Chapter : હઝરાતે અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ)
(Page : 169 to 182)
[૬ર] હઝરત ઈસા (અલયહિસ્સલામ) આસમાન પર હયાત છે
સવાલ : અમારે ત્યાં પ્રગટ થતાં “નયા પડકાર” નામી અખબારમાં તા. ૭-૬-ર૦૦૦ મંગળવારના રોજ રૂપિયા એક કરોડના ઈનામના હેડીગ સાથે આ પ્રમાણે જાહેરાત છપાઈ છે કે :
“મુસલમાન ભાઈ જે હઝરત ઈસાને આસમાન પર જિન્દા માને છે, અગર એ એમને આસમાનથી જીવતા નીચે લાવે તો લાવવાવાળાને રૂપિયા એક કરોડનું ઈનામ આપવામાં આવશે, જયારે કે અમારો આ દાવો છે કે કુર્આનમાં હઝરત ઈસાની વફાત લખેલી છે.”
આપનાથી ગુઝારીશ છે કે હઝરત ઈસા (અલયહિસ્સલામ) વિષે મુલમાનોનો જે અકીદો છે, તેની કુર્આન-હદીસની રોશનીમાં વિગતવાર છણાવટ કરશો.
જવાબ : કુર્આને મજીદ અને હદીસ શરીફને ઇસ્લામી અકીદાઓ અને અહકામનો અતિ વિશ્વસનીય અને અત્યંત આધારભૂત સંગ્રહ અને મૂળ ગ્રહણ સ્થાન માનનાર હઝરાત સહાબએ કિરામ (રદિયલ્લાહુ અન્હુમ)ના સોનેરી યુગથી આજના આપણાં વર્તમાન યુગ સુધી જગતના સમગ્ર મુસ્િલમોનો આ મજબૂત અકીદો છે કે હઝરત મસીહ ઈસા બિન મરયમ (અલયહિસ્સલામ) વિશે જયારે યહૂદીઓએ હત્યાનું કાવતરું ઘડયું તો અલ્લાહ તઆલાએ યહૂદીઓના હત્યા પ્રયાસને નિષ્ફળ બનાવીને અને હત્યાથી બચાવીને હઝરત ઈસા (અલયહિસ્સલામ)ને જીવંત હાલતમાં આસમાન પર ઉઠાવી લીધા અને હાલ પણ તેઓ આસમાનમાં જીવંત છે અને કિયામત નજીક તેઓ આસમાનથી જમીન પર નુઝૂલ (અવતરણ) ફરમાવશે અને આ અકીદો કુર્આન મજીદની અનેક આયતો અને સંખ્યાબંધ હદીસોથી તથા સહાબએ કિરામ, તાબિઈને ઈઝામ (રદિયલ્લાહુ અન્હુમ)ની રિવાયતોથી અને તફસીર, હદીસ અને ફિકહના નિપૂણ ઉલમાએ રબ્બાની અને અઈમ્મએ હકકાની (રહમતુલ્લાહિ અલયહ)ના સર્વ સંમત મંતવ્યોથી સાબિત છે.
પહેલી અને બીજી આયત :
અલ્લાહ તઆલા ફરમાવે છે,
وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَكِنْ شُبِّهَ لَهُمْ(سورۃالنساء ،آیت 157)
અર્થ : યહૂદીઓએ ન ઈસા (અલયહિસ્સલામ)ને કતલ કર્યા અને ન તેઓને ફાંસી આપી, પરંતુ તેઓ શંકામાં પડી ગયા અને જે (અહલે કિતાબ) લોકો હઝરત ઈસા (અલયહિસ્સલામ)ના બારામાં મતભેદ કરે છે તેઓ ખોટા ખયાલમાં ફસાયેલા છે, તેઓની પાસે એ (ફાંસી આપવાની) વાતની કોઈ સહીહ દલીલ નથી, માત્ર અનુમાન અને અંદાજી વાતો પર ચાલે છે અને એ યકીની વાત છે કે યહૂદીઓએ હઝરત ઈસા (અલયહિસ્સલામ)ને કતલ નથી કર્યા. (જેમ કે તેઓનો દાવો છે) બલ્કે અલ્લાહ તઆલાએ હઝરત ઈસા (અલયહિસ્સલામ)ને પોતાની તરફ (એટલે આસમાન પર) ઉઠાવી લીધા છે (અને બીજા એક માણસને તેઓનો હમશકલ (સમરૂપ) બનાવી દીધો અને તેને ફાંસી આપી મારી નાંખવામાં આવ્યો અને આ જ કારણથી યહૂદીઓ શંકામાં પડી ગયા અને આ શંકાના કારણે અહલે કિતાબમાં મતભેદ થયો) અને અલ્લાહ તઆલા મહાન શકિતશાળી અને હિકમતવાળા છે (કે પોતાની કુદરત અને હિકમતથી હઝરત ઈસા (અલયહિસ્સલામ)ને બચાવી લીધા અને આસમાન પર ઉઠાવી લીધા). (“ખુલાસએ તફસીર-મઆરિફુલ કુર્આન” ર / ૬૦૦)
આ આયતે કરીમામાં સ્પષ્ટ શબ્દોમાં યહૂદીઓના આ દાવાનું ખંડન છે કે અમોએ મસીહ ઈસા બિન મરયમની હત્યા કરી દીધી છે અને એ વાતનું વર્ણન છે કે અલ્લાહ તઆલાએ હઝરત ઈસા (અલયહિસ્સલામ)ને યહૂદીઓના હત્યા પ્રયાસથી બચાવીને સહીહ સાલિમ પોતાની તરફ ઉઠાવી લીધા. હઝરત ઈસા (અલયહિસ્સલામ)ના જીવંત હાલતમાં આસમાન પર ઉઠાવી લેવાયાની આથી વધુ સ્પષ્ટ કઈ દલીલ હોય શકે ?
