[૧૬૪] હઝરત ઇમામ હુસૈન (રદિ.)ની શહાદત પર માતમ

Chapter : મુહર્રમ, આશુરહ તઅઝિયહ

(Page : 4230-431)

સવાલ : હઝરત હુસૈન (રદિ.)ના મૃત્યુ પર શોક (વિલાપ) કરવો કેવો છે ?

જવાબ : કરબલાની ઘટના અને હઝરત હુસૈન (રદિ.)ની શહાદતની યાદથી તબઈ તોર પર (સ્વભાવિક રીતે) આપમેળે સદમો અને રંજ થવો એ તો ઇમાનની અલામત છે. પરંતુ આજકાલ પ્રચલિત તરીકા મુજબ ખાસ દસમી મુહર્રમે જે માતમ અને શોક પ્રગટ કરવામાં આવે છે તે બિદઅત અને હરામ છે.

                હઝરત હુસૈન (રદિ.) અથવા બીજી કોઈ મૃત્યુ પામેલ બુઝુર્ગ હસ્તીને પુકારી પુકારીને છાતી પર હાથ મારવા એ ઇસ્લામ પુર્વે જાહિલિય્યત યુગનું અનુકરણ છે. હઝરત રસૂલુલ્લાહે (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) સાફ શબ્દોમાં એનાથી મનાઈ ફરમાવી છે. અને એ પ્રમાણે માતમ કરનાર માણસને પોતાની જમાઅતથી અલગ બતાવ્યો છે.

                હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ (રદિ.) નકલ કરે છે કે,               હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું,“તે માણસ અમારામાંથી નથી કે જે ગાલો પર થપ્પડો મારે અને         ગરેબાન ફાડે અને જાહિલિય્યતના લોકોની જેમ પુકારે.”                        (“બુખારી”, “મુસ્લિમ”)

                હઝરત અબૂ મૂસા (રદિ.) બેહોશ થઈ ગયા તો તેમની ઓરત ઉમ્મે અબ્દુલ્લાહ (રદિ.) ઊંચા અવાજે રડવા કકળવા લાગ્યા પછી જયારે તેઓ હોશમાં આવ્યા તો ઉમ્મે અબ્દુલ્લાહથી કહ્યું કે,

                શું તું રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન નથી જાણતી કે આપે ફરમાવ્યું કે, “હું તે માણસથી બેઝાર છું (મારો તેનાથી કોઈ સંબંધ નથી)જે મુસીબતના લઈ વાળ મુંડાવે અને જોર જોરથી રડે અને કપડાં ફાડે.”     (“બુખારી”, “મુસ્લિમ”)   (૩૦, ઝિલહજ, ૧૪૦૩ હિજરી)

Log in or Register to save this content for later.