Chapter : મોત, કબ્ર, પુનર્જીવન
(Page : 383 to 384)
[૧૩૭] મોડી દફન થતી મય્યતથી સવાલ કયાં અને કયારે ?
સવાલ : અમારા ગામના એક ભાઈનો સઉદી અરબિય્યહમાં રોડ અકસ્માતમાં ઇિન્તકાલ થઈ ગયો, તેમના મૃતદેહને ત્યાં હોસ્પીટલમાં અમુક દિવસો રાખ્યો અને પછી તેને કફન પહેરાવી એક પેટીમાં પેક કરી આપ્યો અને ત્યાંથી દેશમાં રવાના કર્યો અને પાંચ દિવસ પછી તે શબ વતનમાં આવી ગયું અને દફન વિધિ થઈ ગઈ, અને અકસ્માતમાં મૃત્યુ થયા પછી રર દિવસે દફન વિધિ થઈ. તો પ્રશ્ન એ છે કે આ મિય્યતને કબ્રના સવાલ જવાબ પેટીમાં પેક કરતાં જ થઈ ગયા હશે કે રર દિવસ પછી અહીયા કબ્રમાં દફન કર્યા બાદ કબ્રમાં સવાલ જવાબ થયા હશે ?
જવાબ : અહાદીસ અને અકાઈદની કિતાબોમાં એ વાતનું વર્ણન છે કે જયારે મિય્યતને કબ્રમાં દફન કરવામાં આવે છે ત્યાર પછી ફરિશ્તાઓ તેનાથી સવાલ-જવાબ કરે છે. માટે આવી મોડી દફન કરવામાં આવતી મિય્યતથી પણ તેને કબ્રમાં દફન કર્યા પછી સવાલ જવાબ થશે, માત્ર પેટીમાં મૂકી આપ્યા બાદ નહિ થાય. [“શામી” : ૧ / પ૭૧, ૬૦૧, “નુખ્બતુલ્લઆલી” : ૧૧૬, “મિકર્ાત” : ૧ / ૧૯૭]
બાકી મુસ્તહબ આ છે કે મુસલમાન જયાં વફાત પામે, ત્યાંના કબ્રસ્તાનમાં તેને દફન કરી આપવામાં આવે અને આટલું મોડું કરી અને મિય્યતને આટલા બધા દૂરના સ્થળે બીજા દેશમાં લઈ જઈ દફન કરવી મકરૂહ છે. [“તહતાવી” : ૩૩૭, “શામી” : ૧ / ૬૦ર] Log in or Register to save this content for later.