ત્રીજી આયત :
وَإِنْ مِنْ أَهْلِ الْكِتَابِ إِلَّا لَيُؤْمِنَنَّ بِهِ قَبْلَ مَوْتِهِ (سورۃالنساء،اآیت:159)
અર્થ : અને અહલે કિતાબનો કોઈ પણ માણસ બાકી નહિ રહે, પરંતુ તે હઝરત ઈસા (અલયહિસ્સલામ)ની વફાત પહેલાં તેઓ ઉપર અવશ્ય ઈમાન લઈ આવશે.
સહાબએ કિરામ અને તાબિઈને ઈઝામ (રદિ.)ની એક મોટી જમાઅતે આ આયતની જે તફસીર કરી છે અને સહીહ હદીસથી પણ તેને સમર્થન મળે છે, તે આ પ્રમાણે છે કે “મિવ્તહિ”ની ઝમીરથી હઝરત મસીહ (અલૈ.) મુરાદ છે અને આયતનો ભાવાર્થ આ છે કે,
આ (વર્તમાન યુગના) અહલે કિતાબ ચાહે અત્યારે હઝરત ઈસા (અલૈ.) પર ઈમાન નથી લાવતા, યહૂદ તો આપને નબી માનતા જ નથી બલ્કે (અલ ઈયાઝુ બિલ્લાહ) તેઓને જૂઠ ઘડનાર અને જૂઠા ઠરાવે છે અને નસારા ચાહે તેઓ પર ઈમાન લાવવાનો દાવો કરે છે, પરંતુ તેઓમાંથી અમુક તો પોતાની જહાલતમાં અહીયા સુધી પહોંચી ગયા કે યહૂદની જેમ હઝરત ઈસા (અલૈ.)ને વધિત અને ફાંસી પામેલ કહે છે અને અમુક માન્યતામાં એટલી હદે પહોંચી ગયા કે તેઓને ખુદા અને ખુદાનો દીકરો સમજવા લાગ્યા. કુર્આન કરીમની આ આયતમાં બતાવાયું છે કે આ લોકો અત્યારે ચાહે હઝરત ઈસા (અલૈ.)ની નુબુવ્વત પર સહીહ ઈમાન નથી ધરાવતા, પરંતુ કિયામત નજીક જયારે તેઓ હઝરત ઈસા (અલૈ.) આ જમીન પર ફરી ઊતરશે તો આ બધા અહલે કિતાબ તેઓ પર સહીહ રીતે ઈમાન લઈ આવશે, નસારા તો બધા જ સહીહ માન્યતા સાથે મુસલમાન થઈ જશે અને યહૂદમાંથી જે (તે વખતે) વિરોધ કરશે તેને કતલ કરી દેવામાં આવશે અને બાકીના મુસલમાન થઈ જશે, તે વખતે કુફ્ર પોતાના તમામ પ્રકારો સાથે દુનિયાથી નાબૂદ કરી દેવાશે અને આ જમીન પર માત્ર ઈસ્લામનું શાસન હશે.
