Chapter : મુહર્રમ, આશુરહ તઅઝિયહ
(Page : 437-438)
સવાલ : જે રીતે અવલિયાએ કિરામના નામ પાછળ “રહમતુલ્લાહિ અલયહિ” કહેવામાં આવે છે તે રીતે યઝીદના નામ પાછળ રહમતુલ્લાહિ અલયહિ કહી શકાય કે નહિ ?અને યઝીદ વિશે કેવી માન્યતા રાખવી જોઈએ ? તેને સારો ગણી શકાય કે નહિ ?
જવાબ : અહલે સુન્નત વલ જમાઅતના મોટા ભાગના ઉલમાએ કિરામના મંતવ્ય મુજબ યઝીદ ફાસિક-ફાજિર પ્રકારનો મુસલમાન હતો કારણ કે તે ઘણા પ્રકારના ગુનાહિત કાર્યોમાં મશગૂલ હતો.
અમુક આલિમોએ તો તેના અમુક સખત ભૂંડા કૃત્યોના કારણે તેને કાફિર પણ કહ્યો છે અને તેના માટે લઅનતની બદદુઆ પણ કરી છે. પરંતુ સહીહ અને એહતિયાતનો મસ્લક એ છે કે તેને ફાસિક-ફાજિર મુસલમાન ગણવામાં આવે અને તેના નામ પાછળ ન “રહમતુલ્લાહિ અલયહિ” જેવા રહમત અને મગફિરતની દુઆના વાકયો લખવા-બોલવામાં આવે અને ન લઅનતના શબ્દો બોલવા-લખવામાં આવે. (“નુખ્બતુલ-લઆલી” ૮૬, “ફતાવા મૌલાના અબ્દુલ હય્ય (રહ.)” ૭ર, “નિબરાસ” પપ૩)
Log in or Register to save this content for later.