[૧૩૦] અમુક કામોનો સવાબ મૃત્યુ પછી પણ વધે છે

Chapter : નેકી-બદી, જઝા-સઝા, હિસાબ-કિતાબ

(Page : 369 to 371)

 [૧૩૦] અમુક કામોનો સવાબ મૃત્યુ પછી પણ વધે છે

સવાલ : મારી વાલિદહની ઇચ્છા છે કે જીવતા-જીવંત ઝિંદગી હોય ત્યાં સુધી કોઈ એવું કાર્ય કરી જાઉં જેથી મર્યા બાદ કબ્રમાં પણ બલ્કે આખિરતમાં પણ એનો અજ્ર અને સવાબ રૂહ મુબારકને પહોંચતો રહે.

                મેં એમને સમજાવ્યા કે કુર્આન શરીફની હરરોજ તિલાવત કરવી, કોમની મદદ કરવી, પાંચે વખતની નમાઝ પઢવી, ગરીબોનો હક છીનવો નહિ, દીનના તમામ કામોમાં મદદ કરવી, વગેરે.

                છતાં આપના તરફથી આ અંગે વિગતવાર જવાબ મળશે તો એ અંગેનો પત્ર હું મારી વાલિદહને વંચાવીશ. જેથી એ અંગે એમને સંપૂર્ણ સંતોષ થાય.

જવાબ : મુસલમાનના આ”માલ બે પ્રકારના છે.

                એક પ્રકાર એવા અમલનો છે કે માણસ જયાં સુધી હયાત રહે ત્યાં સુધી તે અમલ કરી શકે છે અને તે અમલનો ફાયદો બાકી રહે છે. જયારે તેની વફાત થઈ જાય તો હવે તે અમલ બંધ થઈ જાય અને હવે અમલમાં, સવાબમાં કોઈ વધારો થતો નથી અને તેનો કોઈ નવો સવાબ લખવામાં આવતો નથી. જેમ કે : નમાઝ, ઝકાત, રોઝહ અને તિલાવત વગેરે, એ જ પ્રકારના આ”માલ છે.

                બીજો પ્રકાર એવા અમલનો છે કે માણસની વફાત પછી પણ તે અમલ બાકી રહે છે અને તેની વફાત પછી પણ તે અમલ દ્વારા સવાબમાં વધારો થતો રહે છે અને નવો નવો સવાબ લખાતો રહે છે, જેમકે: માણસ કોઈ વકફ કામ કરી જાય એટલે કે મિસ્જદ, મદ્રસો, પાણીનો કૂવો બનાવી જાય તો જયાં સુધી તે વકફ બાકી રહેશે અને લોકો તે વકફના હેતુના મુતાબિક તેનો ઉપયોગ કરતા રહેશે, વકફ કરનારને તેની હયાતીમાં અને તેની વફાત પછી પણ તેનો નવો નવો અને વધુને વધુ સવાબ તેને મળતો રહેશે.

                એવી જ રીતે કોઈ માણસ દીની ઇલ્મ પોતે કોઈને શિખવાડીને અથવા કોઈ કિતાબ લખીને અથવા છપાવીને પોતાની પાછળ કોઈ એવો દીની ઈલ્મ મૂકતો જાય જેનાથી લોકો લાભ ઉઠાવતા રહે તો  તે ઇલ્મ દ્વારા તેની વફાત પછી પણ તેને સવાબ મળતો રહેશે.

                એ જ પ્રમાણે પોતાની પાછળ એવી નેક અવલાદ છોડીને મરે, જે અવલાદ તેના મરણ પછી તેના માટે ભલી દુઆઓ કરતી રહે તો તેઓના નેક અમલ અને દુઆથી તેને તેની વફાત પછી પણ  ફાયદો પહોંચતો રહેશે અને તેના સવાબમાં વધારો થતો રહેશે.

                સહીહ મુસ્લિમ શરીફમાં છે કે :     હઝરત અબૂ હુરૈરહ રદિયલ્લાહુ અન્હુથી હદીસ નકલ કરવામાં આવી છે કે : હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું કે: “જયારે માણસ મરી જાય છે તો તેનો અમલ બંધ થઈ જાય છે                 સિવાય ત્રણ વસ્તુઓના એટલે કે સદકએ જારિય્યહ અને લાભકર્તા ઇલ્મ અને નેક અવલાદ, જે તેના માટે દુઆ કરતી રહે.”

                ઉપરોકત વિગત મુજબ તમારી વાલિદહ યથાશિકત ગમે તે સદકએ જારિય્યહનું કામ અથવા ઇલ્મે દીનને લગતું કામ કરી પોતાની ઇચ્છા પૂરી શકે છે.                                           [“મિરકાત” : ૧ / ર૬૮] Log in or Register to save this content for later.