હઝરત અબૂ હુરૈરહ (રદિ.) એક હદીસ નકલ કરે છે કે હઝરત નબી કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,
“હઝરત ઈસા બિન મરયમ (અલૈ.) એક ન્યાયી હાકિમ બનીને જરૂર
ઊતરશે, તેઓ દજજાલ અને સુવ્વરને કતલ કરી આપશે, સલીબ
(ક્રોસ)ને તોડી નાંખશે અને તે વખતે માત્ર એક અલ્લાહ
તઆલાની જ ઇબાદત થશે…..”
આ હદીસ બયાન કર્યા પછી હઝરત અબૂ હુરૈરહ (રદિ.)એ ફરમાવ્યું કે,
“જો તમો (આ વાતની પુષ્ટિ) ચાહો તો કુર્આન કરીમની આ આયત પઢો :
وَإِنْ مِنْ أَهْلِ الْكِتَابِ إِلَّا لَيُؤْمِنَنَّ بِهِ قَبْلَ مَوْتِهِ (سورۃالنساء،اآیت:159)
અને હઝરત અબૂ હુરૈરહ (રદિ.)એ “કબ્લ મિવ્તહિ”ની તફસીર કરતાં ફરમાવ્યું કે,
“હઝરત ઈસા (અલૈ.)ની મવ્તથી પહેલાં અને આ શબ્દો આપે ત્રણ વાર લોટાવ્યા.” (“કુર્તુ”)
(આ હદીસ થોડા તફાવત અને તફસીલ સાથે સહીહ બુખારી અને સહીહ મુસ્લિમ શરીફમાં પણ મનકૂલ છે.)
ઉપરોકત આયતની તફસીર એક સહીહ હદીસથી અને એક મહાન સહાબી હઝરત અબૂ હુરૈરહ (રદિ.)થી સાબિત છે, જેમાં “કબ્લ મિવ્તહિ”નો મતલબ હઝરત ઈસા (અલૈ.)ની મવ્તથી પહેલાં હોવાનો બયાન કર્યો છે. જેનાથી આ આયતનો મતલબ સ્પષ્ટ રીતે એ નકકી થઈ ચૂકયો છે કે આ આયત કિયામત નજીક હઝરત ઈસા (અલૈ.)ના આસમાનથી નાઝિલ થવા બાબત છે. હદીસ આધારિત આ ચોકકસ તફસીર મુજબ આ આયતમાં એ વાતનું ચોખ્ખું વર્ણન છે કે હઝરત ઈસા (અલૈ.) હજુ સુધી વફાત પામ્યા નથી, બલ્કે કિયામતના નજીક જયારે તેઓ આસમાનથી ઊતરશે અને તેઓના અવતરણથી અલ્લાહ તઆલાની જે હિકમતો સંબંધિત છે તે પૂરી થઈ જશે ત્યારે આ ધરતી પર જ તેઓ વફાત પામશે. (“મઆરિફુલ કુર્આન” : ર/૬૦૪)
અને આ મસ્અલો કોઈ કયાસી (અનુમાન આધારિત) મસ્અલો નથી, કારણકે હઝરત અબૂ હુરૈરહ (રદિ.)ની આ તફસીર હદીસે નબવીનો હુકમ ધરાવે છે, માટે આ માત્ર હઝરત અબૂ હુરૈરહ (રદિ.)નું તફસીરી મંતવ્ય નહિ ગણાય બલ્કે પોતે સાહિબે વહી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી મળેલી તફસીર ગણાશે અને એનાથી વિરુદ્ઘ કોઈ પણ ઈન્સાનની તફસીરને માનવાપાત્ર નહિ કહી શકાય.
