[૧૭૧] હરામ વસ્તુઓમાં ગુંજાઈશ શા માટે ?

Chapter : ઈલ્મ

(Page : 451-457)

સવાલ : કોઈ હરામ વસ્તુ કોઈ પણ સુરતમાં હલાલ થઈ શકતી નથી. અને હલાલ વસ્તુ કોઈ સુરતમાં હરામ થઈ શકતી નથી. છતાં પણ અમુક હરામ વસ્તુઓમાં પણ ગુંજાઈશ આપવામાં આવે છે. તો આ કઈ રીતે ?

જવાબ  : કુર્આન શરીફની આયતો અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની અનેક હદીસોથી એ વાત સાબિત છે કે મોટા ભાગની હલાલ અને હરામ વસ્તુઓ સામાન્ય સંજોગોમાં ખાસ ખાસ શર્તો સાથે અને ઉપયોગ કરવાની રીત અને ઉપયોગ કરનાર વ્યિકતઓની હાલતનો ખ્યાલ કરી હલાલ અને હરામ માનવામાં આવે છે. અમુક ખાસ ખાસ સંજોગોમાં પ્રાસંગિક મજબૂરી, વાપરવાની રીત, શર્તો અને વ્યિકતના બદલાય જવાથી હલાલ હરામ અને હરામ હલાલ બની જાય છે. આ બુનિયાદી મંતવ્યના સમર્થન માટે ફિકહની કિતાબોમાં હિયલ, ઇકરાહ, કરાહિય્યતના મસાઈલનો અભ્યાસ કરવામાં આવે. માટે સવાલમાં લખેલ મંતવ્ય કે, “કોઈ હરામ વસ્તુ કોઈ પણ સુરતમાં હલાલ થઈ શકતી નથી.” એ બરાબર અને માન્ય નહિ ગણાય.

                વધુ સમજૂતી માટે કુર્આનની આયતો અને હદીસો લખવામાં આવે છે.

(૧)     કુફ્રના શબ્દો બોલવાથી વધીને ઇસ્લામમાં કોઈ ગુનાહ નહિ હોય પરંતુ જો કોઈ માણસ ઝબાનથી કુફ્રના શબ્દો બોલવા પર એવો મજબૂર બનાવી દેવામાં આવે કે જો કુફ્રિયહ શબ્દો ઝબાનથી ન બોલે તો જાનથી મારી નાખવાનું યકીન હોય તો આવી હાલતમાં ફકત ઝબાનથી કુફ્રિયહ શબ્દો ઉચ્ચારવાની ઈજાઝત આપવામાં આવી છે. એ શતર્ે કે દિલ ઇસ્લામ અને ઈમાન પર બરાબર કાયમ રહે.

اللَّهِ مَنْ كَفَرَ بِاللَّهِ مِنْ بَعْدِ إِيمَانِهِ إِلَّا مَنْ أُكْرِهَ وَقَلْبُهُ مُطْمَئِنٌّ بِالْإِيمَانِ وَلَكِنْ مَنْ شَرَحَ بِالْكُفْرِ صَدْرًا فَعَلَيْهِمْ غَضَبٌ مِنَ

                [જે માણસ ઈમાન લાવ્યા પછી અલ્લાહ તઆલા સાથે કુફ્ર કરે. ]  પરંતુ જે માણસ પર (કાફિરો તરફથી) બળજબરી કરવામાં આવે (કે જો તું કુફ્રનું ફલાણું કામ ન કરીશ અને કુફ્રની ફલાણી   વાત ન બોલીશ તો હમો તને મારી નાખીશું અને સંજોગો પણ એવા હોય કે ધમકી દેનાર એવું કરી નાખે તેવો સંપૂર્ણ ભય હોય) એ શતર્ે કે કુફ્રોચ્ચાર કરનારના દિલમાં ઇસ્લામ પ્રત્યે      પૂરો વિશ્વાસ અને સંતોષ હોય (એટલે કે અકીદા અને માન્યતામાં કોઈ કમી ન આવે. અને આ પ્રમાણે શબ્દો બોલવાને સખત ગુનાહનું કામ સમજતો હોય) તો આવો માણસ (આગળની             આયતમાં વર્ણન થયેલ ધર્મત્યાગની વઈદથી) બાકાત છે (કારણકે          એક સખત મજબૂરીના કારણે જાહેરમાં કુફ્રોચ્ચાર કરે છે.)

