Chapter : જન્નદત અને જહન્નમમ
(Page : 393)
સવાલ : “દારુલ ઉલૂમ”માસિકના માહે ડિસેમ્બર ૧૯૮૩ના અંકમાં “વાત જન્નત અને જન્નતીઓની” એ શીર્ષક હેઠળનો લેખ વાંચ્યો. ખરેખર કુર્આન અને હદીસ શરીફની રોશનીમાં લખાયો છે પરંતુ સ્વાભાવિક રીતે મગજમાં એક સવાલ પેદા થયો કે જયારે જન્નતીઓ હૂરો સાથે શાદી કરશે તો તેમના પેટે અવલાદ જનમશે કે નહિ ?
જવાબ : જે પ્રમાણે દુનિયામાં મોટા ભાગે પોતાની ઓરતથી હમબિસ્તર થવાના પરિણામે અવલાદ જન્મે છે તે પ્રમાણે જન્નતીઓના હુરો સાથેના સંબંધના પરિણામે તો અવલાદ નહિ જનમશે પરંતુ જો કોઈ જન્નતી અવલાદની ઇચ્છા કરશે તો તાત્કાલિક ઘડીભરમાં જ અવલાદ જનમશે, જેમ કે જન્નતમાં દુનિયાની પ્રકૃતિ મુજબ તો ખેતી નહિ થાય પરંતુ જો કોઈ જન્નતી કોઈ પ્રકારની ખેતીની તમન્ના કરશે તો તરત જ તે પ્રકારની ખેતી ઉપિસ્થત થઈ જશે.
હઝરત ઇસ્હાક બિન ઇબ્રાહીમ (રહ.) ફરમાવે છે કે પરંતુ કોઈ જન્નતી જન્નતમાં અવલાદની ઇચ્છા અને તમન્ના જ નહિ કરે.(“ફતાવા હદીસિય્યહ” પેજ નં. ૯)
Log in or Register to save this content for later.