[૬૬] હઝરત અલી રદિયલ્લાહુ અન્હુની કબ્ર કયા સ્થળે છે ?

Chapter : હઝરાત સહાબએ કિરામ (રદિ.)

(Page : 184)

[૬૬] હઝરત અલી રદિયલ્લાહુ અન્હુની કબ્ર કયા સ્થળે છે ?

સવાલ  :  હઝરત અલી (રદિયલ્લાહુ અન્હુ)નો મઝાર મુબારક કયાં છે ? એ વિશે તફસીલથી ખુલાસો કરશો.

જવાબ  : હઝરત અલી (રદિયલ્લાહુ અન્હુ) પૂરા પાંચ વર્ષ સુધી ખિલાફતની જવાબદારી સંભાળ્યા પછી ૬૩ વર્ષની ઉંમરે ૧૭, રમઝાનુલ મુબારક હિ.સ. ૪૦ માં જુમ્અહના દિવસે “કૂફા”માં શહીદ થયા હતા.

        તેઓના મઝાર મુબારક વિશે તારીખની કિતાબોમાંઅનેક રિવાયતો નકલ કરવામાં આવી છે.તેઓની દફનવીધી:

૦      કૂફાની મિસ્જદમાં, અથવા

૦      તેઓના પોતાના મકાનમાં, અથવા

૦      કૂફાથી દસ માઈલના અંતરે કરવામાં આવી.

                એક રિવાયતના મુતાબિક હઝરત હસન (રદિ.)એ ખારજીઓ તરફથી તેઓની લાશની બેહુરમતીના ડરથી છુપી રીતે કોઈક જગાએ તેઓને દફન કરી દીધા.

                વળી એક રિવાયત એવી પણ છે કે આપની લાશ મુબારક એક તાબૂત (શબપેટી)માં ઊંટ ઉપર મૂકીને એ હેતુથી મદીના મુનવ્વરા લઈ જવામાં આવતી હતી કે આપને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના નજીક દફન કરવામાં આવે, પરંતુ રસ્તામાં તે ઊંટ નાસી છૂટયું અને પછી તેનો કોઈ પત્તો ન લાગ્યો.

                અને એક રિવાયત એવી પણ છે કે તે ઊંટ “તય”ના ઈલાકામાં મળ્યું અને લોકોએ તેને પકડીને આપનો જનાઝો ત્યાં જ દફન કરી દીધો.

                ખુલાસો એ કે આજ દિન સુધી આપના મઝાર મુબારક વિશે કોઈ સહીહ અને વિશ્વાસપાત્ર સચોટ હકીકત કોઈને માલૂમ થઈ શકી નથી. (“તારીખે ઈસ્લામ” ૧ / પ૬૧)

Log in or Register to save this content for later.