Chapter : જિન્નાત જાદુ, આમિલ, ભુવા
(Page : 323-324)
સવાલ : શું કોઈ મુસલમાનના મકાનમાં તિજોરીમાં મુકેલી કોઈ કિંમતી વસ્તુ દાગીના-રૂપિયા વગેરેની જિન્નાત ચોરી કરી શકે છે ? શું આ પ્રગતિના યુગમાં પણ જિન્નાતની ચોરી શકય છે ? (મુહમ્મદ ફારૂકી, અહમદાબાદ)
જવાબ : ઇન્સાનોની જેમ જિન્નાતોમાં પણ ફાસિક-ફાજિર પ્રકારના જિન્નાત ચોરી કરે અને ઇન્સાનની જેમ જિન્ન રક્ષાણની આધુનિક સાધન સામગ્રી હોવા છતાં હાલ પણ ચોરી કરી શકે છે અને તિજોરી જેવી સુરક્ષિાત જગ્યામાંથી પણ તેઓ ચોરી કરી શકે છે અને જિન્નાતને અલ્લાહ તઆલાએ વિવિધ શકલો અને રૂપો ધારણ કરવાની શિકત સલાહિયત અતા ફરમાવી છે માટે સુરક્ષિાત સ્થળોએ દાખલ થવું ઇન્સાન કરતાં જિન્ન માટે વધુ સરળ છે.
જિન્નાતની ચોરીથી હિફાઝતના વઝીફાઓ પણ હદીસ શરીફમાં આવેલા છે. ચોરીથી હિફાઝત માટે :
આયતુલ કુરસી,
સૂરએ બકરહ અને
સૂરએ બકરહની છેલ્લી આયતો
નું પઢવું હદીસોથી સહાબએ કિરામ (રદિ.)ના અનુભવની રોશનીમાં સાબિત છે.
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઝમાનામાં અનેક સહાબએ કિરામ (રદિ.)ને જિન્નાતની ચોરીનો ઝાત અનુભવ થયો અને તેઓને પોતે જિન્નાતે જ ચોરીથી હિફાઝતનો વઝીફો બતાવ્યો અને હઝરત રસૂલુલ્લાહે (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તે વઝીફાની તસદીક પણ ફરમાવી.(“આકામુલ મજર્ાન” પેજ : ૯૧)
Log in or Register to save this content for later.