[૬૯] અશ્રએ મુબશ્શરહ (રદિયલ્લાહુ અન્હુમ)ના નામો અને ફઝીલત

Chapter : હઝરાત સહાબએ કિરામ (રદિ.)

(Page : 186 to 188)

સવાલ  :  સહાબએ કિરામ (રદિ.)માંથી અશરએ મુબશ્શરહ (રદિ.) જેઓને દુનિયામાં જન્‍નતની ખુશખબરી આપવામાં આવી છે તેઓના નામો જણાવશો અને તેઓના નામોની કોઈ ખાસ ફઝીલત સાબિત હોય તો તે પણ લખશો.

જવાબ  : તિર્મિઝી શરીફની એક હદીસમાં છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,

(૧)     અબૂબક્ર        (રદિયલ્લાહુ અન્હુ) જન્‍નતી  છે.

(ર)     ઉમર   (રદિયલ્લાહુ અન્હુ) જન્‍નતી  છે.

(૩)     ઉસ્માન (રદિયલ્લાહુ અન્હુ)  જન્‍નતી  છે.

(૪)     અલી   (રદિયલ્લાહુ અન્હુ)  જન્‍નતી  છે.

(પ)    તલ્હા   (રદિયલ્લાહુ અન્હુ)  જન્‍નતી  છે.

(૬)     ઝુબૈર   (રદિયલ્લાહુ અન્હુ)  જન્‍નતી  છે.

(૭)     અબ્દુર્રહમાન બિન ર્થાફ (રદિયલ્લાહુ અન્હુ)  જન્‍નતી  છે.

(૮)     સઅદ બિન અબૂ વકકાસ (રદિયલ્લાહુ અન્હુ)  જન્‍નતી  છે.

(૯)     સઈદ બિન ઝય્દ (રદિયલ્લાહુ અન્હુ)  જન્‍નતી  છે.

(૧૦)   અબૂ ઉબૈદહ બિન જર્રાહ (રદિયલ્લાહુ અન્હુ)  જન્‍નતી  છે. (“તિરમિઝી” ર / ર૧પ)

                મજકૂર નામોમાંથી અબ્દુર્રહમાન નામની ફઝીલત હદીસ શરીફથી સાબિત છે.

                મુસ્લિમ શરીફમાં હઝરત ઇબ્ને ઉમર (રદિ.)થી હદીસ નકલ છે,

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું,

                “તમારા નામોમાંથી અલ્લાહ તઆલાને સૌથી મહબૂબ અને પસંદ

                નામ અબ્દુલ્લાહ અને અબ્દુર્રહમાન છે.”   (“મિશકાત શરીફ” ૪૦૭)

                અશરએ મુબશ્શરહના નામોમાંથી અબ્દુર્રહમાન સિવાય બીજા નામોની કોઈ ખાસ ફઝીલત નજરે પડી નથી. અલબત્ત, આવી મુબારક હસ્તીઓના નામો રાખવાની પ્રથા સહાબએ કિરામ (રદિ.)માં મવજૂદ હતી.

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના સમયમાં હિજરી સન ૪ માં “બીરે મઉનહ”ના કિસ્સામાં હઝરત ઉર્વહ બિન અસ્માઅ બિન સલ્ત (રદિ.) અને હઝરત મુન્ઝિર બિન અમ્ર (રદિ.) શહીદ થઈ ગયા તો હઝરત ઝુબૈર બિન અવ્વામ (રદિ.)ની અવલાદમાંથી તે બંને શહીદ સહાબીઓ (રદિ.)ના નામ ઉપર એક છોકરાનું નામ ઉર્વહ અને બીજા છોકરાનું નામ મુન્ઝિર રાખવામાં આવ્યું. (“બુખારી શરીફ” ર / પ૮૭)

                ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.