[૧૮] “વંદે માતરમ્” ગીત વિશે શરઈ માર્ગદર્શન

Chapter : કુફ્ર અને શિર્ક

(Page : 86 to 92)

[૧૮] “વંદે માતરમ્” ગીત વિશે શરઈ માર્ગદર્શન

સવાલ  : મુસલમાને “વંદે માતરમ્” ગીત ગાવા વિશે શરઈ હુકમ શું છે ?

જવાબ  : ઇસ્લામ ધર્મનો સંબંધ મુસલમાનના હ્રદય અને શરીરના પ્રત્યેક અવયવ સાથે છે, જેથી જીભની સાથે પણ એનો ગાઢ સંબંધ છે. જેવી રીતે દિલી તસ્દીક (પુષ્ટિ)ની સાથે તવહીદ અને રિસાલતનો કલિમહ પઢવાથી કોઈ પણ ઇન્સાન ઇસ્લામમાં દાખલ થઈ જાય છે, એવી જ રીતે જો કોઈ મુસલમાન કુફ્ર અને શિર્કનું કોઈ વાકય જીભથી બોલશે તો એના કારણે તે ઇસ્લામના વર્તુળમાંથી નીકળી જશે. એટલા માટે મુસલમાનને ઇસ્લામના પયગમ્બર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તા”લીમ આપી છે કે,

                 “જે માણસ અલ્લાહ તઆલા અને આખિરતના દિવસ પર ઈમાન                ધરાવતો હોય તો તે જીભથી ભલી વાત બોલે, નહિતર ચૂપ રહે.” (“બુખારી શરીફ” ભાગ : ર/૯પ૯)

                ઉપરાંત, શબ્દોચ્ચારના સિલસિલામાં બહુ સાવધાન અને સાવચેત રહેવાનો હુકમ ફરમાવ્યો છે.

                હઝરત પયગમ્બરે ઇસ્લામ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ઈર્શાદ છે કે, “કદી કોઈ બંદો અલ્લાહ તઆલાની રઝામંદીની કોઈ સારી વાત  તેને મામૂલી સમજીને ઝબાનથી બોલે છે, આ વાત દ્વારા અલ્લાહ તઆલા તે બંદાના દરજજાઓ બુલંદ ફરમાવે છે અને કદી કોઈ બંદો અલ્લાહ તઆલાની નારાઝગીની કોઈ બૂરી વાત તેને મામૂલી સમજીને ઝબાનથી બોલે છે, જેના કારણે અલ્લાહ તઆલા તેને દોઝખમાં ફંગોળી દે છે.” (“બુખારી શરીફ” ર / ૯પ૯)

                જુઓ, મુસલમાનની માન્યતા છે કે, વરસાદ અલ્લાહ તઆલા જ વરસાવે છે. અન્ય જાતિઓની માન્યતા અનુસાર વરસાદ વરસવામાં કોઈ ગ્રહના અસ્તોદયને કશી દખલ નથી, જેથી જો કોઈ મુસલમાન ગ્રહપૂજકોની જેમ વરસાદ વરસવામાં કોઈ ગ્રહના અસ્તોદયને નિમિત્ત અને દખલરૂપ કહે તો તેને હદીસે કુદ્સીમાં કાફિર કહેવામાં આવ્યો છે.

                હઝરત ઝૈદ ઈબ્ને ખાલિદ જુહની (રદિયલ્લાહુ અન્હુ) કહે છે કે,    હઝરત રસૂલે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ અમને રાતે પડનારા વરસાદ પછી હુદયબિય્યહ નામી સ્થળે સવારની નમાઝ પઢાવી. જયારે નમાઝથી પરવાર્યા તો લોકો તરફ મુતવજજેહ (ધ્યાનિત) થઈને ફરમાવ્યું કે,

                “તમે લોકો જાણો છો કે તમારા પરવરદિગારે શું ફરમાવ્યું ?” સહાબએ કિરામ (રદિયલ્લાહુ અન્હુમ)એ ઉત્તર દીધો કે, “તેનાથી તો અલ્લાહ તઆલા અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ જ વધુ માહિતગાર છે.”

                આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું કે, “અલ્લાહ તઆલાએ ફરમાવ્યું : મારા કેટલાક બંદાઓએ મારા પર ઈમાનની સાથે સવાર કરી અને કેટલાક બંદાઓએ મારી સાથે કુફ્ર કરીને સવાર કરી. તો જેણે એવું કહ્યું કે અલ્લાહ તઆલાના ફઝલ-કૃપા અને તેની રહમતથી અમારા પર વર્ષા થઈ તો તે મારા પર ઈમાન ધરાવનારો અને સિતારા (ગ્રહ)ની સાથે કુફ્ર કરનારો છે અને જેણે એવું કહ્યું કે ફલાણા ગ્રહના ઊગવા અને આથમવાના કારણે અમારા પર વર્ષા થઈ તો તે મારી સાથે કુફ્ર કરનારો અને ગ્રહ પર ઈમાન (શ્રધ્ધા) ધરાવનારો છે.        (“મુસ્લિમ શરીફ” ૧/પ૯)

                જુઓ, કસમનો સંબંધ પણ ઝુબાન સાથે છે અને એમાં પણ ઇસ્લામે આ તા”લીમ આપી છે કે ઝબાનથી માત્ર અલ્લાહ તઆલાની જ કસમ ખાવામાં આવે તથા શિર્ક અને કુફ્રયુકત કસમ ખાવી હરામ છે. જો કોઈ માણસની ઝબાનથી ભૂલથી શર્કીયહ અને કુફ્રિયહ કસમ નીકળી ગઈ તો તેના માટે તરત કલિમ-એ-તવહીદ પઢીને તેની તલાફી (પૂર્તિ) કરવાનો હુકમ છે.

                હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું એક ફરમાન છે : “જેને કસમ ખાવી હોય તે માત્ર અલ્લાહ તઆલાની કસમ ખાય, નહિતર ચૂપ રહે.”

                બીજું ફરમાન છે : “તમે લોકો બુતો (મૂર્તિઓ) અને બાપ-દાદાઓની કસમ ખાયા ન કરો.”

                ત્રીજું ફરમાન છે : “જેણે (ભૂલથી) લાત અને ઉઝઝા બુતની કસમ ખાધી તો તેણે તરતો તરત ઝબાનથી કલિમ-એ-તવહીદ લા ઈલા-હ-ઈલ્લલ્લાહ પઢી લેવો જોઈએ.” (“મિશ્કાત” પેજ નં. ર૯૬)

                મુસલમાનની આ માન્યતા છે કે તે સારું-નઠારું જે પણ વાકય પોતાની જીભથી બોલે છે તો તેને ફરિશ્તો લખી લે છે અને તેને એની જઝા કે સઝા મળવાની છે.

                કુર્આને મજીદમાં છે :

مَا يَلْفِظُ مِنْ قَوْلٍ إِلَّا لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌ (18) ( سورة ق    آیت18)

                અર્થ : ઇન્સાન જે પણ વાત ઝબાનથી બોલે છે તેને લખવા માટે તેની પાસે જ એક સતત નજર રાખનાર (ફરિશ્તો) તૈયાર રહે છે.

                હઝરત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે, લોકોને ઊંધા મોઢે દોઝખમાં નાખવાવાળી તેમની ઝબાનોની કતરણ (વ્યર્થ વાતચીત-બકવાસ) છે.(“બુખારી શરીફનો હાશિયો” ભાગ : ર, પેજ ૯પ૯)

વંદે માતરમ્ વિશે મજલિસુલ્ ફિકહિલ્ ઈસ્લામી ગુજરાતનો ફેસલો

                તાજેતરમાં ગુજરાત રાજયની નવી સરકારના શિક્ષાણ ખાતા તરફથી શાળાઓના આચાર્યોને આ સરકયૂલર પાઠવવવામાં આવ્યો છે કે શૈક્ષાણિક પ્રવૃત્તિની શરૂઆત દરરોજ વંદે માતરમ્ના ગીત દ્વારા થવી જોઈએ અને એના પર તાકીદપૂર્વક અમલ થવો જોઈએ.

