[૧૭] સવાબ-અઝાબને દિલ બહેલાવવાની વાત કહેવી

Chapter : કુફ્ર અને શિર્ક

(Page : 85 to 86)

[૧૭] સવાબ-અઝાબને દિલ બહેલાવવાની વાત કહેવી

સવાલ :  ઝૈદ અને સલમા બન્ને પતિ-પત્ની તરીકે લગભગ ૧ર વર્ષોથી સાથે રહે છે. તેમને બે બાળકો છે. ઝૈદ બન્ને છોકરાઓને દીનની વાતો શીખવી સમજાવી રહ્યો હતો, જેમ  કે તે કહી રહ્યો હતો કે નમાઝ ન પઢવાથી અલ્લાહ તઆલા કિયામતના દિવસે અમુક પ્રકારની સજાઓ કરશે વગેરે. તો ઝૈદની ઓરત સલમા આ શબ્દો બોલી કે એ તો દિલ બહેલાવવાની વાતો છે. તો આ સૂરતમાં ઝૈદના સલમા સાથેનિકાહ તૂટી જશે અથવા તલાક પડી જશે ?

જવાબ : જો ઝૈદની ઓરત આ શબ્દોને સવાબ-અઝાબ અથવા આખિરતને ન માનવાના કારણે બોલી હોય અથવા તેને હકીર અને તુચ્છ સમજીને બોલી હોય તો તે ઈસ્લામથી નીકળી જશે અને તેના ઝૈદ સાથેના નિકાહ તૂટી જશે, માટે પૂછેલી સૂરતમાં એહતિયાતની વાત આ છે કે સલમા તવબહ કરી,ફરી કલિમહ પઢી તજદીદે ઈમાન કરે અને ઝૈદથી ફરીવાર નિકાહ પઢે. [“આલમગીરી” : ભાગ-ર/ર૮૩] Log in or Register to save this content for later.