Chapter : કઅ્બહ
(Page : 421-425)
સવાલ : એક ગેર મુસ્લિમ આ પ્રમાણે એક સવાલ રજૂ કરે છે કે અમે જે મૂર્તિઓને પૂજીએ છીએ તે પત્થરની છે અને તમારા મકકા શરીફમાં જે પત્થર છે તેની આજુબાજુ તમે નમાઝ પઢો છો, તવાફ કરો છો, હાલાં કે તે પણ પત્થર જ છે અને મુસ્લિમો મક્કહ્ના એક ખૂણામાં લાગેલા પત્થરને ચુંબન કરે છે, જેનાથી માલૂમ પડે છે કે મુસ્લિમો તે પત્થરની પૂજા કરે છે. તો બન્નેવમાં શું તફાવત છે તે સમજાવશો ?
જવાબ : સવાલમાં લખેલ પત્થર શબ્દથી સવાલ કરનારની મુરાદ હજરે અસ્વદ પણ હોય શકે છે અને ખાનએ કઅ્બહ્ પણ હોય શકે છે, જો તેની મુરાદ કઅ્બહ્ હોય તો પ્રથમ તો એ વાત સમજી લેવી જોઈએ કે તેનો આ સવાલ ઇસ્લામ ધર્મની અને ઇસ્લામી ઇબાદતોની પૂરી માહિતી અને જાણકારીથી વંચિત હોવાના કારણે ઉપિસ્થત થયો છે.
હકીમુલ ઉમ્મત હઝરત મૌલાના અશરફઅલી થાનવી (રહ.) આવા જ સવાલનો જવાબ આપતાં લખે છે કે,
અમે (કઅ્બહ્ તરફ મોઢું કરીને નમાઝ પઢતી વખતે) કઅ્બહ્ની પૂજા નથી કરતા. ઇબાદત તો અમે માત્ર અલ્લાહ તઆલાની જ કરીએ છીએ અને કઅ્બહ્ તરફ તો માત્ર મોઢું જ કરીએ છીએ અને આ હકીકતની અમારી પાસે ઘણી દલીલો છે.
(૧) અમો પોતે કઅ્બહ્ના પૂજય હોવાનો ઇન્કાર કરીએ છીએ અને જાહેર છે કે કોઈ પૂજારી પોતાના પૂજયના પૂજાપાત્ર હોવાનો અને પૂજય હોવાનો ઇન્કાર કરતો નથી.
(ર) અગર નમાઝ પઢતી વખતે કોઈ નમાઝીના દિલમાં કઅ્બહ્નો ખ્યાલ પણ ન આવે, પરંતુ તેનું મોઢું કઅ્બહ્ તરફ રહે તો નમાઝ દુરુસ્ત ગણાશે, માટે ઘણા લોકો એવા છે કે તેઓ મિસ્જદમાં આવીને નમાઝ શરૂ કરી દે છે અને નમાઝ (શરૂ કરતી વખતે કે પછી) તેઓને કઅ્બહ્નો થોડો ખ્યાલ અને વિચાર પણ આવતો નથી અને તેમની નમાઝ દુરૂસ્ત છે. જો અમે કઅ્બહ્ની ઈબાદત કરતા હોત તો કઅ્બહ્ (ના પૂજય હોવાના લઈ તેના તરફ ધ્યાન કેિન્દ્રત કરવા માટે નમાઝમાં તેની નિય્યત અને ઇરાદો કરવો ઇસ્લામ ધર્મના નિયમો મુજબ) શર્ત હોત, પરંતુ હકીકત એવી નથી.
(૩) અગર (કોઈ કારણસર) કોઈ સમય એવો આવે કે કઅ્બહ્ની ઇમારતનું અસ્તિત્વ ન રહે તો પણ નમાઝ તો ફર્ઝ અને બાકી જ રહેશે અને તે જગ્યા તરફ મોઢું કરવામાં આવશે જયાં કઅ્બહ્ની ઇમારત હાલ મવજૂદ છે, આ હકીકતથી બિલકુલ સ્પષ્ટ થાય છે કે મુસ્લિમો કઅ્બહ્ના પત્થરોને નથી પૂજતા નહિ તો તે (પત્થરોની ઇમારતનું અથવા) પત્થરોનું અસ્તિત્વ ન રહેવાની સૂરતમાં નમાઝનો હુકમ બાકી જ ન રહેતે (કારણ કે જયારે પૂજય પથ્થર ખોવાઈ ગયા તો હવે પૂજા કોની ?)