સલફે સાલિહીનમાંથી મહાન મુફિસ્સરો (રહ.)એ પણ હઝરત ઈસા (અલૈ.)ના આસમાનથી ઉતરવાના મસ્અલાની દલીલ રૂપે ઉકત આયતે કરીમાને જ પેશ ફરમાવી છે. માટે જુઓ અલ્લામહ શઅરાની (રહ.) પોતાની કિતાબ “અલ્ યવાકીત વલ્ જવાહિર” ર / રર૯ માં લખે છે :
“અગર કોઈ માણસ હઝરત ઈસા (અલૈ.)ના આસમાનથી ઊતરવાની દલીલ કુર્આન મજીદથી માંગે તો જવાબમાં આ આયત, “વ ઈંમ્મિન્ અહલિલ્ કિતાબિ”ને નુઝૂલે ઈસા (અલૈ.)ના મસ્અલહની દલીલ રૂપે પેશ કરવામાં આવશે.” (“હુસૂલુલ્ અમાની” ૧૩૮)
હાફિઝ ઈબ્ને હજર (રહ.)એ પોતાની મશહૂર શર્હે બુખારી ફત્હુલ બારી ભા. ૬ / ૩પ૭ ઉપર રઈસુલ મુફિસ્સરીન હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.)થી શૈખ ઇબ્ને જરીર તબરી (રહ.)ના હવાલાથી નકલ કરેલ છે કે મજકૂર આયતમાં”કબ્લ મિવ્તહિ”નો મતલબ હઝરત ઈસા (અલૈ.)ની વફાતથી પહેલાં અહલે કિતાબના ઈમાન લાવવાનો છે અને હસન બસરી (રહ.)થી નકલ કરેલ છે કે મજકૂર આયતમાં “કબ્લ મિવ્તહિ”નો મતલબ હઝરત ઈસા (અલૈ.)ની વફાતથી પહેલાં ઈમાન લાવવાનો છે અને ખુદાએ પાકની કસમ હઝરત ઈસા (અલૈ.) હાલ પણ હયાત છે, પરંતુ જયારે તેઓ આસમાનથી ઊતરશે ત્યારે બધા અહલે કિતાબ તેઓ પર ઈમાન લઈ આવશે અને મજકૂર આયતની આવી જ તફસીર મોટાભાગના તફસીર કર્તાઓએ નકલ કરી છે અને ઇબ્ને જરીર (રહ.) વગેરેએ તેને રાજિહ ઠરાવેલ છે. અને શૈખ ઇબ્ને જરીર તબરી (રહ.)પોતાની તફસીરમાં હઝરત કતાદહ (રદિ.) અને અબૂ માલિકથી પણ આ જ પ્રમાણે તફસીર નકલ કરેલ છે.
(“મઆરિફુલ્ કુર્આન ઈદરીસી” ર / ર૦પ )
“તફસીર ઇબ્ને કસીર” અને “તફસીરે દુર્રે મનસૂર” ભાગ. ર પે. ૩૬ ઉપર હઝરત હસન બસરી (રહ.)થી એક મુર્સલ હદીસ નકલ છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ઇર્શાદ ફરમાવ્યો કે,
“હઝરત ઈસા (અલૈ.) હજુ સુધી વફાત પામ્યા નથી અને તેઓ કિયામતથી પહેલાં તમારી તરફ પાછા આવવાના છે.” (“મઆરિફુલ કુર્આન ઈદરીસી” ર / ર૦૪ )
ચોથી આયત :
وَإِنَّهُ لَعِلْمٌ لِلسَّاعَةِ فَلَا تَمْتَرُنَّ بِهَا وَاتَّبِعُونِ(سورۃالزخرف،اآیت :61)
અર્થ : અને હઝરત ઈસા (અલૈ.) કિયામતની એક નિશાની છે, માટે તમે કિયામતના આવવામાં શંકા ન કરો અને મારું કહેવું માનો, આ એક સીધો રસ્તો છે.
જમહૂર હઝરાત મુફિસ્સરીનના મંતવ્ય મુજબ (આ આયતમાં પણ) “વઈન્નહુ” ની ઝમીરથી હઝરત ઈસા (અલૈ.) મુરાદ છે એટલે હઝરત ઈસા (અલૈ.) બેશક કિયામતના માટે એક નિશાની છે અને એનો ભાવાર્થ (કિયામતથી પહેલાં) તેઓનું આસમાનથી જમીન પર ઊતરવું છે, તો તેઓના આ અવતરણને કિયામતની નિશાનીઓ પૈકી એક મહાન નિશાની બતાવવામાં આવી છે.
તર્જુમાને કુર્આન હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ, અબૂ હુરૈરહ, અબુલ આલિયહ, અબૂ માલિક, ઈકરમહ, હસન બસરી, કતાદહ, ઝહ્હાક, મુજાહિદ (રદિ.) અને તફસીરના બધા ઈમામો એ વાત ઉપર સર્વસંમત છે કે “ઈન્નહુ”ની મીરથી હઝરત ઈસા (અલૈ.) મુરાદ છે.
