Chapter : મુહર્રમ, આશુરહ તઅઝિયહ
(Page : 431-437)
સવાલ : અલ્લાહના ફઝ્લો કરમથી તબ્લીગી મહેનતથી અમારા ધરમપૂર ગામમાં અનેક કુરિવાજો, બિદઅતો દૂર થઈ છે અને મિસ્જદો આબાદ થઈ છે. પરંતુ સામાન્ય રીતે દરેક શહેર અને ગામમાં અનેક માન્યતાઓ, અકીદાઓ ધરાવનારા હોય છે. તેમ અમારા ગામમાં પણ એક સમૂહ તઅ્ઝિયહદારી, મીલાદ શરીફની મહેફિલ, ઉર્સની ઉજવણી, ગૌસ પાક (અગિયારમી)ની અને આમ ન્યાઝ, રાતેબની મહેફિલ, ઝિયારત અને ચાલીસો કરવો, સગાં-સંબંઘીને જમણ કરાવવું, કુર્આન ખ્વાની બાદ ફાતિહા અને ન્યાઝ (ખજૂર, બિસ્કીટ, ફ્રુટ) તકસીમ કરવી વગેરે કરતા આવ્યા છે અને એ રીત-રિવાજો પરાપૂર્વથી હોય અને સવાબની નિય્યતથી કરતા આવેલા છે. ઉપરોકત હકીકત ધ્યાને લઈ શરીઅત અને કુર્આનની રોશનીમાં મીલાદ અને રાતેબની મહેફિલ તથા ગૌસપાકની ન્યાઝ કરવી કે ઉર્સની ઉજવણી કરવી, ચાલીસો કરવો, ન્યાઝ વહેંચવી, તઅ્ઝિયહદારી કરવી, શરીઅતથી તે સાબિત છે ?
અમારા ગામની મુસ્લિમ સુન્નત જમાત તરફથી એવું ઠરાવવામાં આવ્યું છે કે આ મુજબના કાર્યો કરતા હોય તેમને કોઈ સાથ-સહકાર ન આપવો. દા.ત : તઅ્ઝિયહના જુલૂસ માટે સરકારી મંજૂરી લેવાની હોય તો જમાત એનાથી દૂર રહે છે. જો રાતેબની સાથે ગૌસ પાકની ન્યાઝ હોય તો એને જમાતના વાસણો આપવા નહિ. કે તઅ્ઝિયહદારી કરતો હોય તો એને અન્ય રીતે દબાણ લાવવામાં આવે છે. તો શું મુસ્લિમ સુન્નત જમાત એ કાર્યો કરનાર સાથે સખ્તીથી વતર્ી શકે છે ?
દા. ત. : વાસણ નહિ આપવા, મિસ્જદમાં એના ઘરની કુર્આન ખ્વાની રાખવાની મંજૂરી નહિ આપવી, એના ઘરે શુભપ્રસંગે જમાતના ખાસ માણસોએ નહિ જવું, વગેરે કાર્યોથી સખ્તી કરી શકાય કે નહિ ?
અને આમ કરવાથી શરીઅતથી કોઈ વાંધો આવશે ?
સખ્તી કરવાનો હેતુ એટલો જ છે કે કોઈ પણ રીતે તઅ્ઝિયહદારી, રાતેબ કે મીલાદની મહેફિલો કરતા લોકો બંધ થાય.
આ બાબતે અત્રે થોડો વિવાદ થયેલ છે તો જમાત કેટલી સખ્તી કરી શકે ? ઉપર દર્શાવેલ કાર્યોમાં શરીઅતમાં શું ગુંજાઈશ છે ?
જવાબ : આપના લખાણમાં બે સવાલો છે :
એક તો તઅ્ઝિયહદારી, મીલાદ શરીફ, ઉર્સની ઉજવણી,ગૌસ પાકની અગિયારમીની ખાસ અને આમ ન્યાઝ, રાતેબની મહેફિલ, ઝિયારત અને ચાળીસમું કરવું, કુર્આન ખ્વાની બાદ ફાતિહા અને ન્યાઝ તકસીમ કરવી (એનો શરઈ હુકમ શું છે ?)
આ બધી વાતોનો શરઈ હુકમ તો જાહેર છે કે જે રીતે આ બધા રિવાજો કરવામાં આવેછે તેનો કુર્આન-હદીસ અને અઈમ્મએ મુજતહિદીન (રહ.), સહાબએ કિરામ (રદિ.)થી કોઈ સુબૂત નથી અને આ બધા રિવાજો બિદઅત અને નાજાઈઝ છે. અને તેનો ત્યાગ કરવો જરૂરી છે. અને મજકૂર કુરિવાજો અને બિદઅતો વિષે વિસ્તારથી ફતાવા છપાઈ ચુકયા છે.
“ફતાવા રહીમિય્યહ” : ભાગ-ર, “ફતાવા રશીદિય્યહ”, “ફતાવા મહમૂદિય્યહ” : ભાગ-૧, “અઝીઝુલ્ ફતાવા”માં આ બાબતો વિષે વિસ્તૃત ફતાવા અને જવાબો છે. જેનો અભ્યાસ કરવામાં આવે.
