Chapter : ઇલ્મ
(Page : 467-468)
સવાલ : કેટલાક લોકોનું કહેવું છે કે અલ્લાહના મહાન બૂઝૂગૌં (બંદાઓ) કેટલાક એવા હોય છે કે આપણા દિલની વાત જાણી લે છે,મતલબ એ કે આપણા દિલમાં છુપાયેલા સવાલોનો સવાલ કરતા પહેલાં જવાબ આપી દે છે તો શું આવું બની શકે છે ? અને અગર બની શકે તો તેને શું કહેવાય ?
જવાબ : અલ્લાહ તઆલા પોતાના અમુક મખ્સૂસ નેક બંદાઓના દિલમાં અમુક વાતોનો ઇલ્મ ઇલ્કાઅ ફરમાવે છે અને તેને કશ્ફ કહેવામાં આવે છે. આ રીતે કોઈની હાલતનો ઇલ્મ થઈ જાય અને તેને જોઈતી વસ્તુનો જવાબ પૂછતા પહેલાં આપી દે એવું બની શકે છે.[“ઈમ્દાદુલ્ ફતાવા” ભાગ : પ] Log in or Register to save this content for later.