તફસીરે દુર્રે મન્સૂરમાં હઝરત મુજાહિદ (રહ.)થી નકલ છે કે કિયામતની નિશાની હઝરત ઈસા (અલૈ.)નું કિયામતથી પહેલાં આવવું છે. હાફિઝ ઈબ્ને કસીર (રહ.) ફરમાવે છે કે,
“આ જ તફસીર સહીહ છે, જાહેર છે કે કોઈ સહાબીથી જયારે આથી વિરુદ્ઘ કોઈ તફસીર મનકૂલ નથી તો આવી સૂરતમાં હિબ્રે ઉમ્મત અને બહરે ઉમ્મત, તર્જુમાનુલ કુર્આન હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.)ની તફસીરના મુકાબલામાં બીજી કોઈ તફસીર કબૂલપાત્ર થઈ શકતી નથી.” (“મઆરિફુલ્ કુર્આન ઈદરીસી” ૬ / ર૭૬)
આ આયતમાં એક બીજી કિરાઅત (ઐન અને લામના ઝબર સાથે) “લઅલમુલ્લિસ્સાઅતિ” પણ મનકૂલ છે અને આ બીજી કિરાઅતથી આયતનો મજકૂર ભાવાર્થ [કે કિયામતથી પહેલાં હઝરત ઈસા (અલૈ.)નું આસમાનથી જમીન પર ઊતરવું એ કિયામતની નિશાની છે.] વધુ સ્પષ્ટ થઈ જાય છે કારણકે “અલમ”નો અર્થ જ નિશાની થાય છે.
હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.)થી “વઈન્નહુ લઈલ્મુલ્લિસ્સાઅતિ”વિશે આ પ્રમાણે તફસીર નકલ છે કે એનાથી હઝરત ઈસા (અલૈ.) મુરાદ છે જેઓ કિયામતથી પહેલાં પધારશે. (“ઈબ્ને કસીર”)
ખુલાસો આ છે કે (ત્રીજી આયતમાં) “કબ્લ મિવ્તહિ”ની સાથે જયારે હઝરત અબૂ હુરૈરહ (રદિ.)ની સહીહ હદીસ સાથે આ તફસીરને શામેલ કરવામાં આવે તો એનાથી સ્પષ્ટ રીતે હઝરત ઈસા (અલૈ.)નું હાલ પણ જીવંત હોવું અને પછી કિયામત નજીક આસમાનથી ઊતરીને યહૂદીઓ પર સંપૂર્ણ કાબુ પામવો સાબિત થાય છે.
એવી જ રીતે હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.)ની ઉકત તફસીર મુજબ આ આયત “વઇન્નહુ લઈલ્મુલ્લિસ્સાઅતિ”થી પણ આ (હઝરત ઈસા અલયહિસ્સલામના જીવંત હોવાનો અને કિયામતથી પહેલાં આસમાનથી જમીન પર ઊતરવાનો) મઝમૂન યકીની અને વિશ્વાસપાત્ર બની જાય છે. (“મઆરિફુલ્ કુર્આન” ર / ૬૦૪)
પાંચમી આયત :
وَيُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ وَكَهْلًا وَمِنَ الصَّالِحِينَ(سورۃ اٰل عمران،اآیت:46)
અર્થ : અને તેઓ (હઝરત ઈસા અલયહિસ્સલામ) લોકોથી વાતચીત કરશે ઘોડિયામાં (એટલે બિલકુલ બાળ અવસ્થામાં પણ) અને મોટી ઉમરમાં (પણ બંને વાતચીતમાં તફાવત નહિ હોય) અને નેક લોકોમાંથી થશે.
આ આયતમાં હઝરત ઈસા (અલૈ.)ની એક સિફત આ પણ બતાવવામાં આવી છે કે તેઓ બચપનમાં પારણામાં જયારે કોઈ બાળક વાતચીત કરવાની લાયકાત નથી ધરાવતું તેવી હાલતમાં પણ વાતચીત કરશે, જેવી રીતે કે બીજી આયતમાં વર્ણન છે કે જયારે લોકોએ તેઓની વિલાદત (જન્મ) પછી હઝરત મરયમ (અલૈ.) પર બોહતાન (ખોટો આરોપ) મૂકી લઅનત કરવાનું અને ટીકા કરવાનું શરૂ કયુઁ તો નવજાત શિશુ હઝરત ઈસા (અલૈ.) બોલી ઉઠયા,
ઇન્ની અબ્દુલ્લાહ…
અને આની સાથે એ પણ ફરમાવ્યું કે જયારે તે આધેડ ઉંમરના થશે ત્યારે પણ લોકોથી વાતચીત કરશે. અત્રે આ બાબત વિચાર પાત્ર છે કે બચપનની હાલતમાં વાતચીત કરવી તો એક મોઅજિઝહ અને (સત્યની) નિશાની હતી, માટે તેનું વર્ણન તો યોગ્ય જણાય છે, પરંતુ આધેડ ઉંમરમાં લોકોથી વાતચીત કરવી તો એક એવી વાત છે જે મોમિન, કાફિર, આલિમ, જાહિલ દરેક માણસ સામાન્ય રીતે કર્યા જ કરે છે, અહીયા એ વાતને હઝરત ઈસા (અલૈ.)ના વિશેષ ગુણ તરીકે વર્ણન કરવાનો શું મતલબ હોય શકે છે ?
