Chapter : નેકી-બદી, જઝા-સઝા, હિસાબ-કિતાબ
(Page : 371 to 372)
[૧૩૧] ગુનાહનો મકકમ ઇરાદો પકડપાત્ર છે
સવાલ : અમુક માણસો એવું કહે છે કે નેકીનો ઇરાદો કરવાથી સવાબ લખાય જાય છે જયારે ગુનાહનો ઇરાદો કરવાથી ફરિશ્તા ગુનાહને લખતા નથી, જયાં સુધી કે માણસ ગુનાહ ન કરી લે. ગુનાહ કર્યા પછી જ ફરિશ્તા તે ગુનાહને લખે છે. તો શું ગુનાહનો ઇરાદો કરવાથી ગુનાહ લખવામાં આવતો નથી ?
જવાબ : નેકીનો સામાન્ય ઇરાદો કરવાથી પણ એક નેકી લખાય જાય છે. અને ગુનાહનો સામાન્ય ઇરાદો કરવાથી ગુનાહ લખાતો નથી.
હદીસે કુદ્સીમાં અલ્લાહ તઆલાનું ફરમાન છે કે : “જયારે મારો બંદો કોઈ ગુનાહના કામનો ઇરાદો કરે તો (હે ફરિશ્તાઓ ¦) તમો તેનો ગુનાહ ન લખતા અને જો તે ગુનાહનું કામ કરી લે તો તેનો એક ગુનાહ લખી લો અને જયારે નેકીનો ઇરાદો કરે અને તે નેકી કરે નહિ તો તેની એક નેકી લખી લો. અને જો તે નેકી કરી પણ લે તો તેની દસ નેકીઓ લખી લો. “
પરંતુ બીજી અમુક હદીસોના આધારે તહકીકદાર (સંશોધક) ઉલમાએ કિરામનું મંતવ્ય એ છે કે જો ગુનાહનો પાકો ઇરાદો અને પુખ્ત નિર્ણય કરી લે કે જો કોઈ અવરોધ ઊભો ન થાય તો તે ગુનાહ જરૂર કરવામાં આવે તો ગુનાહના આવા પુખ્ત નિર્ણયની સૂરતમાં પણ ગુનાહ લખવામાં આવે છે. [“શર્હે અશ્બાહ હમવી” :૧ / ૧૭૪, “ખુલાસતુલ્ ફતાવા” : ૪ / ૩૪૬,“ફતાવા આલમગીરી” : પ / ૩પર] Log in or Register to save this content for later.