[૧૬૮] શૈતાન ખ્વાબમાં કોઈ અન્ય આપ (સલ.) સિવાય પયગમ્બર (અલૈ.)નું રૂપ ધારણ કરી શકે ?

Chapter : ખ્વાબ અને તા”બીર

(Page : 138-139)

સવાલ : દીની કિતાબોમાં વાંચવામાં આવે છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું રૂપ ધારણ કરીને શૈતાન કોઈના સ્વપ્નમાં નથી આવી શકતો ; પરંતુ અહીયા સવાલ ઉપિસ્થત થયો કે શૈતાન હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સિવાય અન્ય કોઈ પયગમ્બરનું રૂપ ધારણ કરીને સ્વપ્નમાં આવી શકે છે કે નહિ ?

જવાબ : હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સૂરતમાં શૈતાનનું ન આવી શકવું તો સહીહ હદીસથી સ્પષ્ટ શબ્દોમાં સાબિત છે.

                આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે, “જે માણસે ખ્વાબમાં મને જોયો તેણે ખરેખર મને જ જોયો. કારણ કે શયતાન મારી સૂરત ધારણ કરી શકતો નથી.”        (“બુખારી શરીફ”, “મુસ્લિમ શરીફ”)

                હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સિવાય બીજા અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ) વિશે કોઈ હદીસમાં એવી ચોખવટ નથી કે શૈતાન તેઓનું રૂપ ધારણ કરી શકતો નથી.

                શૈખ અબ્દુલ હક્ક મુહદ્દિસે દહેલ્વી (રહ.) મઝકૂર હદીસના અનુસંધાનમાં લખે છે કે :

                ઉલમાએ કિરામે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની શકલ ઇિખ્તયાર કરવા ઉપર શયતાનના શિકતમાન નહોવાને આપની ખુસૂસિયત (વિશિષ્ટતા) બતાવી છે અને તે ઉપરથી સાબિત થાય છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સિવાય અન્ય વ્યિકત માટે મઝકૂર હુકમ લગાડવો દુરુસ્ત નથી. (“અશિઅ્અતુલ્લમઆત” : ૩ / ૬૩૭)

                અલબત્ત, મઝકૂર હુકમનું જે કારણ દર્શાવવામાં આવ્યું છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સૂરતમાં શયતાનના ન આવી શકવાનું કારણ એ છે કે તે આપની સૂરતમાં જાહેર થઈને હક સાથે બાતિલની મિલાવટ કરી લોકોને ગુમરાહ ન કરે તે ઉપરથી તો એ જ માલૂમ પડે છે કે શયતાન બીજા અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ)ની સૂરતમાં પણ આવી શકતો નથી.

                હકીમુલ્ ઉમ્મત મવલાના થાનવી (રહ.) મઝકૂર કારણ નકલ ફરમાવી લખે છે કે : ઇસ દલીલ કા મુકતઝા યેહ હે કે ર્થાર અમ્બિયાકી શકલ ભી નહી બના સકતા, ઓર કવાઈદે શરઈય્યહસે ઇસીકો તરજીહ માલૂમ હોતી હે.” (“ઇમ્દાદુલ્ ફતાવા” : પ / ર૪પ)

Log in or Register to save this content for later.