આ સવાલનો એક જવાબ તો આ છે કે અસલ મકસદ બચપનની વાતચીતના વર્ણન કરવાનો છે, તેની સાથે મોટી ઉંમરની વાતચીતનું વર્ણન એ હેતુથી કયુઁ છે કે તેઓની બાળપણની વાતચીત એવી નહિ હોય જેવી રીતે બીજા બાળકો વાતચીત કરે છે, બલ્કે આપની બાળપણની વાતચીત પણ બુિદ્ઘવાન, જાણકારની વાતચીત જેમ સ્પષ્ટ, સુંદર અને હેતુલક્ષાી હશે જેવી રીતે પ્રોઢવયના માણસો વાતચીત કરે છે અને જો હઝરત ઈસા (અલૈ.)ની પૂરી ઐતિહાસિક ઘટના ઉપર નજર કરવામાં આવે તો અત્રે પ્રોઢવયમાં વાતચીત કરવાનું વર્ણન એક અલગ મહાન મકસદ અને ફાયદા માટે સાબિત થાય છે અને તે મહાન મકસદ અને ફાયદો આ છે કે ઇસ્લામી અને કુર્આની અકીદહ (માન્યતા) મુજબ હઝરત ઈસા (અલયહિસ્સલામ)ને જીવંત હાલતમાં આસમાન પર ઉઠાવી લેવામાં આવ્યા છે.
રિવાયતોથી આ વાત સાબિત થાય છે કે હઝરત ઈસા (અલૈ.)ને આસમાન પર ઉઠાવતી વખતે તેઓની ઉંમર ત્રીસથી પાંત્રીસ વર્ષના વચ્ચે હતી, જે ખાસ નવજવાનીનો સમય હતો. આધેડ વય જેને અરબીમાં “કહલ” કહેવાય છે, તે ઉંમરે આ દુનિયામાં તેઓ હજુ પહોંચ્યા જ ન હતા, માટે આધેડ વયમાં લોકો સાથે તેઓની વાતચીત ત્યારે જ શકય બને કે જયારે તેઓ આ દુનિયામાં ફરીથી પાછા પધારે, એટલે જેવી રીતે તેઓની બાળપણની વાતચીત મુઅજિઝહ રૂપે હતી એવી જ રીતે આધેડવયની વાતચીત પણ મુઅજિઝહ રૂપે જ થશે. (“મઆરિફુલ કુર્આન” ર / ૬૬,૬૭)
“તફસીરે કબીર” ર / ૪૭૪, “તફસીરે ખાઝિન” ર / ર૯૧, “તફસીરે મઝહરી” ર / પ૦ વગેરે અનેક તફસીરોમાં “કહલન”ની તફસીર હઝરત ઈસા (અલયહિસ્સલામ)ના આસમાનથી ઉતરીને આધેડવયે પહોંચીને વાતચીતથી કરવામાં આવી છે.
છઠ્ઠી આયત :
وَمَكَرُوا وَمَكَرَ اللَّهُ وَاللَّهُ خَيْرُ الْمَاكِرِينَ (سورۃ اٰل عمران،آیت:54)
અર્થ : અને યહૂદીઓએ (હઝરત ઈસા અલયહિસ્સાલમને પકડવાની અને કત્લ કરવાની) ગુપ્ત યુક્તિઓ કરી અને અલ્લાહ તઆલાએ (હઝરત ઈસા અલયહિસ્સલામની હિફાઝત અને બચાવની એવી) ગુપ્ત તદબીર ફરમાવી (કે જેની તેઓ કલ્પના પણ ન કરી શકે અને તેઓના ગુમાન અને વિચારોથી પણ બહાર હતી) અને અલ્લાહ તઆલા બધા યુક્તિકર્તાઓથી બેહતર છે. (કારણકે બીજાઓની તદબીરો કમજોર હોય છે અને કદી ખરાબ અને અસ્થાને પણ હોય છે અને અલ્લાહ તઆલાની તદબીર મજબૂત હોય છે અને હમેશા તે માત્ર ભલી અને હિકમતવાળી જ હોય છે. )
(“ખુલાસએ તફસીર-મઆરિફુલ કુર્આન ઈદ્રીસી” ૧)
મુફિસ્સરે કુર્આન હઝરત ઈબ્ને અબ્બાસ (રદિયલ્લાહુ અન્હુ) યહૂદની તદબીર અને અલ્લાહ તઆલાની ગુપ્ત તદબીરનું વર્ણન આ પ્રમાણે ફરમાવે છે કે,
