Chapter : કુફ્ર અને શિર્ક
(Page : 96 to 97)
[રર] સજાના ડરથી વુઝૂ વગર નમાઝ
સવાલ : એક તાલિબે ઇલ્મ જે શાદી શુદહ છે મદ્રસા બોડીઁગમાં રહે છે. મદ્રસામાં જમાઅતની તાકીદ હોય છે, એના માટે સુપરવાઈઝર પણ રાખવામાં આવે છે. આ તાલિબે ઇલ્મ હદષની હાલતમાં હતો અને સુપરવાઈઝરની રેડ પડી એટલે જમાઅતમાં શામિલ થઈ ગયો તો આ રીતે હદષી કે જાહેરી નાપાકી બદન કે કપડાંની હોવા છતાં કોઈ નમાઝ પઢી લે તો એ રીતે નમાઝ પઢવી કેવી છે, એ ગુનેહગાર ગણાશે કે નહિ ? એનું ઈમાન બાકી રહેશે કે નહિ ? જો ઈમાન બાકી ના રહે તો એણે નિકાહ કરેલ છે એ નિકાહ બાકી રહેશે કે એણે નવેસરથી નિકાહ પઢવા પડશે ?
જવાબ : નમાઝ માટે નમાઝીના શરીરનું નજાસતે હુકમિય્યહ (હદસ)થી અને નજાસતે હકીકિય્યહના અવરોધ રૂપ પ્રમાણથી શરીર અને કપડાંનું પાક હોવું ફર્ઝ અને શર્ત છે. પૂછેલી સૂરતમાં સુપરવાઈઝરની સજાના ડરના કારણે હદસની હાલતમાં અથવા શરીર કે કપડાં ઉપર અવરોધ રૂપ પ્રમાણમાં હકીકી નાપાકી લાગેલી હોવાની હાલતમાં ઈરાદાપૂર્વક વિના તહારતે નમાઝ પઢવી નાજાઈઝ અને હરામ છે. અને તેવી હાલતમાં નમાઝ પઢવાથી તે તાલિબે ઈલ્મ ગુનેહગાર ગણાશે. તેણે તહારત હાસિલ કરીને તે નમાઝ ફરી પઢવી ફર્ઝ છે અને નાપાકીની હાલતમાં નમાઝ પઢવા બદલ તવબહ-ઈિસ્તગફાર કરવો જોઈએ. [“શામી”, ભાગ : ૧ / ર૬૯]
પૂછેલી સૂરતમાં સુપરવાઈઝરની સજાના ડરના કારણે ઈરાદાપૂર્વક હદસની જાણ હોવા છતાં હદસની હાલતમાં નમાઝપઢવાથી નમાઝ પઢનાર ઈમાનથી ખારિજ નહિ થાય અને કાફિર નહિ બની જાય કારણ કે તેણે તહારતના હુકમની અથવા નમાઝની મઝાક અને ઠેકડી ઉડાવવાના હેતુથી અથવા તેની તવહીન અને બેઅદબી કરવાના હેતુથી આ કામ નથી કયુઁ બલ્કે સુપરવાઈઝરની સજાના ડરથી આવું નાજાઈઝ કામ કયુઁ છે. વિના તહારતે નમાઝ પઢવાથી માણસ ત્યારે ઈમાનથી ખારિજ અને કાફિર થઈ જાય છે જયારે તે કોઈ ઉઝર વગર તહારતના હુકમની અથવા નમાઝની માત્ર મઝાક ઉડાવવાના હેતુથી અને તેની તવહીનના હેતુથી ઈરાદાપૂર્વક નાપાકીની હાલતમાં નમાઝ પઢે અને આવી સૂરતમાં તેણે તવબહ કરી, કલિમહ પઢી નવેસરથી ઈમાનમાં દાખલ થવું પડશે અને નવેસરથી નિકાહ પણ પઢવા પડશે.[“શામી” : ૧ / પપ] Log in or Register to save this content for later.