(૪) અગર કોઈ માણસ કઅ્બહ્ના ધાબા ઉપર નમાઝ પઢે તો તેની નમાઝ દુરૂસ્ત છે, જો કઅ્બહ્ મુસલમાનોનો મઅબૂદ (પૂજય) હોત તો તેની ઉપર ચઢીને નમાઝ પઢવી દુરુસ્ત ન ગણાત, કારણ કે ધાબા ઉપર ચઢીને નમાઝ પઢવાની સૂરતમાં કઅ્બહ્ તેની સામે (પૂજય તરીકે) નહિ રહે. વળી પૂજય (મઅબૂદ)ની ઉપર ચઢવું એ તો મઅબૂદનું (ખુલ્લું) અપમાન છે. (જો કઅ્બહ્ પૂજય હોત તો) તેની ઉપર ચઢીને નમાઝ પઢવાની હાલતમાં નમાઝ સદંતર દુરુસ્ત ન થવી જોઈએ, પરંતુ ફિકહ શાસ્ત્રીઓએ ચોખવટ કરી છે કે કઅ્બહ્ના ધાબા ઉપર ચઢીને પઢેલી નમાઝ પણ દુરુસ્ત છે, તો શું પૂજારીઓ પોતાના પૂજય ઉપર પણ ચઢાણ કરતા હોય છે ? (“અશ્રફુલ જવાબ” ભાગ : ૧)
(પ) વળી કોઈ માણસ આબાદીથી બહાર સવારી ઉપર બેસીને રુકૂઅ- સજદહના ઇશારાથી સુન્નત અથવા નફલ નમાઝ પઢવા ચાહે તો પઢી શકે છે અને આ હાલતમાં નમાઝ પઢતી વખતે કઅ્બહ તરફ મોઢું કરવુંજરૂરી નથી, બલ્કે જે તરફ સવારીને જવાનો રસ્તો હોય તે દિશા તરફ મોઢું કરીને ચાલુ સવારી ઉપર પણ નમાઝ પઢી શકે છે, ચાહે સવારીને જવાની દિશા કઅ્બહની દિશા સિવાય અન્ય કોઈ હોય અને મકકહ મુકર્રમહથી બહાર વસતા લોકો માટે ફર્ઝ નમાઝમાં ખાસ કઅ્બહ તરફ મોઢું કરવું જરૂરી નથી, બલ્કે કઅ્બહની દિશા તરફ મોઢું કરવું જરૂરી છે, જો કઅ્બહની જ ઇબાદત કરવામાં આવતી હોત તો ગમે તે પ્રકારની નમાઝમાં કઅ્બહ તરફ મોઢું કરવું જરૂરી હોત.
(૬) ઇસ્લામના આરંભકાળમાં કઅ્બહના બૈતુલ્લાહ હોવાના લઈ દિલોમાં અઝમત હોવા છતાં નમાઝમાં બૈતુલ મુકદ્દસ તરફ મોઢું કરવાનો હુકમ હતો. એક ખાસ મુદ્દત વીત્યા પછી કઅ્બહ તરફ મોઢું કરવાનો હુકમ નાઝિલ થયો. જો કઅ્બહ જ ખરેખર પૂજય હોત તો શરૂ ઇસ્લામમાં તેનાથી મોઢું ફેરવીને બૈતુલ મુકદ્દસ તરફ મોઢું કરી નમાઝ ન પઢવામાં આવતે.
(૭) તવાફ એ કઅ્બહની નઝદીક રહીને કઅ્બહની આસપાસ ફરવાની ઇબાદત છે, અને તવાફ કરતી વખતે કઅ્બહ તરફ નજર કરવાની મનાઈ છે અને તે ગુનાહિત કૃત્ય ગણાય છે. જો તવાફની ઇબાદતમાં કઅ્બહ જ ખરેખર પૂજય હોત તો તવાફ (કઅ્બહની ફરતે ચકકર લગાવતી) વખતે કઅ્બહને જોવાની મનાઈ ન હોત, બલ્કે પૂજય હોવાથી તેની તરફ ધ્યાન કેિન્દ્રત કરવા તેની તરફ નજર રાખવાનો હુકમ હોત.