યહૂદીઓએ હઝરત ઈસા (અલયહિસ્સલામ)ના વિરુદ્ઘ જાતજાતના ષડયંત્રો બનાવ્યા, તેઓના બારામાં બાદશાહની કાનભંભેરણી કરી કે આ માણસ તો મઆઝલ્લાહ બેદીન છે, તૌરાતમાં ફેરફાર કરવા ઈચ્છે છે અને બધી પ્રજાને ધર્મથી ગુમરાહ કરવા ચાહે છે, તો બાદશાહે હઝરત ઈસા (અલૈ.)ને પકડવાનો હુકમ આપ્યો, જયારે તે લોકો બાદશાહના હુકમ મુજબ હઝરત ઈસા (અલૈ.)ને ગિરફતાર કરવા માટે ગયા તો અલ્લાહ તઆલાએ હઝરત ઈસા (અલૈ.)ની હિફાઝત અને બચાવની આ પ્રમાણે તદબીર ફરમાવી કે હઝરત ઈસા (અલૈ.)ના દુશ્મનોમાંથી જ એક માણસને આપનો હમશકલ (સમરૂપ) બનાવી દીધો અને અલ્લાહ તઆલાના હુકમથી હઝરત જિબ્રઈલ (અલૈ.) હઝરત ઈસા (અલૈ.)ને મકાનના વાતાયન (બારી)માંથી કાઢીને આસમાન પર લઈ ગયા અને આ રીતે અલ્લાહ તઆલાએ તેઓને આસમાન પર ઉઠાવી લીધા.
યહૂદીઓ હઝરત ઈસા (અલયહિસ્સલામ)ના તે સમરૂપને હઝરત ઈસા (અલયહિસ્સલામ) સમજીને પકડીને લઈ ગયા અને તેને હઝરત ઈસા (અલયહિસ્સલામ) સમજીને ફાંસી આપી અને હત્યા કરી અને ખૂશ થઈ ગયા.
આ રિવાયત હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.)થી સહીહ સનદથી નકલ છે.(“તફસીરે ઇબ્ને સીર”,“મઆરિફુલકુર્આન ઈદ્રીસી” ૧/૪૯૯)
લગભગ બધા જ વિશ્વાસપાત્ર તફસીરકારોએ આ આયતે કરીમહની આ જ પ્રમાણે તફસીર ફરમાવી છે, આ આયતની ઉકત તફસીરના વિરુદ્ઘ કોઈ બીજી તફસીર રજૂ કરવી શકય નથી, કારણકે યહૂદે હઝરત ઈસા (અલૈ.)ની હત્યાના ઘડેલા ષડયંત્રનો જયારે પણ ખુદાઈ તદબીરથી મુકાબલો થશે તો હત્યાના મુકાબલામાં હત્યા અને મવતથી રક્ષાણ અને મુક્તિને જ મૂકવામાં આવશે અને તેની સૂરત આપને આસમાન પર ઉઠાવી લેવાની જ છે અને જયારે (આ તફસીર અને તફસીલથી) આસમાન પર આપનું ઉઠાવી લેવું સાબિત થઈ ગયું તો (આસમાન પર આપનું હયાત હોવું અને) કિયામતના નજીક અવતરણ આપોઆપ સાબિત થઈ જાય છે. (“હુસૂલુલ્ અમાની”)
સાતમી આયત :
إِذْ قَالَ اللَّهُ يَا عِيسَى إِنِّي مُتَوَفِّيكَ وَرَافِعُكَ إِلَيَّ (سورۃ اٰل عمران،آیت:55)
અર્થ : જયારે અલ્લાહ તઆલાએ હઝરત ઈસા અલયહિસ્સલામથી (જ્યારે તેઓ બાદશાહ તરફથી ગિરફતારીના આદેશથી ચિંતિત અને પરેશાન થઈ ગયા તો) ફરમાવ્યું કે,
હે ઈસા (કંઈ ચિંતા ન કરો) નિ:શંક હું તમોને (પોતાના નિધર્ારિત સમય પર સામાન્ય અને સ્વભાવિક મવતથી) વફાત આપવાનો છું (જયારે તમારા માટે સામાન્ય અને સ્વભાવિક રીતે મવતનો ફેસલો થઈ ચૂકયો છે તો જાહેર છે કે તમારા આ દુશ્મનોના હાથે ફાંસીના માંચડે ચઢવાથી અને હત્યા પામવાથી તમો ખચિત સુરક્ષિાત રહેવાના છો.) અને (હાલ તુરત) હું તમોને પોતાના (ઉપરના આલમ) તરફ ઉઠાવી લઉં છું અને તમોને તે લોકો (ના આક્ષોપ)થી પાક કરવાનો છું જેઓ તમોને માનવાથી ઇન્કાર કરે છે અને જે લોકો તમારું કહેવું માને છે તેઓને કિયામત સુધી એવા લોકોની ઉપરવટ રાખીશ જેઓ તમોને માનવાથી ઇન્કાર કરે છે.