બીજો સવાલ આ છે કે મજકૂર બિદઅતોમાં શરીક અને સહાયરૂપ ન થવું જોઈએ અથવા તેમાં સહકાર ન આપવો જોઈએ અને લોકો આ બિદઅતો કરતા બંધ થઈ જાય, એ હેતુથી આવી બિદઅતો અને તેના કર્તાઓથી સંબંધ ખત્મ કરવો જોઈએ ?
આ સવાલનો જવાબ આ છે કે આવી બિદઅતોમાં શરીક અને સહાયરૂપ થવું જાઈઝ નથી . બલ્કે કુર્આન અને હદીસ તથા સહાબએ કિરામ (રદિ.)ના અમલથી એ વાત સાબિત છે કે આવી બિદઅતોથી દૂર રહેવું અને તેમાં સહાયરૂપ થવાથી બચવું જરૂરી છે અને આવા કુરિવાજોને રોકવા, કુરિવાજો કરનારથી સામાજિક બોયકોટ (બહિષ્કાર) કરવો જાઈઝ બલ્કે જરૂરી છે.
માટે આપના ગામની સુન્નત મુસ્લિમ જમાતે મુસ્લિમ સમાજમાં ચાલતા આવતા કુરિવાજોને બંધ કરવા જે નિર્ણયો લીધા છે તે દુરુસ્ત અને જાઈઝ છે અને શરીઅતથી સુસંગત છે.
અલ્લાહ તઆલાનું ફરમાન છે કે :“નેક કાર્યમાં અને પરહેઝગારીમાં પરસ્પર એક બીજાની સહાય-મદદ કરો અને ગુનાહ અને જુલ્મમાં પરસ્પર એક બીજાની મદદ ન કરો.” (સૂરએ”માઈદહ” : ર)
સૂરએ “માઈદહ”માં આયત નં : ૭૮, ૭૯ માં અલ્લાહ તઆલા ફરમાવે છે કે :
لُعِنَ الَّذِينَ كَفَرُوا مِنْ بَنِي إِسْرَائِيلَ عَلَى لِسَانِ دَاوُودَ وَعِيسَى ابْنِ مَرْيَمَ ذَلِكَ بِمَا عَصَوْا وَكَانُوا يَعْتَدُونَ
અર્થ : બની ઇસ્રાઈલના કાફિરો હઝરત દાઊદ અને હઝરત ઈસા બિન મરયમ (અલૈ.)ની ઝબાનથી લઅનત પામ્યા. એ કારણથી કે તેઓએ નાફરમાની કરી અને હદથી આગળ વઘી ગયા, જે બૂરું કામ કરતા હતા તેનાથી આપસમાં એક બીજાને રોકતા ન હતા. (કુર્આને કરીમ)
અલ્લામહ અબૂબક્ર જસ્સાસ રાઝી (રહ.) આ આયતની તફસીરમાં સુનને અબૂ દાવૂદ શરીફથી એક હદીસ નકલ કરી છે કે : હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) ફરમાવે છે કે: હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું કે : “બની ઈસ્રાઈલમાં સૌ પ્રથમ દીની નુકસાનની શરૂઆત આ પ્રમાણે થઈ કે એક માણસ બીજા માણસને મળતો (અને તેને કોઈ ગુનાહનું કામ કરતા જોતો) તો તેનાથી કહેતો કે: હે ભાઈ ¦ અલ્લાહ તઆલાથી ડર અને તું જે ગુનાહ કરે છે તે છોડી દે, એ તારા માટે હલાલ નથી. પછી તે ગુનાહથી રોકનાર માણસ ગુનાહ કરનારને બીજા દિવસે મળતો તો હવે તે બીજા માણસના ગુનાહ આચરણને જોવું તે પહેલાં માણસ માટે તે ગુનેહગાર સાથે ખાવા-પીવા અને બેસવાથી અવરોધરૂપ ન બનતું, જયારે તેઓ અમ્ર બિલ્ મઅ્રૂફ અને નહી અનિલ્ મુન્કરને છોડીને તેઓની સાથે ખાવા-પીવા અને ઉઠવા-બેસવા લાગ્યા તો અલ્લાહ તઆલાએ તેઓના દિલોને તેઓના ગુનેહગારોના દિલોની જેમ સખ્ત અને કાળા બનાવી દીધા.”