(ર)     એવી જ રીતે જે ભૂખ્યો કે તરસ્યો મુસલમાન ભૂખ કે તરસથી મરવાની હાલતમાં પહોંચી ગયો હોય તો એવા માણસ માટે પોતાની જાનની હિફાઝત કરવા માટે અમુક શર્તો હેઠળ હરામ અને નાપાક ચીઝોનો ઉપયોગ કરવો ફકત જાઈઝ નહિ બલકે લાજિમ અને જરૂરી ઠેરવવામાં આવ્યો છે.

إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنْزِيرِ وَمَا أُهِلَّ بِهِ لِغَيْرِ اللَّهِ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَلَا إِثْمَ عَلَيْهِ إِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ

                 અલ્લાહ તઆલાએ તમારા પર ફકત (આ ચીઝોને) હરામ ફરમાવી છે. (અને તે ચીઝો હરામ નથી ફરમાવી જેને તમો પોતાના તરફથી હરામ કરી રહ્યા છો.) મરેલા (જાનવર)ને અને (વહેતા) લોહીને અને સુવ્વરના ગોશ્તને અને એવા જાનવરને જે (અલ્લાહ સિવાય બીજા કોઈને રાઝી કરવાની નિય્યતથી) ગેરુલ્લાહના નામ નકકી કરી દેવામાં આવ્યું હોય. (આ બધી વસ્તુઓ બેશક હરામ છે) છતાં    પણ (એટલી છૂટ અને જોગવાઈ રાખવામાં આવી છે કે) જે માણસ (અતિશય ભૂખથી) બહુ જ બેચેન અને (વ્યાકુળ) બની જાય તો તેને આ શતર્ે ખાવાની છૂટ છે કે તે લઝઝત (સ્વાદ)            માટે ખાતો ન હોય. અને જાનની સલામતી માટે પૂરતા પ્રમાણની હદ બહાર ખાય નહી. બેશક અલ્લાહ તઆલા બહુ જ માફ કરનાર ઘણાં જ કૃપાળુ છે.અહીયા એ પણ સમજી લેવું જોઈએ કે ઉપરોકત આયતમાં મજબૂરીની હાલતમાં હરામ ચીઝોના ખાવાને હલાલ નથી બતલાવવામાં આવ્યું. બલ્કે “લા ઈસ્મ અલયહિ” ફરમાવ્યું છે જેનો મતલબ એ છે કે આ હરામ વસ્તુઓ મજબૂરીની હાલતમાં પણ હરામ જ રહેશે. પરંતુ મજબૂરીના લઈ ખાનાર            માટે હરામને ઉપયોગ કરવાનો ગુનાહ માફ કરી દેવામાં મોટો તફાવત છે.                 (“મઆરિફુલ કુર્આન” : ૧ / ૪રપ)

(૩)    فَمَنِ اضْطُرَّ فِي مَخْمَصَةٍ غَيْرَ مُتَجَانِفٍ لِإِثْمٍ

                (ઉપર મુજબ હરામ વસ્તુઓ જાણી લેવા બાદ આટલી વાત પણ જાણી લો કે) જે માણસ સખત ભૂખના કારણે બેચેન થઈ જાય (અને એ કારણથી ઉપરની હરામ વસ્તુઓ ખાય લે) તો એ શર્તે કે (ખાવાની શર્તો અને હદ બહાર ખાયને) કોઈ ગુનાહ તરફી વલણ ન હોય તો નિ:શંક અલ્લાહ તઆલા મુઆફ કરનાર અને કૃપાળુ છે.

(૪)     ઝકાતનો માલ માલદાર અને બનૂ હાશિમ માટે હરામ છે. પણ તે  માલ કોઈ ગરીબને ઝકાત પેટે આપવામાં આવે. અને તે ગરીબ માલદાર કે હાશમીને આપે તો હવે તેઓના માટે હલાલ છે.  હઝરત આઈશહ (રદિ.) ફરમાવે છે કે,“હઝરત બરીરહ (રદિ.)થી ત્રણ તરીકાઓ (હુકમો) વુજૂદમાં આવ્યા.” (તે ત્રણ પૈકી એક આ છે કે) રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) હઝરત આઈશહ (રદિ.)ના ઘરમાં તશરીફ લાવ્યા. અને તે વખતે એક વાસણમાં ચુલા પર ગોશ્ત ખદબદી રહ્યું હતું. તે પછી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ખિદમતમાં રોટી અને હઝરત આઈશહ (રદિ.)ના ઘરના સાલનોમાંથી કોઈ સાલન  પેશ કરવામાં આવ્યા. તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પૂછયું કે,“શું પેલા વાસણમાં ગોશ્ત નથી ?”   ઘરના માણસોએ જવાબ આપ્યો કે,“જી હાં તે દેગચીમાં ગોશ્ત જ છે. પરંતુ તે ગોશ્ત હઝરત બરીરહ (રદિ.)ને સદકામાં મળ્યો છે. અને આપ તો સદકાનો માલ ખાતા નથી.”    તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,   “તે બરીરહ માટે સદકો છે અને (જયારે બરીરહ રદિ. હમોને આપશે તો) અમારા માટે તો હદિયો અને ભેટ છે.” (“બુખારી શરીફ”, “મુસ્લિમ શરીફ”, “મિશ્કાત શરીફ” : ૧૬૧)

