[૧૩૮] જુમ્અહ, રમઝાન અને ઈદના દિવસે મરનારથી કબ્રના સવાલ-જવાબ

Chapter : મોત, કબ્ર, પુનર્જીવન

(Page : 384)

સવાલ :  જુમ્અહ તથા રમાઝાન મુબારકના દિવસોમાં અથવા ઈદુલ્ ફિત્રના દિવસે જો કોઈ મુસલમાનની વફાત થાય તો તેનાથી કબ્રમાં સવાલ-જવાબ થતા નથી અને કિયામત સુધી તેનાથી હિસાબ કિતાબ થતો નથી. તો શું આ વાત સાચી છે ?

જવાબ : “શામી”માં નકલ છે કે :  જુમ્અહના દિવસે અથવા રાતે અથવા રમઝાન મહિનામાં વફાત પામનાર ગુનેહગાર મુસલમાનને થોડી વાર અઝાબ થાય છે. પછી કિયામત સુધી અઝાબ થતો નથી અને તેનાથી કબ્રના સવાલ-જવાબ પણ થતા નથી અને હદીસ તથા અકાઈદની કિતાબોમાં પણ આ વાતનું વર્ણન છે.  [“શામી” : ૧ / પપ૪, પ૭ર, “શર્હે ફિકહે અકબર” : ૧ર૧  “મિકર્ાત” : ૩ / ર૪ર] Log in or Register to save this content for later.