[ર૮] (અ) ગૈર મુસ્લિમોની ધાર્મિક રીત રસમમાં ભાગ લેવો (બ) આવા કૃત્ય કરનારને કુફ્ર લાગુ પડે કે નહિ ?

Chapter : કુફ્ર અને શિર્ક

(Page : 101 to 102)

સવાલ:(અ) કોઈ પણ  ખૂશીના પ્રસંગે ગેરલોક (હિન્દૂ) મૂર્તિઓ ઉપર ફૂલહાર પહેરાવી અથવા દિવાબત્તી કે અગરબત્તી પ્રગટાવી પોતાની ખૂશી પ્રગટ કરે છે આવા કોઈ પણ ખૂશીના પ્રસંગે કોઈ પણ મુસ્લિમ વ્યિકત હિન્દૂ સમાજના સાથે રહી હિન્દૂની જેમ મુર્તિ ઉપર ફૂલહાર પહેરાવે અથવા અગરબત્તી કે દિવા-બત્તી પ્રગટાવે તો આવા કૃત્ય કરનાર મુસ્લિમ વ્યિકતઓ માટે ઇસ્લામી હુકમ શું છે ?

સવાલ : (બ) આવા કૃત્ય કરનાર મુસ્લિમ વ્યિકતઓ માટે કુફ્ર તો લાગુ નહી પડે ને? તેમને ઇસ્લામમાં ફરી તો દાખલ થવું નહી  પડે ને ? તેમના નિકાહ ફરી તો દોહરાવવા નહી પડે ને?

જવાબ :(અ / બ) કોઈ પણ ખૂશીના પ્રસંગે ગૈર મુસ્લિમોની ધાર્મિક પ્રવુત્તિઓમાં અને ક્રિયાઓમાં શરીક થવું અને મૂર્તિઓને ફૂલહાર કરવો, તેની સામે અગરબત્તી કે દિવો પ્રગટાવવો એ તદ્દન નાજાઇઝ અને હરામ છે. કુર્આન-હદીસમાં આવા ધાર્મિક મેળમિલાપથી મનાઈ આવેલી છે. જો મજકૂર ધાર્મિક વિઘીઓ મૂર્તિની તઅઝીમ અને તકરીમ (માન-સન્માન)ના ઈરાદા અને હેતુથી કરવામાં આવશે તો મુસલમાન ઈમાનથી નીકળી જશે. તેણે ફરીથી કલિમહ પઢી તવબહ, ઇિસ્તગફાર કરી ઈમાનમાં દાખલ થવું પડશે અને ફરીથી નિકાહ પઢવા પડશે.[“આલમગીરી” : ર/ર૭૭, “બઝા” : ૬/૩૩૩, “શામી” ભાગ : ૩,“મજમઉલ્ ફતાવા” : ર / ર૩૦, “કિફાયતુલ્ મુફતી” : ૯ / ૩૩૮] Log in or Register to save this content for later.