Chapter : કુફ્ર અને શિર્ક
(Page : 97 to 98)
[ર૪] મઝાકીને ફિત્નાનું મૂળ કહેવું
સવાલ : હું એક મદ્રસામાં તાલીમ હાસિલ કરું છું, એક વેળા ઉસ્તાદ ન હોવાથી હું કલાસમાં સૂઈ રહ્યો હતો. તો કલાસનાએક છોકરાએ બધાંને બતાવ્યું અને બધાંને હસવા માટે કહેવા લાગ્યો પણ બધાંએ ખાસ ધ્યાન ન આપ્યું. બીજીવાર જયારે આવું થયું ત્યારે હું સુતો ન હતો પણ કંઈક વિચારમાં આંખો બંધ કરી બેઠો હતો ત્યારે પણ એ જ બધાંને બતાવીને હસાવી રહ્યો હતો ત્યારે હું એના પર ગુસ્સે થઈ ગયો અને એની સાથે બોલાચાલી થઈ તે દરમિયાન મારાથી એને ગુસ્સામાં ફિત્નાની જળ કહેવાય ગયું. તો બધા તલબા મને કહેવા લાગ્યા આવું ન બોલવું જોઈએ, કુફ્રિયહ જુમ્લો (વાકય) કહેવાય. તો એક કારણથી મારાથી આ કંઈ ખોટુ તો બોલાયું નથી કારણ કે ઇસ્લામમાં દરેક ગુનાહને ફિત્નો કહેવામાં આવે છે. અને બીજાને હસાવવું અને હસવું પણ એક ગુનોહ છે. તો એ કારણે જો મેં એને ફિત્નાની જળ કહ્યું તો એ સહીહ છે કે ગલત છે ?
જવાબ : ફસાદી માણસ જે ભોળા માણસને તકલીફ આપે, સતામણી ઉપર બીજાઓને ઉભારે, આપસમાં ઝઘડો કરાવવાની હરકતો કરે, તેને ફિત્નાની જળ કહેવું એ કુફ્રિયહ કલિમહ નથી.
હઝરત મુઆઝ (રદિ.)એ એક વાર ઈશાની નમાઝમાં લાંબી કિરાઅત પઢી જેનાથી એક સહાબી (રદિ.)એ જમાઅત છોડી દીધી અને જમાઅતથી તોડ થયો તો આપ (સલ.)એ હઝરત મુઆઝ (રદિ.)ને ફત્તાન કહ્યા એટલે કે લોકોને જમાઅતથી અલગ રહેવાના અને વિવાદના ફિત્નામાં નાખનારા ફરમાવ્યા.
માલૂમ પડયું કે લોકોમાં બેચેની અને તોડ પેદા કરનારને ઝગડો કરાવનારને ફિત્નો કરાવનાર કહેવું કુફ્રિયહ કલિમહ નથી. [“અશિઅ્અહ” : ૧ / ૩૭૮, “મિકર્ાત” : ર / ર૯૧] Log in or Register to save this content for later.