ખાનદાની અને નસલી હેસિયતથી હાશિમી અને અલવી નથી અને તે ખલીફાઓને (મઆઝલ્લાહ) બળવાખોર અને વિદ્રોહી સત્તાધીશો માને છે. પરિણામે તેઓ તમામ અબ્બાસી અને ઉમવી ખલીફાઓની ખિલાફતની અહીયા સુધી કે ખુલફાએ રાશિદીન (રદિ.)માંથી:

                હઝરત અબૂબક્ર  સિદ્દીક (રદિયલ્લાહુ અન્હુ),

                હઝરત ઉમર ફારૂક (રદિયલ્લાહુ અન્હુ) અને

                હઝરત ઉસ્માન ઝુન્‍નૂરૈન (રદિયલ્લાહુ અન્હુ)

                ની ખિલાફતનો પણ ઇન્કાર કરે છે કારણ કે તેઓ ખાનદાન અને નસબની દ્રિષ્ટએ હાશિમી અને અલવી નથી.

                હાલાં કે ખિલાફત અને ઇમામત માટે હાશિમી અને અલવી હોવાની શર્ત બેબુનિયાદ છે. કુર્આન અને હદીસથી એ પ્રમાણેની કોઈ શર્ત સાબિત નથી અને હઝરત અલી (રદિયલ્લાહુ અન્હુ)એ પોતે હઝરત અબૂબક્ર (રદિયલ્લાહુ અન્હુ),  હઝરત ઉમર (રદિયલ્લાહુ અન્હુ) અને હઝરત ઉસ્માન (રદિયલ્લાહુ અન્હુ)ની ખિલાફત અને ઇમામતનો સ્વીકાર કર્યો છે અને તેઓના હાથ પર બયઅતે ખિલાફત કરી છે અને તેઓની ખિલાફતની લાયકાતના વખાણ પણ કર્યા છે અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પોતાના ઈર્શાદાતમાં ખુલફાએ રાશિદીન (રદિયલ્લાહુ અન્હુમ)ની ખિલાફત બાબત સહાબએ કિરામ (રદિયલ્લાહુ અન્હુમ)ને સંકેતો પણ આપ્યા હતા.(શામી ભાગ ૧/શર્હે ફિકહે અકબર/તારીખુલ ખુલફાઅ લિસ્સુયૂતી રહ.)

Log in or Register to save this content for later.