[૧૮૦] બકરી અને ભૂંડના હુકમમાં તફાવત શા માટે ?

Chapter : ઇલ્મ

(Page : 464-466)

સવાલ : આ સવાલ મને એક હિન્દૂ ભાઈએ પૂછયો કે તમે મુસલમાનો સુવ્વરને હરામ ગણો છો તે નાપાકીને પસંદ કરે છે તેનું ગોશ્ત તમે ખાતા નથી, તો તેવી જ રીતે મરઘી પણ ગંદકી ખાય છે તેમજ તે માણસોનું મળ ખાય છે, તો તમે લોકો મરઘીના મટનને ખાવામાં કેમ ઉપયોગ કરો છો ?

જવાબ : તમારા હિન્દૂ સંબંઘીને પ્રથમ એક બુનિયાદી ઇસ્લામી હકીકત સમજાવવી જોઈએ કે કોઈ વસ્તુના હરામ અને હલાલ હોવાનો આધાર કુર્આને કરીમ અને હદીસ શરીફ ઉપર છે. જેમાં અલ્લાહ તઆલાએ વહી વડે ઉતારેલા હરામ-હલાલના હુકમો છે. કોઈ વસ્તુનું હરામ અને હલાલ હોવું એ કયાસી તાર્કિક અને અનુમાન આધારિત બાબત નથી કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે કંઈક અંશે મળતાપણું હોવાથી બંને વસ્તુનો એક જ હુકમ માની લેવામાં આવે. જે વસ્તુના હુકમમાં સંશોધન અને અનુમાનશિકત કામે લગાડવામાં આવે છે તે માત્ર એવી જ વસ્તુ હોય શકે છે કે જેના હલાલ-હરામ હોવાનો સ્પષ્ટ હુકમ કુર્આન-હદીસમાં મૌજૂદ ન હોય અને તેના માટે પણ ચોકકસ નિયમો છે. બે વસ્તુમાં ગમે તેમ મામૂલી મળતાપણું સાબિત કરીને બન્નેનો હુકમ એક સાબિત કરવો એ પણ જાઈઝ નથી.

                હવે સુવ્વર અને મરઘી વિષે જાણી લેવું જોઈએ કે સુવ્વરનું હરામ હોવું કુર્આન-હદીસથી સ્પષ્ટ શબ્દોમાં સાબિત છે. અને તેને તદ્દન સંપૂર્ણ નાપાક બતાવવામાં આવ્યું છે. જયારે મરઘીને હદીસ શરીફમાં હલાલ જાનવર બતાવવામાં આવ્યું છે. માટે તેમાં  સંશોધન અને અનુમાન શિકત કામે લગાડીને એક બીજા સાથે મામૂલી સરખાપણું હોવાથી બન્નેવને હલાલ અથવા બન્નેવને હરામ સાબિત કરવું એ જાઈઝ અને દુરુસ્ત નથી.

                અને અહીયા એ વાત પણ સમજી લેવી યોગ્ય છે જેનાથી તમારા દોસ્તની શંકા દૂર થઈ જશે કે ખૂદ તમારા દોસ્ત પણ એ નિયમમાં શ્રદ્ઘા નહિ રાખતા હોય કે જે બે વસ્તુઓમાં કંઈક અંશે મળતાપણું હોય તો બંનેનો હુકમ એક જ હોવો જોઈએ અને તેબન્ને સાથે એક જ જેવો વર્તાવ કરવો જોઈએ, ચાહે તેમાં બીજા અનેક તફાવતો મૌજૂદ હોય.

                જુઓ, ગાય અને માદા સુવ્વર બંનેને આંચળ હોય છે અને ગાય પણ નાપાકી ખાય છે. એવી  જ રીતે ગઘેડી પણ ગાયની જેમ ઘાસ ચારો અને કોઈક વાર નાપાકી ખાય છે. પરંતુ તમારા દોસ્ત ગાયના દૂધની  જેમ સુવ્વર અને ગઘેડીનું દૂધ પીવાને બિલ્કુલ પસંદ નહિ કરે, હાલાં કે મરઘીના સુવ્વર સાથેના મળતાપણાં કરતાં ગાયનું સુવ્વર અને ગઘેડી સાથેનું મળતાપણું વધુ પ્રમાણમાં છે.

                બન્નેને ચાર પગ છે. બંને આંચળ-કાનવાળા જાનવરો છે. બન્ને બચ્ચાંઓ જણે છે. બન્નેના શરીર ઉપર વાળ છે.

                એથી ય વધુ  સ્પષ્ટ દાખલો લઈએ તો કોઈ પણ માણસની માતા,બહેન અને પિત્નમાં સજાતીય હોવાની દ્રિષ્ટએ ખોરાક,પહેરવેશ, બોલ-ચાલ, શકલ-સૂરતમાં કેટલું બઘું મળતાપણું હોય છે તો પણ કોઈ મામૂલી બુદ્ઘિનો કોઈ પણ ધર્મને માનતો સામાન્ય માણસ (પારસી સિવાય) પત્નીને તો પોતાના માટે હલાલ સમજશે પણ પોતાની માતા, બહેનને હરગિઝ પોતાની પત્નીની જેમ હલાલ નહિ સમજે.

                આશા છે કે આટલી વિગતથી તમારા દોસ્તની શંકા દૂર થઈ જશે.

Log in or Register to save this content for later.