Chapter : કુફ્ર અને શિર્ક
(Page : 82 to83)
[૧ર] હિંદૂ થઈ જઈશ બોલવાનો હુકમ
સવાલ : પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો, પતિ ઝગડાની વચ્ચે આ શબ્દો બોલ્યો કે, “હું હિંદૂ થઈ જઈશ” તો આ શબ્દોનો શું હુકમ છે ?
જવાબ : જે મર્દનો પોતાની ઓરત સાથે ઝગડો થયો અને ઉગ્ર રૂપ ધારણ કરતાં પતિ એવા શબ્દો બોલ્યો કે,“હું હિંદૂ થઈ જઈશ”એ ઘણા ખતરનાક શબ્દો કહેવાય. મુસલમાને આવા શબ્દો બોલવાથી ખૂબ જ બચવું જોઈએ અને ભૂલથી તથા વાસ્તવિક ઈરાદા વગર પણ આવા શબ્દો ઉચ્ચારવા ન જોઈએ અને હાલ આવા શબ્દો બોલવા બદલ સાચા દિલથી તવબહ અને ઇિસ્તગફાર કરવો જોઈએ અને આવા શબ્દો બોલવાથી આ પુરુષની પત્નીને પોતાના પતિનો દીન બરબાદ થવાનો જે ભય ઉત્પન્ન થયો છે, અને પરસ્પર નિકાહ તૂટી જવાની જે શકયતા સમજાઈ છે તે ભય અને શકયતાના વારણ માટે અને શરીઅતના એહતિયાતી હુકમને અનુસરવા માટે આ પતિ પત્નીને મહરનું કોઈ પ્રમાણ નકકી કરી બે મુસ્લિમ ગવાહોની રૂબરૂ નવેસરથી નિકાહ પઢી લેવા જોઈએ. નિકાહનું નવીકરણ એ મોટા મોટા બૂઝૂગૌંનો અમલ છે, માટે તેમાં બંને પક્ષાોએ કોઈ સંકોચ અનુભવવાની જરૂરત નથી. પતિ આવા શબ્દો બોલવાથી તવબહ-ઇિસ્તગફાર કરે અને પતિ-પત્ની બન્ને રાજીખૂશીથી નિકાહની તજદીદ (નવીકરણ) કરી સુખ-શાંતિથી રાબેતા મુજબ પોતાનું લગ્ન જીવન શરૂ કરે એ ખૂબ જ હિતાવહ છે અને એક બીજાને દીની જીવન ગુજારવા સહાયરૂપ બનવા સમાન છે. [“શામી”, ભાગ : ૧ / ૩] Log in or Register to save this content for later.