[૧ર૮] ગૈર મુસ્લિમના બાકી દેવાથી મુસ્લિમને આખિરતમાં સજા

Chapter : નેકી-બદી, જઝા-સઝા, હિસાબ-કિતાબ

(Page : 365 to 366)

 [૧ર૮] ગૈર મુસ્લિમના બાકી દેવાથી મુસ્લિમને આખિરતમાં સજા

સવાલ : એક મુસલમાનના શિરે એક ગૈર મુસ્લિમનું દેવું છે, તે દેવું ચૂકવતાં પહેલાં દેવાદાર મુસલમાનનો ઇિન્તકાલ થઈ ગયો અને આ દેવા વિશે મરનાર મુસ્લિમના કુટુંબના કોઈ પણ માણસને કોઈ જાણ નથી, ફકત લેણદાર ગૈર મુસ્લિમને જ આ દેવાની ખબર છે. જો ગૈર મુસ્લિમનું આ દેવું ન ચૂકવવામાં આવે તો મરનારના શિરે કોઈ ગુનાહ બાકી રહેશે ખરો ? અને શું ગૈર મુસ્લિમના દેવા બદલ મુસલમાનને મૃત્યુ બાદ સજા થાય ખરી ? આખિરતમાં ગૈર મુસ્લિમને આ દેવાનો બદલો મળી શકે ખરો  ?

જવાબ : જો ગૈર મુસ્લિમનું દેવું મુસલમાનના શિરે ખરેખર બાકી હોય અને ગૈર મુસ્લિમના આ બાબત સાચા હોવાનો સંતોષ હોય તો મરનાર મુસલમાન ઉપર ગૈર મુસ્લિમનું જેટલું દેવું હોય તે મરનાર, દેવાદાર મુસલમાનના વારસદારોએ મરનારે છોડેલા માલમાંથી ગૈર મુસ્લિમને આપી દેવું જોઈએ.

                “શર્હે ફિકહે અકબર”માં છે કે :     જો કોઈ ગૈર મુસ્લિમનો હક મુસલમાનના શિરે બાકી હશે તો કિયામતના દિવસે તે બદલ મુસલમાનને સજા ભોગવવી પડશે અને મુસલમાન કરતાં ગૈર મુસ્લિમનો બાકી રહેલો  હક વધારે સખ્ત છે,કારણ કે આખિરતમાં સલમાનથી માફીની આશા રાખી શકાય જયારે ગૈર મુસ્લિમથી માફીની આશા પણ ન રાખી શકાય.     [“શર્હે ફિકહે અકબર” : ર૩૬]

                સહીહ હદીસ શરીફમાં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે :              “કિયામતના દિવસે હકદારોના હકકો અદા કરવામાં આવશે. અહીયા                 સુધી કે િશગડાં વગરની બકરીને િશગડાવાળી બકરીથી (તેને તકલીફ પહોંચાડવાનો) બદલો અપાવવામાં આવશે.”

                (આ હદીસમાં વપરાયેલ શબ્દ હકદારોમાં મુસ્લિમ, ગૈર મુસ્લિમ બધા જ પ્રકારના લોકો શામિલ છે.)       [“મુસ્લિમ શરીફ” : ર / ૩ર૦]

                બીજી એક હદીસમાં છે કે : “અહીયા સુધી કે એક કણને બીજા કણથી બદલો અપાવવામાં આવશે.” [“મુસામરહ” : ૮૪]

                “દુર્રે મુખ્તાર” સહ “શામી”માં છે કે : “જાનવર ઉપર ઝુલ્મ એ ઝિમ્મી ગૈર મુસ્લિમ ઉપર ઝુલ્મ કરવાથી વધુ સખ્ત સજા લાયક છે, કારણ કે અલ્લાહ તઆલા સિવાય તેનો કોઈ મદદગાર નથી .”અને હદીસ શરીફમાં છે કે :“અલ્લાહ તઆલાનો ગઝબ એવા માણસ ઉપર ઘણો સખ્ત હોય છે      જે એવી (લાચાર) ઝાત ઉપર ઝુલ્મ કરે જેનો અલ્લાહ તઆલા

સિવાય કોઈ મદદગાર ન હોય અને ઝિમ્મી ગૈર મુસ્લિમ ઉપર ઝુલ્મ એ કોઈ મુસલમાન ઉપર ઝુલ્મ કરવાથી વધુ સખ્ત સજા લાયક છે, કારણ કે ગૈર મુસ્લિમ તેના ઉપર ઝુલ્મ કરનાર વિરુદ્ઘ સજાની સખ્ત માંગણી કરશે, તાકે તેની સાથે અઝાબમાં શરીક રહે અને ગૈર મુસ્લિમના કુફ્ર સિવાય બીજા ગુનાહો તેના ઝાલિમ   ઉપર નાંખી શકાશે અને તે ગુનાહોના કારણે કાફિરના બદલે મુસલમાનને અઝાબ થઈ શકે છે.                     [“શામી” : પ / રપ૭, “મિકર્ાત” : ૬ / ૩પ૦] Log in or Register to save this content for later.