(પ)    માપ તોલથી વેચાતી એક જ પ્રકારની વસ્તુઓનું ખરીદ-વેચાણ એ પ્રમાણે કરવામાં આવે કે એક તરફ પ્રમાણ વધારે હોય અને બીજી તરફ તેથી ઓછું તો આ તરીકાથી સોદો વ્યાજ ગણાય છે. અને હરામ છે. પણ તે જ વસ્તુનો સોદો તે જ વધતા ઓછા પ્રમાણથી તરીકો બદલીને કરવામાં આવે તો તે હલાલ છે.હઝરત અબૂ સઈદ ખુદરી (રદિ.) નકલ કરે છે કે,હઝરત બિલાલ (રદિ.) બરની ખજૂર લઈને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ખિદમતમાં હાજર થયા.હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પૂછયું કે,       “આ ખજૂરો કયાંથી લાવ્યા ?” હઝરત બિલાલ (રદિ.)એ જવાબ આપ્યો કે,“અમારી પાસે નીચા પ્રકારની ખજૂરો હતી. તેમાંથી બે-સાઅ (એક માપિયાનું અરબી નામ છે) ખજૂરો એક સાઅ બરની  ખજૂરના બદલામાં વેચી આપી.”  હઝરત નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,“અરે હાય આ તો ચોખ્ખું વ્યાજ છે. આ પ્રમાણે કદી ખરીદ-વેચાણ ન કરશો. અને જો તમો નબળી ખજૂર વડે સારી ખજૂર ખરીદવા   ચાહો છો તો (પહેલાં) નબળી ખજૂરો કોઈ બીજી વસ્તુ (અનાજ, પૈસા વગેરે)ના બદલામાં વેચી આપો. અને પછી તે બીજી વસ્તુના બદલામાં ઉમદા (બરની) ખજૂરો ખરીદ કરી લો.” (“બુખારી શરીફ”, “મુસ્લિમ શરીફ”, “મિશ્કાત શરીફ” : ર૪પ)

(૬)     જૂઠ બોલવું સામાન્ય સંજોગોમાં હરામ છે. પણ અમુક ખાસ સંજોગોમાં જાઈઝ છે જેમ કે હઝરત ઉમ્મે કુલ્સુમ (રદિયલ્લાહુ અન્હા)  નકલ કરે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે તે માણસ જૂઠો નથી જે લોકોમાં સુલહ-સફાઈ કરાવે છે. અને એક બીજાને સારી વાતો કહે છે. અને એક બીજાની સારી વાતો  પહોંચાડે છે. (ચાહે કેટલીક સુલહભરી સારી વાતો જૂઠી પણ હોય)

(૭)     આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે દરેક જૂઠ  બેશક  લખવામાં આવે છે (ગુનાહ તરીકે) સિવાય ત્રણ માણસના    જૂઠના :

                એક તે માણસ જે પોતાની અવરત કે અવલાદને (રાજી રાખવા)  જૂઠું બોલે.

                બીજો તે માણસ જે બે પક્ષાો વચ્ચે સુલહ કરાવે. અને

                ત્રીજું લડાઈમાં (જૂઠું બોલે)      (“શામી” ભાગ : પ)

                એવી જ રીતે હદીસ શરીફથી સાબિત ફિકહનો એક બુનિયાદી મસ્અલો છે કે જયારે બે હરામ વસ્તુઓ કે કામોમાં માણસ મજબૂર થઈ સપડાઈ જાય તો જે હલકા પ્રકારનું હોય તેને અપનાવી લે. (“અલ અશ્બાહ” : ૮૭)

                તો કોઈ હરામ વસ્તુનો ઉપયોગ કરી શકવા વિષે કે હલાલથી બચવા વિષેના જે કંઈ મસ્અલાઓ તમારી  સામે  આવવાથી તમોને શંકા પેદા થઈ હોય તેના વિષે સમજી લેવું જોઈએ કે આ  હિયલ, ઈકરાહ અને કરાહિય્યતના  મસાઈલ ઉપર પ્રમાણેની આયતો અને હદીસો ઉપર આધારિત છે

Log in or Register to save this content for later.