[૩] દરેક ભલી બુરી વસ્તુનો ખાલિક ખુદા તઆલા જ છે

Chapter : અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા

(Page : 71)

[૩] દરેક ભલી બુરી વસ્તુનો ખાલિક ખુદા તઆલા જ છે

સવાલ  :  આપણા મનમાં જે સારા વિચારો આવે છે તે અલ્લાહ પાક તરફથી આવે છે અને ખરાબ વિચારો આવે છે તે શયતાન તરફથી આવે છે સારું નરસું જે કંઈ પણ થાય છે તે બધું એક અલ્લાહ પાક તરફથી થાય છે, કોઈ માણસ જુગાર રમે, દારૂ પીએ, ચોરી કરે, મતલબ ખરાબ ગુનાહિત કામો કરે અને એક માણસ સારા નેકીના કામો કરે તો ખરાબ કામો કે ખરાબ વિચાર શયતાન તરફથી થાય છે અને સારા કામો અને સારા વિચાર અલ્લાહ તરફથી થાય છે એમ મારો દોસ્ત માને છે. હું કહું છું કે સારા-ખરાબ કામ કે વિચાર બધું જ એક અલ્લાહ પાક તરફથી થાય છે તો આ માટે ઇસ્લામ શું કહે છે ?

જવાબ : હકીકતમાં દરેક ખૈર અને શર (ભલા અને બુરા)ના પૈદા કરનાર તો અલ્લાહ તઆલા જ છે જેથી ભલા અને બુરા બન્નેવની એક સાથે નિસ્બત કરી આ પ્રમાણે તો કહી શકાય છે કે અલ્લાહ તઆલા બધી જ વસ્તુઓને પૈદા કરનાર છે જેમ કે કુર્આન શરીફમાં છે :

 قل کل من عند اللہ )سورۃ النساء آیت :۷۸)

                (આપ ફરમાવી દો કે સઘળું અલ્લાહના તરફથી જ છે.)

 اللہ خالق کل شیء (سورۃ الزمر آیت :۶۲)

                (અલ્લાહ જ દરેક વસ્તુનો સર્જનહાર છે.)

                પરંતુ ફકત બુરાઈની નિસ્બત અલ્લાહ તઆલા તરફ કરવામાં શાનેઈલાહીમાં બેઅદબી થાય છે માટે ફકત બુરા વિચારો અને કામોની નિસ્બત શયતાન તરફ કરવાનું કારણ એ છે કે શયતાન એવા વિચારો અને કામોમાં ઉશ્કેરણી રૂપ બને છે.   (શર્હે ફિકહે અકબર : ર૩ / પ૩)

Log in or Register to save this content for later.