[૧૩૪] શૈતાનનું કબ્રમાં દાખલ થઈ મિય્યતને ગુમરાહ કરવું

Chapter : મોત, કબ્ર, પુનર્જીવન

(Page : 375 to 376)

[૧૩૪] શૈતાનનું કબ્રમાં દાખલ થઈ મિય્યતને ગુમરાહ કરવું

સવાલ : મેં એક વઅઝ કરનાર માણસથી સાંભળ્યું છે કે શૈતાન દુનિયાની જેમ માણસના મૃત્યુ પછી પણ કબ્રમાં દાખલ થઈને મિય્યતથી ફરિશ્તાના સવાલ-જવાબ વખતે મિય્યત પાસે ઊભો રહે છે અને જયારે ફરિશ્તો સવાલ કરે છે કે,“મન્ રબ્બુ-ક” (તારો રબ કોણ છે ?)તો શૈતાન પોતાની તરફ ઇશારો કરીને કહે છે કે મારું નામ બતાવી દે.  તો શું શૈતાનનો આ પ્રમાણે કબ્રમાં ધોકો દેવાનો અકીદહ સહીહ અને સાબિત છે ?

જવાબ  : કબ્રમાં મિય્યતથી નકીરૈનના સવાલ વખતે શૈતાનનું કબ્રમાં જઈને આ પ્રમાણે ફંદો નાખવો એ વાત કોઈ હદીસમાં નજરે પડી નથી. જાહેર રીતે તો એવું માલૂમ પડે છે કે હવે તે મિય્યત ઉપર એવો પ્રભાવ નથી પાડી શકતો કે મિય્યત સહીહ જવાબ ન આપી શકે. શૈતાનની કોશિષનો સમય સમાપ્ત થઈ ગયો, તેનું લાયસન્સ બેકાર થઈ ગયું.    (“મહમૂદિય્યહ” : ૧ર / ૯૭)

                હઝરત હકીમુલ ઉમ્મત (રહ.) લખે છે કે,               પ્રથમ તો કોઈ સહીહ હદીસથી શૈતાનનું કબ્રમાં દાખલ થવું સાબિત નથી. વળી જો તેનું કબ્રમાં દાખલ થવું માની પણ લઈએ તો તેમાં મિય્યતને નુકસાન થવાની સંભાવના નથી, કારણ કે શૈતાનની ગુમરાહ કરવાની શિકત આ દુનિયા સુધી જ મર્યાદિત છે, કારણ કે આ દુનિયા જ અહકામની પાબંદી અને ઇિમ્તહાનનું સ્થળ છે. (અને મૃત્યુ પછી કબ્રથી બરઝખી આલમ શરૂ થઈ જાય છે.)

                હદીસ શરીફમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે,         શૈતાન ઇન્સાન સાથે તેના લોહીની જેમ દોડે છે.

                મુલ્લા અલી કારી (રહ.)એ આ હદીસનો એક ભાવાર્થ આ પ્રમાણે લખ્યો છે કે એટલે કે માણસ જયાં સુધી જીવતો હોય છે, ત્યાં સુધી શૈતાન તેનાથી અલગ નથી થતો.                           (“મિરકાત” : ૧ / ૧૩૯)

                ઉકત વિગતથી માલૂમ પડયું કે જયારે તે મૃત્યું પામે છે અને શરીરમાં લોહી દોડવાનું બંધ થઈ જાય છે તો શૈતાનનું માણસ સાથે દોડવાનું પણ બંધ થઈ જાય છે અને શૈતાન તેનાથી અલગ થઈ જાય છે.

Log in or Register to save this content for later.