[૪] મચ્છર-માંખીને પૈદા કરવાની હિકમત

Chapter : અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા

(Page : 72 to 74)

[૪] મચ્છર-માંખીને પૈદા કરવાની હિકમત

સવાલ : અલ્લાહ તઆલાએ ઇન્સાનોના ફાયદા માટે દરેક વસ્તુ પૈદા કરી છે; પરંતુ મારી સમજમાં એ નથી આવતું કે મચ્છર, માંખી, માંકડ શું કામ પૈદા કરેલ છે ? જયારે કે આ વસ્તુઓથી માણસને પરેશાની સિવાય બીજું કંઈ હાસિલ થતું નથી. તો આ બારામાંઉલમાનો શું મત છે ?

જવાબ : ચાહે અમુક ચોકકસ પાસાઓ માનવ લાભના નજર સમક્ષા રાખીને વિચારીએ તો આપણને મજકૂર જાનવરોમાં કોઈ લાભ સમજમાં આવતો નથી, બલ્કે તે નુકસાન અને હાનિકર્તા જણાય અને સમજાય છે; પરંતુ અનેક પાસાઓ એવા પણ છેકે જેને નજર સમક્ષા રાખવાથી મજકૂર જાનવરોનુંમાનવ સમૂહ માટે લાભદાયી હોવુંસમજાય છે. ઘણી વખતે અલ્લાહ  તઆલા નાફરમાન માનવીઓની સજા માટે એવી મખ્લૂકને નિયુકત કરી આપે છે. જેમના સજામાં જકળાય જવાથી માનવ સમૂહમાં બદી વધતી રોકાય છે અને ઇન્સાન નેકી તરફ વળે છે-વળી ઘણા જાનવરો જે માનવી માટે અલ્લાહ તઆલાએ હલાલ ફરમાવ્યા છે,તે જાનવરો આવા હરામ અને નુકસાનકર્તા જાનવરોને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

                ઘણીવાર આવા સામાન્ય રીતે હાનિકારક જાનવરોથી અલ્લાહ તઆલા મનુષ્યની હિફાઝતનુંકામ પણ લે છે. સીરત અને હદીસની કિતાબોમા એવી ઘણી ઘટનાઓ છે કે આવી તુચ્છ ગણાતી મખ્લૂક ઈન્સાન માટે લાભદાયી અને ઉપયોગી સાબિત થઈ.

                હઝરત આસિમ બિન સાબિત (રદિ.)એ ગઝ્વએ ઉહુદમાં સુલાફહ બિન્તે સઈદના બે છોકરાઓને કતલ કર્યા હતા. માટે સુલાફાએ એવી મન્‍નત માની હતી કે આસિમની ખોપડીમાં શરાબ ભરીને પીશ અને સુલાફાએ એવું એલાન કયુઁ હતું કે જે આસિમનું માથું કાપીને લાવશે તેને ઈનામરૂપે સો ઊંટ આપીશ. બીજી તરફ હઝરત આસિમ (રદિ.)એ અલ્લાહ તઆલાથી એવી દુઆ કરી હતી કે :

                હે અલ્લાહ ¦હું તારા દીનની હિફાઝત કરી રહ્યો છું,તું મારા ગોશ્ત (શરીર)ની કાફિરોના હાથોથી હિફાઝત રમાવજે.

                હઝરત આસિમ (રદિ.) જયારે મકામે રજીઅની ઘટનામાં દુશ્મનોનાં હુમલાનો વળતો જવાબ આપતાં અને લડતા લડતા શહીદ થઈ ગયા તો સુલાફાએ જાહેર કરેલ ઈનામ લેવા ત્યાં વસતા કબીલાનું એક ટોળું તેમનું માથું લેવા તેમની લાશના સ્થળે રવાના થયું,તો અલ્લાહ તઆલાએ હખાડાળોનું એક લશ્કર તેમની લાશની હિફાઝત માટે મોકલી આપ્યું, હખાડાળોના આ ટોળાએ હઝરત આસિમ (રદિ.)ની લાશને ઘેરી લીધી અને માથુંલેવા આવેલ પેલું ટોળું તેમની લાશના નજીક ન આવી શકયું અને આ રીતે હઝરત આસિમ (રદિ.)ની લાશની હિફાઝત હખાડાળો વડે કરવામાં આવી અને તેમની દુઆ અલ્લાહ તઆલાએ કબૂલ ફરમાવી. (“સીરતુલ્ મુસ્તફા, સલ”. ભાગ-ર, “બુખારી શરીફ”, ભા-ર)

                અલ્લાહ તઆલા તવહીદ અને બીજા મસાઈલની સમજાવટમાં અન્ય વસ્તુઓની તુચ્છતાને જાહેર કરવા આવા જાનવરોને ઉદાહરણરૂપે બયાન ફરમાવે છે.

                                નહી હે ચીઝ નિકમ્મી કોઈ ઝમાનેમેં

                                કોઈ બુરા નહી કુદરત કે કારખાનેમેં. (“અલ્ મસાલિહુલ્ અકલિય્યહ” : ર૧૧,મઆરિફુલ્ કુર્આન” ૧ / ૧૭૩)

ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.