[૧૭૪] મિસ્જદમાં મસાઈલની તા”લીમ

Chapter : ઇલ્મ

(Page : 457-458)

સવાલ : અમારા ગામમાં એક જ મિસ્જદ છે. જુમ્અહના દિવસે ઇજતિમાઅ રૂપી દીનનું કામ થાય છે અને મંગળવારે ઇશાની નમાઝ બાદ મસાઈલની તા”લીમ થાય છે, પરંતુ તેના કારણે તોડ અને વિવાદ થવાની શકયતા દેખાય છે. તો મસાઈલની તા”લીમનું કામ અમારે ચાલુ રાખવુંકે બંધ કરી દેવું જોઈએ ?

જવાબ : સામાન્ય માણસોને સામાન્ય ઇબાદતો તહારત ; વુઝૂ, ગુસલ, નમાઝ, ઝકાત, રોઝહ અને સામાન્ય મુઆમલાત ખરીદ વેચાણ, ભાડા વગેરેના મસાઈલની સામાન્ય રીતે અમલીરૂપે જરૂરત પડે છે અને લગભગ દરેક મુસલમાનને આવા અમલી જરૂરતના સામાન્ય મસાઈલ જાણવા વાજિબ અને લાઝિમ છે. માટે મકામી તોર પર અઠવાડિયામાં એક દિવસ મસાઈલની તા”લીમ એ ઘણું અગત્યનું અને જરૂરી કામ છે. આવું અગત્યનું દીની કામ બધાએ હળી મળીને કરવું જરૂરી છે અને આવા દીની કામને આપસમાં તોડ અને વિવાદનો ઝરીયો ન બનાવવું જોઈએ અને મકામી અમલ ઉત્સાહ અને સંપ શાંતિથી ચાલુ રાખવો જોઈએ.            [“શામી” ભાગ : ૧] Log in or Register to save this content for later.