Chapter : કઅ્બહ
(Page : 426-427)
સવાલ : કઅ્બહ શરીફ શું કોઈના ઇિસ્તકબાલ (સ્વાગત) માટે જઈ શકે છે ? સાંભળવામાં આવ્યું છે કે એક બુઝુર્ગના ઈિસ્તકબાલ (સ્વાગત)માં કઅ્બહ શરીફ ગયું હતું. ઘણા અલ્લાહવાળાએ જોયું કે કઅ્બહ શરીફ પોતાની જગ્યા પર નથી તો ખુદા તઆલાથી શિકાયત કરી તો આ હકીકત શું ખરી છે ?
જવાબ : અવલિયા અલ્લાહ માટે કરામતોનું સાબિત હોવું સત્ય અને હક છે માટે આદતથી વિરુદ્ઘ કઅબતુલ્લાહ કોઈ વલી બુઝુર્ગની ઝિયારત માટે જાય એ શકય છે. અને કોઈ મોઅતબર કિતાબમાં કોઈ વલી બુઝુર્ગના માટે કઅબતુલ્લાહનું ઝિયારત માટે જવું લખવામાં આવ્યું હોય તો તેને શકય માની શકાય છે. અને તેનો ઇન્કાર ન કરવો જોઈએ કારણ કે કરામતનો ઇન્કાર કરવો “મુઅતઝિલહ” ફિરકાનો મઝહબ છે.
والانصاف ما ذكره الامام النسفي حين سئل عما يحكى أن الكعبة كانت تزور واحدا من الاولياء، هل يجوز القول به فقال: نقض العادة على سبيل الكرامة لاهل الولاية جاز عند أهل السنة اھ۔۔۔۔۔۔ و عبارۃالنسفی فی عقائدہ و کرامات الاولیاء حق فتظھر الکرامۃ علی طریق نقض العادۃ للولی
અર્થ : અને આ મસ્અલહમાં ઇન્સાફની વાત ઇમામે નસફી (રહ.)નું બયાન છે કે, જયારે ઇમામે નસફી (રહ.)ને એ હિકાયત વિશે પૂછવામાં આવ્યું કે કઅબહ કોઈ વલીની ઝિયારતે જાય એવું માનવું જાઈઝ છે ?
તો આપ (રહ.)એ ફરમાવ્યું કે,
સામાન્ય આદત વિરુદ્ઘ વલીઓ માટે કરામતના તોર પર કોઈ કામ થવું, એ અહલે સુન્નતના મત મુજબ જાઈઝ છે. ઇમામે નસફી (રહ.)ની ઇબારત પોતાની અકાઈદની કિતાબમાં આ પ્રમાણે છે :
“વલીઓની કરામતો હકક છે.”
માટે વલીના હાથ પર આદત વિરુદ્ઘ કરામત ઝાહિર થાય છે.
و فی عدۃ الفتاویٰ الکعبۃ اذا رفعت عن مکانھا لزیارۃ اصحاب لاکرامۃ ففی تلک الحالۃ جازت صلاۃ المتوجھین الی ارضھا
અર્થ : અનેક ફતાવામાં છે કે જયારે કઅબહ સાહિબે કરામત વલીઓની ઝિયારત માટે પોતાની જગ્યાએથી ઉઠાવી લેવામાં આવે તે હાલત દરમિયાન કઅબહની જમીન તરફ મોઢું કરી નમાઝ પઢનારાઓની નમાઝ જાઈઝ ગણાશે.
Log in or Register to save this content for later.