Chapter : મોત, કબ્ર, પુનર્જીવન
(Page : 384 to 385)
સવાલ : મુર્દાને પહેલાં વફાત પામનાર દોસ્ત-બિરાદરોની, સગાંઓની મુલાકાત થાય છે ? ખબર-અંતર પૂછે છે ? જેવી રીતે આપણે વિદેશથી અથવા બીજા ગામથી આવનાર વ્યિકતની મુલાકાત લઈ ખબર પૂછીએ છીએ, એવી રીતે મુર્દા પણ આપસમાં ખબર-અંતર, વાતચીત વગેરે સમાચાર નવા આવનાર મુર્દાને પૂછે છે ?
કોઈ લંડનમાં મરી ગયું હોય અને કોઈ ઈિન્ડયામાં તો પછી કેવું ? રૂહાની મુલાકાત થાય છે કે જિસ્માની ?
જવાબ : જો આ”માલ સારા હોય અને હિસાબ સાફ હોય તો પહેલાં વફાત પામેલી વ્યિકતોની રૂહોને પાછળથી મરનાર સગા-સંબંધીની રૂહથી મુલાકાત થાય છે અને તેનાથી વાતચીત તથા દુનિયામાં રહેતા પોતાના સગા-સંબંધીઓની ખૈર-ખબર પણ પૂછે છે. શર્ત એ કે પાછળથી મરનાર વ્યિકત પણ નેક મુસલમાન હોય. આ મુલાકાત રૂહાની હોય છે, જિસ્માની નથી હોતી. અને આ રૂહાની મુલાકાતમાં મરનાર વ્યિકતઓની વફાત અને તેઓની કબ્રોનું જુદા જુદા દેશ અથવા એક જ દેશમાં જુદા જુદા સ્થળે હોવું અવરોધરૂપ બનતું નથી . [“શહર્ુસ્સુદૂર” : ૩૮, ૧૦૪] Log in or Register to save this content for later.