(૮) આ એક જાણીતી હકીકત છે કે ઇસ્લામમાં માણસના શરીરની જમણી બાજુ અને જમણા અંગો ડાબી બાજુ અને ડાબા અંગો કરતાં અફઝલ અને ઉત્તમ ગણાય છે. સારા અને ઇચ્છનીય કામોમાં જમણી બાજુ અને જમણા અંગોનો ઉપયોગ કરવામાં આવે છે. જો તવાફ એ કઅ્બહની ઇબાદત હોત તો સ્વભાવિક રીતે તવાફમાં કઅ્બહ તરફ જમણી બાજુ અને જમણો ખભો રાખવામાં આવત, હાલાંકે તવાફમાં કઅ્બહ તરફ ડાબી બાજુ અને ડાબો ખભો રાખવામાં આવે છે, અને આ હકીકત પણ એ વાતની નિશાની છે કે તવાફ એ કઅ્બહની ઇબાદત નથી.
રહી વાત હજરે અસ્વદને ચુંબન કરવાની તો મજકૂર પથ્થરના ચુંબનને તેની પૂજા અને ઇબાદતની નિશાની સમજવી એ ગલત છે, કારણકે મુસ્લિમો હજરે અસ્વદની ઇબાદત રૂપે તેને ચુંબન નથી કરતાં બલ્કે તેનાથી મુહબ્બતના કારણે તેને ચુંબન કરે છે અને કોઈ વસ્તુનું ચુંબન માત્ર ઇબાદત રૂપે જ નથી હોતું બલ્કે મુહબ્બતના આધારે પણ હોય છે, જેમકે, માણસ મુહબ્બત રૂપે પોતાની નાની અવલાદને અને પત્નીને ચુંબન કરે છે. જો ચુંબનને ઇબાદતની દલીલ માનવામાં આવે તો એ પણ માનવું પડશે કે માણસ ચુંબન કરી પોતાની અવલાદ અને પત્નીની ઇબાદત અને પૂજા કરે છે, હાલાં કે કોઈ સામાન્ય અકકલવાળો માણસ પણ અવલાદ અને પત્નીના ચુંબનને ઇબાદત રૂપે હોવાનો સ્વીકાર નહિ કરે.
હઝરત ઉમર (રદિ.) એકવાર તવાફ કરી રહ્યા હતા તો ગામડાના અમુક લોકો ત્યાં હાજર હતા. જયારે હઝરત ઉમર (રદિ.)એ હજરે અસ્વદના ચુંબનનો ઇરાદો કર્યો તો હજરે અસ્વદ પાસે થોડીવાર થોભ્યા અને ફરમાવ્યું કે,
“હું સારી પેઠે જાણું છું કે તું એક પથ્થર છે, તું અમોને ન તો કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન કોઈ લાભ આપી શકે છે. જો મેં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને તારું ચુંબન કરતાં ન જોયા હોત તો હું કદી તને ચુંબન ન કરત.”
“મુસન્નફ ઇબ્ને અબી શય્બહ”માં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી પણ હજરે અસ્વદને આવું સંબોધન કરવું નકલ છે અને હઝરત અબૂબક્ર (રદિ.)થી પણ હઝરત ઉમર (રદિ.)ની જેમ હજરે અસ્વદને સંબોધન કરવું નકલ છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ), હઝરત અબૂબક્ર (રદિ.) અને હઝરત ઉમર (રદિ.)ના હજરે અસ્વદને કરેલા આ સંબોધનોથી એ વાત જાહેર થઈ ગઈ કે મુસ્લિમો હજરે અસ્વદને પૂજય નથી સમજતા અને તેને પૂજય સમજીને ચુંબન નથી કરતાં, પૂજય તો તે જાતે આલી જ છે કે જે નફા-નુકસાનની માલિક છે. (“અશરફુલ્ જવાબ” : ૧, “ઝુબ્દતુલ્ મનાસિક” : ૧)
Log in or Register to save this content for later.