[રપ] અલ્લાહ તઆલાનો વર્તમાન હાલતમાં પણ રહમનો હુકમ

Chapter : કુફ્ર અને શિર્ક

(Page : 98 to 100)

સવાલ : એક માણસે બીજા માણસ પાસેથી એવી રીતે ઘડિયાળ વાપરવા માટે લીધી કે મારી ઘડિયાળ રીપેર થઈને આવશે એટલે તમારી ઘડિયાળ પાછી કરી દઈશ. દસ-પંદર દિવસ થયા એટલે ઘડિયાળ આપનારની પત્નીએ કહ્યું,  મને ગડબડ લાગે છે તમે ઘડિયાળ માંગી લો. પતિએ કહ્યું, તેમાણસ જૂઠો નથી અને અત્યારે મારે કંઈક જરૂરત પણ નથી. માટે ઘડિયાળ તેની પાસે રહેવામાં કંઈ વાંધો નથી. પછી એક વાર પતિ-પત્ની માં આ વાતની ચર્ચા થતાં પત્ની એવું બોલી ઉઠી કે “હવે તો જમાનો બદલાય ગયો છે લોકો પર રહમ અને દયા કરવાનો સમય રહ્યો નથી. તો પણ અલ્લાહ તઆલા રહમ કરવાનો હુકમ આપે છે.” શબ્દોનો કદાચ તફાવત હશે પરંતુ ભાવાર્થ તો આ પ્રમાણે જ છે. તો પૂછવાનું એ છે કે આ શબ્દો ઉચ્ચારવાનો શું હુકમ છે? તજદીદે ઈમાન અને નિકાહ જરૂરી છે કે નહિ. અને પત્ની તજદીદે ઈમાન તો કરે પરંતુ પતિના સમજાવવા છતાં તજદીદે નિકાહ ન કરે તો પતિ માટે પત્ની હલાલ રહેશે ખરી ?

જવાબ : કુફ્રનો હુકમ લગાડવામાં એહતિયાત ઘણો જ જરૂરી છે. ફુકહાએ કિરામ (રહ.)એ લખ્યું છે કે શકય હોય ત્યાં સુધી મુસલમાનની વાતનો સારો અર્થ લઈ તેના ઉપર કુફ્રનો હુકમ ન લગાડવો જોઈએ.        [“શામી”, ભાગ : ૩ / ર૮પ]

                ઓરતના વાકયોનો અર્થ એમ લેવો શકય છે કે આવા હાલાતમાં રહમ કરવાની મિસ્લહત સમજમાં આવતી નથી. મતલબ કે  રહમ કરવાના હુકમનો ઈનકાર કરવાનો મકસદ નથી. પરંતુ રહમના હુકમની મિસ્લહત સમજવાથી ઈન્કાર છે.

                બીજા એ અર્થની પણ શકયતા છે રહમનો હુકમ આવા સંજોગોમાં આમ નથી. એટલે કે રહમના હુકમના આમ હોવાનો ઈન્કાર છે. અથવા દરેક સાથે રહમના હુકમના વાજિબ હોવાનો ઈન્કાર છે માટે મજકૂર ભાવાર્થોની સુરતમાં ઓરત પર કુફ્રનો હુકમ નહી  આપવામાં આવે. પરંતુ એહતિયાતના આધારે તવબહ-ઇિસ્તગફાર અને તજદીદે નિકાહનો હુકમ આપવામાં આવશે. [“શામી”, ભાગ : ૩ / ર૮૯]

                જો ઓરત પોતે નિકાહ ના ઈજાબ-કબૂલ માટે તૈયાર ન હોય અને બીજાને વકીલ બનાવવા પણ તૈયાર ન થાય તો પતિ પોતે જ પહેલાં નિકાહ પઢી લે અને પછી પત્નીને નિકાહની ખબર આપી રઝામંદી પ્રાપ્ત કરી લે તો તજદીદે નિકાહ થઈ જશે.  [“શામી” ભાગ : ર/૩ર૬] Log in or Register to save this content for later.