પછી હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ (સૂરએ “માઈદહ”ની મજકૂર આયત)
لُعِنَ الَّذِينَ كَفَرُوا مِنْ بَنِي إِسْرَائِيلَ عَلَى لِسَانِ دَاوُودَ وَعِيسَى ابْنِ مَرْيَمَ ذَلِكَ بِمَا عَصَوْا وَكَانُوا يَعْتَدُونَ
તિલાવત ફરમાવી તે પછી ફરમાવ્યું કે: “હે ઉમ્મતીઓ ¦ તમો મુન્કર (ગુનાહિત) કામ પર ખામોશીને જાઈઝ
સમજવાથી સાવધાન રહો. અલ્લાહ પાકની કસમ, કાં તો તમો અમ્ર બિલ્ મઅ્રૂફ અને નહી અનિલ્ મુન્કર કરતા રહો અને ઝાલિમના હાથો પકડતા રહો અને તેને ઝબાની નસીહત વડે હક વાતની તરફ ફેરવી આપો અને સામાજિક બોયકોટ (બહિષ્કાર) વડે તેને હક વાતનો પાબંદ બનાવો, નહિતો અલ્લાહ તઆલા તમારામાંથી અમુક (સારા) માણસોના દિલોને તમારામાંથી અમુક (ગુનેહગાર) માણસોના દિલોની જેમ બનાવી દેશે અને પછી તમારા ઉપર પણ એવી લઅનત ફરમાવશે જેવી બની ઇસ્રાઈલ ઉપર લઅનત ફરમાવી છે.” [“બઝલ” : પ / ૧૧૬, “મિશ્કાત” : ૯ / ૩૪૧]
શૈખ અબૂબક્ર જસ્સાસ (રહ.) મજકૂર આયતના અનુસંઘાનમાં આ હદીસ નકલ કરીને લખે છે કે : આ આયત અને મજકૂર હદીસમાં એ વાતની દલીલ છે કે ખુલ્લે આમ ખરાબ કૃત્યો કરનારાઓ સાથે ઉઠવું-બેસવું મના છે અને સામાજિક બહિષ્કાર સિવાય માત્ર ઝબાનથી મના કરી આપવું પુરતું નથી. [“અહકામુલ્ કુર્આન” : ર / ૪પ૧]
હઝરત આઇશહ (રદિ.) કહે છે કે :“તેઓએ એક ચાદર ખરીદ કરી જેમાં ફોટાઓ હતા. જયારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ આ ફોટાઓવાળી ચાદર ઘરમાં જોઈ તો દરવાજા પર ઊભા થઈ ગયા અને ઘરની અંદર દાખલ ન થયા. મેં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ચહેરા પર નારાઝગી પારખી લીધી. તો મેં કહ્યું :“યા રસૂલલ્લાહ ¦ અગર મારાથી કોઈ ભૂલ થઈ છે, અલ્લાહ તઆલા અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સમક્ષા તવબહ કરું છું.” [“બુખારી શરીફ” : ભાગ-ર]
હઝરત ઇબ્ને મસ્ઊદ (રદિ.)એ દઅવત આપનારના ઘરમાં ફોટો જોયો તો ખાધા વગર વાપસ થઈ ગયા.
હઝરત ઇબ્ને ઉમર (રદિ.)એ હઝરત અબૂ ઐયૂબ અન્સારી (રદિ.)ને દઅવત દીઘી તો હઝરત અબૂ ઐયૂબ (રદિ.) તેઓના ઘર ઉપર ગયા અને દીવાલ પર પરદો નાંખેલો જોયો તો કહ્યું કે : “ખુદાની કસમ ¦હું તમારું ખાણું નહિ ખાઉં.”અને પાછા ચાલ્યા ગયા. [“બુખારી શરીફ” : ભાગ-ર]
હઝરત અબ્દુલ્લાહ બિન મુગફ્ફલ (રદિ.)એ એક માણસને આંગળીઓથી નાના-નાના કાંકરા ફેંકતા જોયા તો તેનાથી ફરમાવ્યું કે :“આવું ના કરો,હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ આનાથી મનાઈ ફરમાવી છે……”
તે પછી હઝરત અબ્દુલ્લાહ (રદિ.)એ ફરીવાર તે માણસને આવું કરતા જોયા તો ફરમાવ્યું :“હું તને હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસ બયાન કરું છું કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ આ કૃત્યથી મનાઈ ફરમાવી છે. અને તે છતાં તું આ કામ કરતો જાય છે. હું તારાથી આટલી આટલી મુદ્દત સુધી વાત નહિ કરું.” [“બુખારી શરીફ” ભાગ-ર]
“મુસ્લિમ શરીફ”ની હદીસમાં છે કે,હઝરત અબ્દુલ્લાહ (રદિ.)એ તેઓથી કહ્યું કે, “હું તારાથી કદી વાતચીત નહિ કરું.”
આ સિવાય પણ હદીસોમાં ઘણી ઘટનાઓ છે કે ગુનાહિત કૃત્યો કરનારથી બહિષ્કાર કરવામાં આવ્યો. માટે બિદઅતના કામોથી મુસ્લિમ સુન્નત જમાત અસહકારનો નિર્ણય કરે અને બહિષ્કારનો નિર્ણય લે એ શરીઅત વિરુદ્ઘ નથી બલ્કે તેને બંઘ કરવાના હેતુથી જરૂરી છે.
Log in or Register to save this content for later.