[૧૪૪] શહીદ કબ્રથી બહાર નીકળીને જીવતાઓની મદદ કરે છે ?

Chapter : મોત, કબ્ર, પુનર્જીવન

(Page : 390)

સવાલ : આજકાલ કેટલાક લોકોનું કહેવું છે કે અલ્લાહ તઆલાના રસ્તામાં ફના થયેલા લોકો મરતા નથી અને તેઓ પોતાના જાહેરી બદન સાથે કબરથી બહાર નીકળીને મદદ કરે છે, તો શું આ સત્ય છે ? અને આવો અકીદહ રાખવો કેવો છે અને આવો પ્રચાર કરનારને રોકવો જોઈએ કે નહિ ?

જવાબ : અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ કરતાં મૌત પામેલા લોકો શહીદ કહેવાય છે. તેમને મૌત પછી આલમે બરઝખમાં એક ખાસ પ્રકારની હયાત છે,પરંતુ સવાલમાં લખવા મુજબ તેમનું કબ્રોથી બદન સાથે બહાર આવવું અનેલોકોની મદદ કરવું એ વાત કુર્આન મજીદ અને હદીસ શરીફથી સાબિત નથી અને જો હકીકત એ પ્રમાણે જ હોત તો હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વારંવાર હયાત થઈ અલ્લાહ તઆલાના રસ્તામાં શહીદ થવાની તમન્ના શા માટે ફરમાવત, જયારે કે શહીદ મૌત પામ્યા પછી પણ બહાર ચાલી ફરી શકતો હોય અને મદદ કરી શકતો હોય, વળી શહીદોની રૂહોનું સ્થળ હદીસ શરીફમાં જન્‍નતમાં લીલા રંગના પક્ષાીઓના શરીરોને બતાવવામાં આવ્યું છે. અને એ ઉપરથી પણ સવાલમાં લખેલી વિગતનું બેબુન્યાદ હોવું સાબિત થાય છે. [“શહર્ુસ્સુદૂર” : ૧૧૧] Log in or Register to save this content for later.