Chapter : હઝરાત સહાબએ કિરામ (રદિ.)
(Page : 183)
[૬પ] હઝરત અલી (રદિયલ્લાહુ અન્હુ)ને પહેલા ઇમામ માનવા
સવાલ : પહેલા ઇમામ હઝરત અલી (ક.વ.) પછી ઇમામ કેટલા ?
જવાબ : હઝરત અલી (ક.વ.) ના ઘણા ફઝાઈલ છે. તેઓ ખુલફાએ રાશિદીનમાંથી એક છે. પણ તે (રદિયલ્લાહુ અન્હુ)ને પહેલા ઇમામ માનવા એ શીઅહપંથી લોકોનો અકીદો છે. જેઓ હઝરત અબૂબક્ર (રદિયલ્લાહુ અન્હુ), હઝરત ઉમર (રદિયલ્લાહુ અન્હુ), હઝરત ઉસ્માન ગની (રદિયલ્લાહુ અન્હુ)ની ખિલાફતને ઝુલ્મ અને બળ વડે પ્રાપ્ત કરેલી અને બાતિલ માને છે. (“તાઈદે અહલે સુન્નત” – ૭)
હાલાં કે ખુદ હઝરત અલી (ક.વ.)થી એ ખિલાફતના હક હોવાનું બયાન સાબિત છે. એવી જ રીતે શીઅહ લોકો ઇમામતને હઝરત અલી (રદિ.) અને આપની અવલાદમાં મર્યાદિત માને છે. પછી એ પંથના લોકોમાં જ મતભેદ છે. અમુક માને છે કે ફકત ૧ર જ ઇમામો થયા છે. અને અમુક માને છે કે છેવટ સુધી આપની અવલાદમાંથી થતાં રહેશે. હાલ સુધી ૪૯ પૂરાં થયા છે. અહલે સુન્નત વલ જમાઅતના નજદીક તો તમામ સહાબાએ કિરામ (રદિ.) અને તાબિઈન (રહ.) અને મુજતહીદ ઇમામોમાંથી દરેક ઇમામતને પાત્ર છે. અને અહાદીષથી એ વાત સાબિત છે.(“ફતાવા દારુલ ઉલૂમ” પ,૬ / ૧૧૦)
Log in or Register to save this content for later.