[૧૬પ] દસમી મુહર્રમના તઅઝિયહ

Chapter : મુહર્રમ, આશુરહ તઅઝિયહ

(Page : 429-430)

સવાલ : તઅઝિયહ બનાવવા અને તે લઈને ફરવું કેવું છે ?

જવાબ : તઅઝિયહ બનાવવા અને તેને લઈને ફરવું સરાસર શરીઅત વિરુદ્ઘ અને ખુલ્લી બિદઅત છે. કુર્આન, હદીસ કે સહાબા (રદિ.), તાબિઈન (રહ.)થી તેનો કોઈ સુબૂત નથી, ન કોઈ સુન્‍ન આલિમોનો તેના બિદઅત અને નાજાઈઝ હોવામાં કોઈ મતભેદ છે, બલ્કે તેનું નાજાઈઝ હોવું સ્પષ્ટ હદીસથી સાબિત છે.

                હદીસ શરીફમાં છે કે,“જેણે એવી કબ્રની ઝિયારત કરી, જેમાં કોઈ દફન ન હોય (બનાવટી કબ્ર જેમ કે તઅઝિયુ) તે મલઊન છે.”       એક રિવાયતમાં છે કે,“જાણે તેણે મૂર્તિ પૂજા કરી.”  હઝરત અબૂ સઈદ ખુદરી (રદિ.) ફરમાવે છે કે, “રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ માતમ કરનાર અને સાંભળનાર ઉપર લઅનત ફરમાવી છે.       (“અબૂ દાવૂદ શરીફ”)

Log in or Register to save this content for later.