[૩૧] હઝરત રસૂલુલ્લાહ (સલ.)નું હાઝિર-નાઝિર હોવું

Chapter : હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ

(Page : 103 to 108)

સવાલ  : હઝરત નબીએ અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હાઝિર અને નાઝિર છે કે નથી ? અને જો નથી તો ઘણા ર્થાલિયાએ કિરામે જાગતામાં હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને જોયા તે કેવું ? પૂછવાનો મતલબ એ કે જિસ્મ (શરીર) મુબારકની સાથે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હાજર થઈ શકે છે કે નહિ ?

જવાબ  : સૌ પ્રથમ હાઝિર અને નાઝિરનો મતલબ સમજી લેવો જોઈએ કે આ બંને અરબી ભાષાના શબ્દો છે; જેનો ભાષાકીય અર્થ મવજૂદ (હાજર) અને જોવાવાળો થાય છે. અને જયારે આ બંને શબ્દોને એક સાથે બોલવામાં આવે છે તો અકીદાની દ્રિષ્ટએ એનો મતલબ એ થાય છે કે કોઈ એવી વ્યિકત જેનો વુજૂદ કોઈ ખાસ જગ્યા પુરતો મર્યાદિત નથી, બલ્કે એનો વુજૂદ એક જ સમયે સઘળી કાઈનાતને ઘેરી લેનાર (સર્વવ્યાપી) છે. અને કાઈનાતની દરેક વસ્તુની બધી હાલતો અવ્વલથી આખર સુધી તેની નજર હેઠળ છે. (અર્થાત સર્વદ્રષ્ટા અને સર્વજ્ઞ છે.) આ ભાવાર્થ મુજબ હાઝિર અને નાઝિર હોવું ફકત અલ્લાહ તઆલાની શાન છે જે અનેક આયતો અને હદીસોથી સ્પષ્ટ રીતે સાબિત છે.

                હુઝૂરે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) વિષે દરેક દુરુસ્ત અકીદો ધરાવનાર મુસલમાન માને છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) રવઝએ મુબારકમાં આરામ ફરમાવે છે અને દુનિયાભરમાંથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના લાખો શેદાઈઓ મુસાફરી કરી ત્યાં હાજર થાય છે. માટે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) વિષે ઉપરોકત અર્થ મુજબ હાઝિર અને નાઝિર છે એમ માનવું શરીઅતની દ્રિષ્ટએ જાઈઝ નથી, એ સિફત (ગુણ) ફકત અલ્લાહ તબારક વ તઆલાની છે.

                બલ્કે જો મુસલમાન હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) વિષે એ પ્રમાણે અકીદો રાખશે તો ખુલ્લું શિર્ક ગણાશે. (“અલબહ્રુર્ રાઈક” પ / ૧૬, “જવા. ફિકહ” ૧ / ર૧પ)

                અકાઈદની અરબી કિતાબોમાં જેમ કે “શર્હે મવાકિફ” પાનું ૭ર૭, “શર્હે ફિકહે અકબર” પાનું ૬૮, “મુસામરહ” પાનું ૭૮ અને “શર્હે અકાઈદ” પાનું ૧૦૧ માં એ મસ્અલાની સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ વાતને અકીદો સાબિત કરવા માટે સહીહ ખબરે વાહિદ પણ અપૂરતી છે. એટલે કે એવી હદીસ જેના રાવિઓ ચાહે સિકહ (વિશ્વાસપાત્ર) હોય પરંતુ જો ખબરે વાહિદ હોય તો એનાથી અકીદો સાબિત થઈ શકતો નથી. અકીદાની સાબિતી માટે દલીલે કતઈ (જેમ કે કુર્આન શરીફની આયત અથવા હદીસે મુતવાતિર) હોવી જરૂરી છે. હાફિઝ ઈબ્ને હજર (રહ.)એ પણ ઉપર પ્રમાણે ચોખવટ કરી છે. (“ફત્હુલ્બારી” : ૮ / ૪૩૧)

