[૬] અલ્લાહ તઆલાની શાનમાં ગુસ્તાખી કુફ્ર છે

Chapter : અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા

(Page : 74)

[૬] અલ્લાહ તઆલાની શાનમાં ગુસ્તાખી કુફ્ર છે

સવાલ  :  એક બાઈ તેના સાસરે હતી ત્યારે તે બાઈના ખાવિંદ ગુસલ કરીને તૈયાર હતા. તે વખતે બાઈએ તેમના ખાવિંદને ફજરની નમાઝ પઢી લેવા કહ્યું તો તેમના ખાવિંદે જવાબ આપ્યો કે મારે નમાઝ નથી પઢવી, તું તારું સંભાળ. હું નમાઝ નથી પઢતો છતાં કેવો છું ? (મતલબ કે તંદુરસ્ત છું) અને તું નમાઝ પઢે છે છતાં તારો અલ્લાહ તને કેમ સાજી રાખતો નથી ? તું કેમ બીમાર રહે છે? અને બાઈના કહેવા મુજબ બાઈના ખાવિંદ ઘણી વખત આવું બોલતા હતા કે: હું અલ્લાહના ઘરે જઈશ ત્યારે અલ્લાહથી લડાઈ કરીશ, અલ્લાહને બે લાફા મારીશ અને કહીશ કે મારી બૈરીને સાજી કરી દે. બાઈને પિયર આવ્યે ત્રણ સાલ જેવો સમય થઈ ગયો છે. હવે બાઈને તેના ખાવિંદ પાસે મોકલવા વિશે શરીઅતનો શું હુકમ છે ?

 જવાબ : મજકૂર ખાવિંદના અલ્લાહ તઆલાની શાને આલીમાં આવા ગુસ્તાખી અને અપમાનજનક શબ્દો ઉચ્ચારવાથી તે ઈમાનથી નીકળી ગયો છે અને તેની ઓરત સાથેના નિકાહ તૂટી ગયા છે. મજકૂર માણસે આવા શબ્દોથી તવબહ-ઇિસ્તગ્ફાર કરવા જોઈએ અને ફરીથી કલિમહ પઢી ઈમાનમાં દાખલ થવું જોઈએ અને ત્યાર પછી પોતાની ઓરતથી ફરીવાર નિકાહ પઢવા જોઈએ,આ બધી કાર્યવાહી વગર ઓરતને તેના મજકૂર પતિના ઘરે મોકલવી નાજાઈઝ અને હરામ છે.

Log in or Register to save this content for later.