                આ ગીત જે સંજોગોના પરિપ્રેક્ષયમાં તેના રચયિતા બંકિમ ચંદ્રે રચ્યું છે અને તેનો જે મઝમૂન છે, તેના કારણે તે ભારતીય મુસલમાનો માટે આઝાદી પુર્વે અને આઝાદી પછી હંમેશા વાંધાજનક રહ્યું છે, જેથી આ ગીતના સંદર્ભમાં સંપૂર્ણ ચર્ચા -વિચારણા કરવા માટે “મજલિસુલ ફિકહિલ ઇસ્લામી ગુજરાતે” ગુજરાતભરના મુફતિયાને કિરામ અને ઉલમાએ ઈઝામની એક સામાન્ય સભા તા. ૧૬ જૂન, ૧૯૯પ ઈસ્વીસન જુમ્આના દિવસે દારુલ ઉલૂમ કંથારીઆ ખાતે બોલાવી હતી.

                બિહિમ્દલ્લાહ, આ સભામાં છાપી, વડાલી, કાકોશી, વડોદરા, માટલીવાળા ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, હાંસોટ, તડકેશ્વર, કરમાલી, ખરોડ, રાંદેર, ડાભેલ, આલીપોર અને દારુલ ઉલૂમ કંથારીઆ વગેરેના વિદ્વાન મુફતિયાને કિરામ ઉપિસ્થત રહ્યા હતા. સવારે ૮ : ૦૦ વાગ્યાથી  ૧ર :૦૦ વાગ્યા સુધી સતત ચર્ચા-વિચારણા, ચિંતન-મનન, વિઅને વાર્તાલાપને અંતે નીચેના બે બુનિયાદી ફેસલા ફરમાવ્યા છે.

ફિકહી ફેસલો નં. : ૧

                મજલિસુલ્ ફિક્હિલ્ ઇસ્લામી ગુજરાતની આજની સભા સામે ગુજરાત સરકારના શિક્ષાણ ખાતા તરફથી જારી કરાયેલા સરકયૂલર છે, જેમાં સ્કૂલોના આચાર્યોને આ બાબત ચુસ્તપણે અમલ કરવા જણાવ્યું છે કે સ્કૂલમાં તા”લીમના કામનો આરંભ “વંદે માતરમ્” ગીત દ્વારા  કરવામાં આવે અને આ ગીત બાળકો-વિદ્યાર્થીઓ પાસે ગવરાવવામાં આવે.

                આજની સભાએ “વંદે માતરમ્” ગીતના શબ્દો પર વિચારવિમર્શ કર્યો. પરિણામ સ્વરૂપ આ વાત સ્પષ્ટ થઈને સામે આવી કે આ ગીતમાં ઘણા શિર્કભર્યા અને કુફ્રમંડિત વાકયો છે. ઇસ્લામ ધર્મનો બુનિયાદી અકીદો (માન્યતા) છે કે અલ્લાહ તઆલા સિવાય કોઈ માબૂદ (ઉપાસ્ય) નથી અને અલ્લાહ તઆલા સિવાય કોઈની સામે સિજદો કરવાની અથવા સન્માનપૂર્વક અને પૂજાભાવથી ઝુકવાની છૂટ નથી. ચાહે તે પોતાના મા-બાપ યા ઉસ્તાઝ જ કેમ ન હોય. એ જ પ્રમાણે તે પૃથ્વી, ધરતી  કે દેવી-દેવતા જ કેમ ન હોય.

                આ ગીતમાં ધરતી અને દેવી દુર્ગા માતા વગેરેને વંદન અને નમન કરવાનું કહેવાયું છે અને આ વાત ઇસ્લામના બુનિયાદી અકીદા તવહીદ તથા અલ્લાહ તઆલાના વિશિષ્ટ ગુણોની વિરુધ્ધ છે. એ કારણે આજની આ સભા આ ગીતને મુસ્લિમ બાળકો-નાનેરાઓ અને મોટેરાઓ માટે ગાવાને અને પોતાની જીભથી આ શબ્દો ઉચ્ચારવાને નાજાઈઝ અને હરામ સમજે છે.