                જયારે ખબરે વાહિદ જેવી સહીહ હદીસથી અકીદો સાબિત થઈ શકતો નથી, તો માત્ર અમુક અવલિયાએ કિરામની એવી ઘટનાઓથી કે તેઓએ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને જોયા, ઉપરનો અકીદો કેવી રીતે સાબિત થઈ શકે છે. બલ્કે અવલિયાએ કિરામની એવી વાતો જે કુર્આન શરીફની કોઈ આયત અથવા હદીસ શરીફના વિરુદ્ઘ માલૂમ પડતી હોય તો તેનું યોગ્ય અર્થઘટન કરવું જોઈએ અને જો એ શકય ન હોય તો તેઓની એવી વાતોને દલીલ માટે અમાન્ય ગણવી જોઈએ.

                અલ્લામહ અહમદ બિન મુહમ્મદ કસ્તલાની (રહ.) લખે છે કે જોવાવાળો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુબારક શકલને જુએ છે તો ન તો તે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની રૂહ મુબારક હોય છે અને ન આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું પાક શરીર હોય છે. બલ્કે તહકીકની દ્રિષ્ટએ તે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની “મિસાલ” હોય છે. (“અલ્મવાહિબુલ્ લદુન્‍નિયહ શર્હે ઝુરકાની” સાથે પ / ર૯૬)

                મુફતી અબ્દુલ ગનીખાન સાહબ (રહ.) પણ “મદારિજુન્નુબુવ્વત” અને  “કશ્ફુલ ગિતાઅ”થી એજ પ્રમાણે નકલ કરે છે. (“અલ્જુન્‍નહ લિઅહલિસ્સુન્‍નહ” ૧૧૯)

                હઝરત મુજદ્દિદે અલ્ફેસાની (રહ.)થી પણ એ જ પ્રમાણે મનકૂલ છે.       (“તફરીહુલ્ ખવાતિર” ૧ર૩)

                આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મિસાલી સૂરત એ એક એવો શબ્દ છે જેનો મતલબ સમજવા માટે હદીસની શર્હો તથા સુફિયાએ કિરામ (રહ.) અને આરિફોના કલામનો અભ્યાસ કરવો જરૂરી છે. હદીસ શરીફથી આલમે મિસાલનો સબૂત છે. શેખ અબ્દુલહક મુહદ્દિસે દહેલ્વી (રહ.)થી પણ હઝરાતે અંબિયાઅ (અલૈ.)ના વફાત પામ્યા બાદ તેઓથી મુલાકાત વિષે આ પ્રમાણેની બહસ સાબિત છે. (“જઝ્બુલ કુલૂબ” ૧પ૩)

                રહી વાત એ કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) જિસ્મે મુબારક સાથે તશરીફ લાવે છે કે નહિ. તો એના શકય હોવામાં બહસ કરવાનો કોઈ મતલબ નથી, કારણકે જેટલી વસ્તુઓ શકય છે તે બધી વસ્તુઓ પર અલ્લાહ તઆલા કાદિર છે અને તેમાંથી આ પણ એક શકય વસ્તુ છે. હાં, જો પૂછવાનો મતલબ એ હોય કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) સ્વયં તશરીફ લાવે છે કે નહિ તો એ બાબત હદીસ શરીફ અને ઉલ્માએ કિરામ, ફુકહાએ ઈઝામની સાફ ઈબારતોથી  માલૂમ પડે છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) સ્વયં તશરીફ નથી લાવતા. હાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પોતાની કબ્ર મુબારકમાં જ શરીરે પાક સાથે હયાત છે અને અમુક હદીસોથી માલૂમ પડે છે કે કબ્રમાં નમાઝ પણ પઢે છે.હઝરત અબૂ હુરયરહ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ રમાવ્યું કે,

                                “જે માણસ મારી કબ્ર પાસે આવી દુરૂદ પઢે તો હું (પોતે કોઈના વાસ્તા વિના) સાંભળું છું. અને જે કબ્રથી દૂર રહીને પઢે છે, તેનું દુરૂદ શરીફ મને (ફરિશ્તાઓના વાસ્તાથી) પહોંચાડવામાં આવે છે.”(“બય્હકી” બહવાલએ મિશ્કાત” ૮૭)

હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.)થી “નસાઈ શરીફ”અને “દારમી”માં રિવાયત નકલ કરવામાં આવી છે કે,

                રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે, “અલ્લાહ તઆલાના ઘણાં ફરિશ્તાઓ જમીનમાં ગશ્ત કરે છે, ફરે છે. તે ફરિશ્તાઓ મારી ઉમ્મતના સલામ મને પહોંચાડે છે.”  (“મિશ્કાત” ૮૬)

                હઝરત અબૂયઅ્લા (રહ.) સિકહ રાવિઓના વાસ્તાથી હઝરત અનસ (રદિ.)થી હદીસ નકલ કરે છે કે,

                હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે, “નબીઓ પોતાની કબ્રોમાં જીવંત છે અને નમાઝ પઢે છે.” (“જઝ્બુલ કુલૂબ” ૧૪૬)

                કાઝી શિહાબુદ્દીન (રહ.) “ફતાવા તોહફતુલ્ કુઝાત”માં ફરમાવે છે :              ઘણાં લોકો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની વિલાદતે બા બરકત (બરકતવંત જન્મ)ના બયાન વખતે ઊભા થઈ જાય છે અને એમ માને છે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની રૂહ મુબારક આવે છે તો એમની આવી માન્યતા બાતિલ છે. બલ્કે શિર્ક છે.

                ખ્વાજા કુત્બુદ્દીન બિખ્તયાર કાકી (રહ.)ના ઉસ્તાઝ હઝરત કાકી હમીદુદ્દીન નાગોરી (રહ.) “તવશીહ” નામી કિતાબમાં ફરમાવે છે કે :  “અમુક લોકો જરૂરત અને મુસીબત વખતે એમ માની નબીઓ અને વલીઓને પુકારે છે કે તે પાક વુજૂદોની રૂહો હાજર છે અને તે પુકારને સાંભળે છે અને જરૂરતને જાણે છે તો આવી માન્યતા ખરાબ પ્રકારનું શિર્ક છે અને ચોખ્ખી જહાલત છે.” (“અલ્જુન્‍નહ લિઅહલિસ્સુન્‍નહ”)

                શૈખ અબ્દુલહક દહેલ્વી (રહ.)એ ચોખવટ કરી લખ્યું છે કે : “હઝરાતે અંબિયા (અલૈ.) પોતાની મુબારક કબ્રોમાં જીવંત છે. તેમને કબ્રમાંથી કોઈ બીજી જગ્યાએ લઈ જવામાં આવતા નથી અને બીજી જગ્યાએ લઈ જવામાં આવતા હોય એ વાતની કોઈ દલીલ નથી. માટે એમ જ માનવું પડશે કે તેઓ કબ્રોમાં જ હયાત છે.” (“જઝ્બુલ કુલૂબ” ૧૪૯)

                જયારે કે ઉપરની હદીસો અને મોટા આલિમો તથા બૂઝૂગૌં (રહ.)ના મંતવ્યોથી સાબિત થયું કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) વફાત પામ્યા બાદ કબ્ર મુબારકને છોડી બીજે કયાંય તશરીફ લઈ જતા નથી. તો પછી ખેંચી તાણીને દલીલો રજૂ કરી માત્ર એના જાઈઝ હોવાને જ નહિ પણ એને માન્યતા (અકીદો) બનાવવાની ઉલટી કોશિશ કરવામાં આવે એ કયાં સુધી દુરસ્ત અને શરઈ દ્રિષ્ટએ જાઈઝ થઈ શકે છે. બલ્કે કુર્આન અને હદીસ શરીફની રોશનીમાં વિચારવામાં આવે તો એવી માન્યતા હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની શાને આલીમાં અપમાનજનક લાગે છે.

Log in or Register to save this content for later.