[૯] જહાલતમાં કુફ્રિયહ શબ્દો

Chapter : કુફ્ર અને શિર્ક

(Page : 76)

[૯] જહાલતમાં કુફ્રિયહ શબ્દો

સવાલ  : એક માણસ મહોલ્લા તરફ જતો હતો અને અઝાન થતી હતી. એક બહેને  તેને કહ્યું કે, “ભાઈ અઝાન થાય છે, તમારે નમાઝ પઢવા નથી જવું ?” તો તેણે જવાબમાં કહયું કે,“નમાઝ પઢવાથી કોનું ભલું થયું છે ?” તો આવા શબ્દો બોલવાથી માણસ ઇસ્લામથી નીકળી જાય કે નહિ ? જો આવું બોલનાર ઇસ્લામથી નીકળી જતો હોય તો તેના નિકાહ બાકી રહેશે કે નહિ ? અને ઇસ્લામમાં ફરી દાખલ થવા માટે તેણે શું વિધિ કરવી પડશે ? આવું બોલનાર માણસ જમાઅતમાં ગયો ત્યારે તેને ખબર પડી કે ઇસ્લામના વિરુદ્ઘ શબ્દો બોલવાથી માણસ ઈમાનથી મહરૂમ થઈ જાય છે.

જવાબ  :  મજકૂર શબ્દો કુફ્રિયહ છે,જે મુસલમાન માણસ (નઊઝુ બિલ્લાહ) આવા શબ્દોને કુફ્રના શબ્દો જાણવા છતાં ઈરાદાપૂર્વક બોલે અથવા હાંસી-મઝાકમાં બોલે તો તે ઈમાનથી નીકળી જાય છે અને તેના નિકાહ તૂટી જાય છે. તેણે આવા શબ્દો બોલવાથી તવબહ કરી ફરીવાર કલિમએ શહાદત પઢી ઇસ્લામમાં દાખલ થવું જોઈએ અને તે પછી મહર નકકી કરી ગવાહોની રૂબરૂ પોતાની ઓરતથી ફરીવાર નિકાહ પઢવા જોઈએ.

                અને જે માણસ આ શબ્દોનું કુફ્રિયહ શબ્દો હોવું અને તેના બોલવાથી ઈમાનથી નીકળી જવું અને કાફિર થઈ જવું નથી જાણતો, તેવો જાહિલ અને અભણ મુસલમાન માણસ જો આવા શબ્દો પોતાની અભણતા અને અજ્ઞાનતાના કારણે બોલી જાય તો તેના કાફિર થવામાં અને ઈમાનથી નીકળી જવામાં ફુકહાએ કિરામ (રહ.)નો મતભેદ છે.

                આવા જાહિલ માણસ માટે પણ એહતિયાતની વાત એ જ છે કે તવબહ કરી ફરી વાર કલિમો પઢે અને પોતાની ઓરતથી ઉપર મુજબ ફરીવાર નિકાહ પઢી લે. (“શામી” ૩/ર૮૯, “બહર” ભાગ પ/૧રર, “માલાબુદ્દ” પાનું ૧૩પ)

Log in or Register to save this content for later.