આયતે કરીમહમાં જે અરબી શબ્દ “મુતવફ્ફી” આવ્યો છે એ તેના મૂળ ક્રિયાપદ “તવફ્ફી”થી બનેલો છે અને “તવફ્ફી” શબ્દનો અર્થ અરબી ભાષાની દ્રિષ્ટએ કબ્જે કરવું, પકડવું, પૂરેપૂરું વસૂલ કરવું, લઈ લેવું, મવત આપવી અને સુવાડવાનો થાય છે.
મોટા ભાગના તફસીરકારોએ આ આયતમાં આવેલ શબ્દ“મુતવફ્ફી”ની તફસીર અને મતલબ હઝરત ઈસા (અલૈ.)ને રૂહ અને જિસ્મ, આત્મા અને શરીર સાથે પૂરેપૂરા આસમાન પર લઈ લેવાનો બયાન કર્યો છે એટલે કે અમો તમોને યહૂદીઓના હાથમાં સપડાવવા નહિ દઈએ; બલ્કે આપને પૂરેપૂરા લઈને આસમાન તરફ ઉઠાવી લઈશું.
અને અમુક તફસીરકારોએ “મુતવફ્ફી”નો અર્થ મવત આપવાથી કર્યો છે,જેમ કે ઉપર બયાનુલ કુર્આનના ખુલાસએ તફસીરમાં એ જ અર્થ કરવામાં આવ્યો છે અને એ જ તર્જુમો મુફિસ્સરે કુર્આન હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)થી સહીહ સનદો સાથે નકલ છે,પરંતુ એની સાથે આ વાત પણ નકલ છે કે આ આયતનો મતલબ આ છે કે યહૂદીઓ જયારે હઝરત ઈસા (અલૈ.)ની હત્યા પાછળ પડયા હતા તો આપના આશ્વાસન માટે હક તઆલાએ બે શબ્દો ફરમાવ્યા.
એક તો આ કે આપની મવત તેઓના હાથથી આપની હત્યા રૂપે નહિ થાય; બલ્કે આપની મવત સામાન્ય અને સ્વભાવિક રૂપમાં તેના નિધર્ારિત સમયે જ થશે,
બીજો આ શબ્દ કે તે વખતે તેઓના ઘેરામાંથી તમોને એ રીતે નજાત આપીશું કે તમોને પોતાની તરફ ઉઠાવી લઈશું અને આ જ તફસીર હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.)થી નકલ છે.
“તફસીરે દુર્રે મન્સૂર”માં છે કે હઝરત ઝહ્હાક હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.)થી નકલ કરે છે કે અલ્લાહ તઆલાના ફરમાન,
إِنِّي مُتَوَفِّيكَ وَرَافِعُكَ إِلَيَّ
નો મતલબ આ છે કે,
હું (પ્રથમ) તમોને પોતાની તરફ પૂરા ઉઠાવી લઈશ અને પછી આખરી ઝમાનામાં તમોને સામાન્ય અને સ્વભાવિક રૂપમાં મવત આપીશ. (“દુર્રે મન્સૂર” ર / ૩૬)
આ બીજી તફસીરનો ખુલાસો આ છે કે “તવફ્ફી”નો અર્થ મવત આપવાનો જ છે, પરંતુ આયતના શબ્દો (ખાસ હિકમતના કારણે) આગળ પાછળ કરવામાં આવ્યા છે, “રાફિઉક” (આસમાન પર ઉઠાવ)નું પ્રથમ અસ્તિત્વ થશે અને “મુતવફ્ફીક” (મવત)નું તે પછી અસ્તિત્વ થશે અને આ જગ્યાએ “મુતવફ્ફીક” ને “રાફિઉક”થી પહેલા વર્ણન કરવાની હિકમત અને મસલિહત તે પૂરી ઘટના તરફ ઈશારો કરવાની છે જે આગળ ઉપિસ્થત થવાની છે. (“મઆરિફુલ કુર્આન”ર ૭૪)
ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.