[ર૬] મઝાર ઉપર મન્‍નતો અને મુરાદો માંગવાથી નિકાહ તૂટી જવો

Chapter : કુફ્ર અને શિર્ક

(Page : 100)

સવાલ : દારુલ્ ઉલૂમ માસિક ૧૯૯પ જૂન મહીનાના અંકમાં વાંચ્યું હતું કે જે ઓરત દરગાહ પર જઈને મન્‍નત માને છે તો તે ઓરત નિકાહમાંથી નીકળી જાય છે,  કેવી રીતે નિકાહમાંથી નીકળી જાય છે ?

જવાબ : અવલિયાએ કિરામની કબ્રો પર જઈ તેઓને રાજી કરવાની નિય્યતથી તેઓની નઝદીકી પ્રાપ્ત કરવાના હેતુથી પોતાની હાજતો માંગવી અને તેઓના નામની મન્‍નતો માનવી એ નાજાઈઝ અને હરામ છે. અને મન્‍નત એક ઇબાદત છે માટે ગૈરુલ્લાહના નામની મન્‍નત માનવી ગૈરુલ્લાહની ઇબાદત છે. જે હરામ અને શિર્ક છે અને શિર્ક કરવાથી નિકાહ તૂટી જાય છે.

                “દુર્રે મુખ્તાર” અને “શામી”માં આ મસ્અલહની ઉપર મુજબ છણાંવટ કરવામાં આવી છે. [“દુર્રે મુખ્તાર કમ શામી” : ર / ૧ર૮] Log in or Register to save this content for later.