Chapter : મુહર્રમ, આશુરહ તઅઝિયહ
(Page : 429-430)
સવાલ : મુહર્રમની નવમી અને દસમી તારીખે કયા કયા અમલ કરવા સહીહ છે અને કરવા જોઈએ ?
જવાબ :
૦ મુહર્રમની નવમી અને દસમી તારીખે રોઝહ રાખવો મુસ્તહબ છે અને
૦ દસમી તારીખે ઘરમાં બીજા દિવસો કરતાં સારું અને વધુ ખર્ચવાળું ખાવું પકાવીને બાલબચ્ચાંઓને ખવડાવવું એ પણ મુસ્તહબ છે અને
૦ ગરીબોને ખવડાવીને પોતાના મહર્ૂમોને ઈસાલે સવાબ કરવો એ પણ સવાબનું કામ છે.
પરંતુ ખાસ દસમી મુહર્રમે ખવડાવી ઈસાલે સવાબ કરવાની બીજા દિવસો કરતાં કોઈ વિશેષ ફઝીલત અને વધુ સવાબની માન્યતા ન રાખવી જોઈએ.
હદીસ શરીફમાં છે કે, “જે માણસ આશૂરાના દિવસે બાલબચ્ચાંઓને ખવડાવવામાં છૂટછાટ અને વધુ ખર્ચ કરશે તો અલ્લાહ તઆલા તે પૂરા વર્ષ દરમ્યાન તેની રોઝીમાં બરકત અને છૂટછાટ અતા ફરમાવશે.”હઝરત જાબિર (રદિ.) કહે છે કે,“મેં ચાલીસ વર્ષ સુધી આ મુસ્તહબનો અમલી અનુભવ કર્યો છે. કદી હું મજકૂર હદીસની ફઝીલતથી મહરૂમ રહ્યો નથી.” (“શામી” : ર / ૧૧૩)
Log in or Register to save this content for later.