Chapter : ઇલ્મ
(Page : 460)
સવાલ : અમારા શહેરમાં દાવૂદી વ્હોરા લોકોની વસ્તી વધારે પ્રમાણમાં છે. એ લોકો સિય્યદના બુરહાનુદ્દીનના માનનાર છે અને એ લોકો હઝરત અબૂબક્ર સિદ્દીક (રદિ.), હઝરત ઉમર ફારૂક (રદિ.), હઝરત આઈશહ (રદિ.), હઝરત હફસહ (રદિ.), હઝરત અમીર મુઆવિયહ (રદિ.)ના બારામાં અકીદો વિચાર ધારા બરાબર રાખતા નથી,જાહેરમાં તો ખિલાફ બોલતા નથી, પણ અંદર અંદર બૂરું કહેતા હોય છે, તો આવા દાવૂદી વ્હોરા કોમના છોકરાને કુર્આન શરીફનું ટયુશન આપવા ઘરે જવું અથવા આપણા મદ્રસામાં દાખલ કરી એમને કુર્આન શરીફ તેમજ બીજી દીની કિતાબો પઢાવવી જાઈઝ છે કે નહિ ?
જવાબ : દાવૂદી વ્હોરા કોમના બાળકોને સુન્ન મદ્રસામાં અથવા સુન્ન મદ્રસાના નિસાબ મુજબ તેમના ઘરે જઈને તા”લીમ આપવી જાઈઝ છે.
Log in or Register to save this content for later.