ફિકહી ફેસલો નં. : ર

                ઇસ્લામ ધર્મની બુનિયાદી માન્યતા (અકીદો) અને બુનિયાદી તાલીમ તવહીદ (એકેશ્વરવાદ)ની છે. તવહીદનો મતલબ આ છે કે એક માત્ર અલ્લાહ તઆલાની ઝાતને જ અખૂટ સર્વશિકતશાળી, સર્વગુણ સંપન્‍ન, સર્વજ્ઞ-વ્યાપક જ્ઞાન ધરાવનાર, અજોડ અને અખોડ સમજવાની સાથોસાથ દરેક પ્રકારની સ્તુતિ અને પૂજાની પ્રત્યેક રીતભાતને તેની સાથે જ વિશિષ્ટ સમજે અને અમલી રીતે પણ એને જ વળગી રહે.

                રાષ્ટ્રપ્રેમના નામે વંદે માતરમ્ ગાવા માટે આજે આગ્રહ રાખવામાં આવે છે. ઇસ્લામે પોતાના અનુયાયીઓને કોઈ પણ કર્મ અથવા કથન બાબત સ્વતંત્ર છોડયા નથી;બલકે એમના કર્મ અને કથનને કાનૂન વડે જકડીને તવહીદના પાબંદ બનાવ્યા છે. કોઈ પણ એવી રીતભાત અપનાવવી અથવા કથન અને વર્તન અપનાવવું જેનાથી તવહીદનો અકીદો ઘવાતો હોય, એની મુસલમાનને છૂટ નથી; બલકે એવું કરવાથી એક મુસલમાન, પોતાની મુસલમાન તરીકેની હૈસિયત ગુમાવી દઈ, ઇસ્લામથી નીકળી જાય છે.

                ઉપરોકત હકીકતને ધ્યાનમાં લઈ વંદે માતરમ્ ગાવા માટે મુસ્લિમોથી માંગણી કરવાના પ્રશ્નનો જવાબ સ્પષ્ટ છે કે ઉપરોકત ગીતમાં કેટલાય શબ્દો અને કડીઓ ઇસ્લામના બુનિયાદી અકીદાની વિરુધ્ધ પડતી હોવાથી એક મુસ્લિમ માટે એને ગાવાની ઇસ્લામ ધર્મ રજા આપતો નથી. આ ગીતના જે શબ્દો અને કડીઓ ઇસ્લામ વિરુધ્ધ છે,તેમને નીચે ટાંકવામાં આવે છે :

–              બહુબલધારિણીમ્ નમામિ તારણીમ્ ;

–              રિયુદલ વારિણીમ્

–              તુમિ વિદ્યા તુમિ ધર્મ; તુમિ હ્રદિ તુમિ મર્મ ;

–              ત્વમ હિ પ્રાણા: શરીરે

–              બાહુ તે તુમિ મા શિકત; હ્રદયે તુમિ મા ભિકત;

–              તોમારાઈ પ્રતિમા ગડિ મંદિરે મંદિરે;

–              ત્વં હિં દુર્ગા દશ પ્રહરણધારિણી ;

–              કમલા કમલદલ વિહારિણી ; વાણી વિદ્યાદાયિની, નમામિત્વામ્

–              નમામિ કમલામ્ અમલામ્ અતુલામ્

–              ધરણીમ્ ભરણીમ્ માતરમ્

                વંદે માતરમ્ ગીત મૂળે તો કાલી માતાની સ્તુતિ હોવાને લઈ હિન્દુ ધર્મની માન્યતાઓ સાથે ગાઢપણે વણાયેલું છે. અન્ય ધર્મના અનુયાયીઓને એ ગીત ગાવાની ફરજ પાડવી ભારત જેવા લોકશાહી દેશના બિનસાંપ્રદાયિક બંધારણનું ઘોર અપમાન અને કલંકરૂપ છે.

Log in or Register to save this content for later.