Chapter : કુફ્ર અને શિર્ક
(Page : 94 to 96)
[ર૧] નમાઝની સૂચના પર નમાઝ પઢવાથી ઈન્કારનો હુકમ
સવાલ : એક ભાઈની શાદી આજથી પ-૬ વર્ષ પહેલાં થઈ હતી. બન્ને મિયાં-બીવી સાથે રહે છે. તેઓ શાદી બાદ આફ્રિકામાં સાથે હતા. ત્યાર બાદ છેલ્લા બે વર્ષથી અમેરીકામાં રહે છે. ઓરત પહેલાંથી નમાઝમાં સુસ્તી કરતી હતી. જેટલું દબાણ કરે એટલીવાર નમાઝ પઢે. જયારે શોહર ના હોય ત્યારે જરા પણ નમાઝ ન પઢે. એ ભાઈ પોતે ઘરમાં તઅલીમ પણ કરે છે. છતાં પણ કોઈ ફર્ક નથી પડતો. અમુક વખત નમાઝ માટે ઉઠાડે તો બે મિનીટમાં વુઝૂ અને નમાઝ પૂરી કરી લે છે. (જાણી જોઈને) અને ઘણી વખત તો નમાઝ પઢવાનું પણ ના પાડી દે છે. “જા, નથી પઢવાની” તો આવી હાલતમાં નમાઝનો ઈનકાર કરવાથી કાફિર તો નથી બની જતી ? અને આવી ઓરતને શરીઅતની દ્રિષ્ટએ છુટી કરવી જાઈઝ છે નહિ ?
જવાબ : શોહરની નમાઝ પઢવાની સૂચનાના જવાબમાં ઓરતે નમાઝ પઢવાનું ના કહેવાથી ઓરત કાફિર નહિ કહેવાય, કારણ કે નમાઝ પઢવાનો ઈન્કાર નાપાકીના કારણે અથવા પતિના હુકમથી પઢવાનો ઈન્કાર પણ થઈ શકે છે. અને બદઅમલી અને ફાસિક હોવાના કારણે પણ હોઈ શકે છે. અલબત્ત જો પોતાના ઉપર નમાઝ ફર્ઝ ન હોવાના અર્થમાં ઈન્કાર કરે તો કાફિર થઈ જશે. પરંતુ ઓરતના મજકૂર વાકયમાં એવી કોઈ છણાવટ નથી, એટલે તે કાફિર નહિ ગણાય.
[“આલમગીરી”, : ર / ર૬૮, “ફતાવા મહમૂદિય્યહ”, : ૧૦ / ૬ર]
ઓરત માટે નમાઝ વિશે આવો જવાબ આપવો જાઈઝ નથી અને શોહરના કહ્યા વગર પણ પોતે નમાઝ પઢવાની ફિક્ર કરવી જરૂરી છે. કુર્આન-હદીસમાં નમાઝ ન પઢનાર માટે ખૂબ સખત વઈદો આવેલી છે અને નમાઝને ઈમાનની નિશાની બતાવવામાં આવી છે. માટે જ અમુક ઉલમાએ કિરામ જાણી બુઝીને નમાઝ છોડનારને મુસલમાન ગણતા નથી.
પતિએ પોતાની યથાશિકત ઓરતને નમાઝની પાબંદ બનાવવાની કોશિશ કરતાં રહેવું જોઈએ. જો કોશિશ કરવા છતાં અને સમજાવવા છતાં ન માને તો તલાક આપવી જરૂરી તો નથી. પરંતુ તેના નમાઝ ન પઢવાના કારણે તેણીથી નફરત થઈ જાય તો તલાક આપવી જાઈઝ છે. નમાઝ ન પઢવાના કારણે તલાક આપવાથી કોઈ ગુનાહ લાગુ નહિ પડે.
[“નફઉલ્ મુફતી” : ૧૦૩, “શામી” : ર / ૪૧૬ : પ / ર૭૪, “ફતાવા મહમૂદિય્યહ” ભાગ : ૪/૧૩૭] Log in or Register to save this content for later.