Chapter : નેકી-બદી, જઝા-સઝા, હિસાબ-કિતાબ
(Page : 371 to 374)
[૧૩ર] મુસ્લિમોની કસરત (વધુ સંખ્યા)ને બરબાદીનું કારણ બતાવવું
સવાલ : એક જાહિલ આદમી કહી રહ્યો છે કે આપણાં નબીનું ફરમાન છે : “મુસ્લિમ ઘણી તઅદાદ (સંખ્યા)માં હશે ત્યારે બરબાદ થશે. અમલોનો કોઈ દખલ નથી.” આ શબ્દો બોલ્યો છે. એક આલિમ સાહબે કહ્યું કે :“મુસલમાનોના અમલ બગડે ત્યારે ખુદાનો અઝાબ આવશે.” આ માણસ માટે શરીઅત શું કહે છે ? આવો માણસ કેવો કહેવાય ?
જવાબ : હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન બતાવી મુસલમાનોની કસરત (વધુ સંખ્યા)ને બરબાદીનું કારણ બતાવવું ઘણું જ ભૂલ ભયુઁ અને ભયાનક ગુમરાહી છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઇર્શાદાતથી તો એવા સંકેત મળે છે કે મુસલમાનોની કસરત (વધુ સંખ્યા) વખાણપાત્ર, ઇચ્છનીય અને હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના માટે કિયામતમાં બાઈસે ફખ્ર (ગર્વપાત્ર)છે.
“સુનને અબૂ દાઉદ શરીફ” અને “દલાઈલુન્નુબુવ્વત”માં હઝરત સવબાન રદિયલ્લાહુ અન્હુથી હદીસ આ પ્રમાણે છે કે : હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું કે : “તે સમય નઝદીક છે કે કાફિર અને ગુમરાહ જમાઅતો તમારા (મુસલમાનો)થી લડાઈ કરવા માટે પરસ્પર એક બીજાને આમંત્રણ આપશે, જેમ કે ખાવું ખાનારાઓની જમાઅત પરસ્પર એક બીજાને પોતાના પ્યાલા તરફ આમંત્રિત કરે છે.” એક સહાબી (રદિ.)એ પૂછયું કે : “શું તે સમયે અમારી સંખ્યા થોડી હોવાના કારણે આવું બનશે ?”તો હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ જવાબ આપ્યો કે :“નહિ, બલ્કે તમો તે સમયમાં કસરતથી (મોટી સંખ્યામાં) હશો, પરંતુ તમો (પાણીની) રેલના ફીણ અને કાંપની જેમ (વજન વિહીન) હશો અને અલ્લાહ તઆલા તમારા દુશ્મનોના દિલોમાંથી તમારી હૈબત અને બીક કાઢી નાંખશે અને તમારા દિલોમાં “વહન” નાંખી દેશે.”એક સહાબી (રદિ.)એ પૂછયું કે :“હે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ¦ “વહન” શું વસ્તું છે ?” આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ જવાબ આપ્યો કે :“દુનિયાની મુહબ્બત અને મૌતથી નફરત.” [“મિશ્કાત શરીફ” : ૪પ૯]
કોઈ પણ વાતને ગમે તેમ વગર તહકીકે હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની તરફ નિસ્બત કરી આપવી મોટો ગુનોહ છે. આવા માણસે અલ્લાહ તઆલાથી તવબહ કરવી જોઈએ.
“બુખારી શરીફ”માં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે :“જે માણસ જાણી બુઝીને મારા તરફ કોઈ જૂઠ ઘડી કાઢીને નિસ્બત કરી આપે તે પોતાનું ઠેકાણું આગને બનાવી લે, એટલે કે તેનું ઠેકાણું આગ છે.” [“મિશ્કાત શરીફ” : ૩ર]
હાં, અમલ બગાડથી તકલીફો આવવી એ પ્રમાણેનો મઝમૂન કુર્આન અને હદીસથી સાબિત છે.
Log in or Register to save this content for later.