[૬૩] હઝરત દાનયાલ (અલૈ.)નું નબી હોવું

Chapter : હઝરાત અમ્બિયાએ કિરામ અલયહિમુસ્સલામ

(Page : 182)

સવાલ : હઝરત દાનયાલ અલયહિસ્સલામ જેઓ બની ઇસરાઈલમાં નબી આવેલા અને કેદ કરવામાં આવેલા ત્યાર બાદ તે રાજયના રાજાને એક ખ્વાબ આવેલો જેની તાબીર હઝરત દાનયાલ અલયહિસ્સલામે બતાવેલી, ત્યાર બાદ તેમને અને તેમના અનુયાયીને છોડી મૂકવામાં આવેલા. તો હઝરત દાનયાલ અલયહિસ્સલામનું નબી હોવું કુર્આન શરીફથી સાબિત છે કે હદીસ શરીફથી.

છોકરાનું નામ રાખવા અંગ્રેજીમાં દાનયાલની સ્પેિલગ કેવી રીતે કરવી ?

જવાબ : હઝરત દાનયાલ અલયહિસ્સલામનું નબી હોવું કુર્આન શરીફથી અને કોઈ સહીહ મરફૂઅ હદીસ એટલે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના વિશ્વાસપાત્ર ફરમાનથી સાબિત હોય એવું અહકરની જાણમાં નથી . તારીખની મુઅતબર કિતાબોમાં તેઓના નબી હોવા , ન હોવાના બે મંતવ્યો બતાવવામાં આવ્યા છે.  [“અલ્ બિદાયહ” : ર / ૪૦]

અંગ્રેજીમાં દાનયાલ આ પ્રમાણે Danyal લખવું યોગ્ય જણાય છે.

Log in or Register to save this content for later.