Chapter : નેકી-બદી, જઝા-સઝા, હિસાબ-કિતાબ
(Page : 363 to 364)
[૧ર૭] કબ્રના સવાલ-જવાબ પછી આખિરતમાં હિસાબ-કિતાબ શા માટે ?
સવાલ : “બુખારી શરીફ”, “મુસ્લિમ શરીફ”માં છે કે : મુસ્લિમ મુરદાને કબ્રમાં સવાર-સાંજ દોઝખ અથવા જન્નત બતાવવામાં આવેછે. જો તે મિય્યત જન્નતી હશે તો જન્નત બતાવવામાં આવશે, જો તે મિય્યત દોઝખી હશે તો દોઝખ બતાવવામાં આવશે. તો પછી કિયામત આવશે, હિસાબ આપવો પડશે. આ બધું કેવું ? ચુકાદો તો અપાઈ ગયો છે. જન્નતીને જન્નતનો, દોઝખીને દોઝખનો, પછી કિયામતમાં હિસાબ-કિતાબની શી જરૂર રહે છે ?
જવાબ : પ્રથમ તો કુર્આન અને હદીસ શરીફથી એ વાત સાબિત નથી કે જે સવાલો કબ્રમાં થાય છે તે જ સવાલો આખિરતમાં હિસાબ-કિતાબના દિવસે પણ થવાના છે. બલ્કે હદીસ શરીફથી સાબિત થાય છે કે કબ્રમાં તો અમુક ચોકકસ સવાલો થવાના છે. રબ્બ, દીન અને હઝરત નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ બાબત અને આખિરતમાં અનેક અમલો, નેકીઓ અને બદીઓ વિશે સવાલો થશે.
વળી કબ્રની ઝિંદગી જેને આપણે આલમે બરઝખથી ઓળખીએ છીએ, તે એક અલગ ઝિંદગી છે અને આખિરતની ઝિંદગી જેને આપણે આલમે આખિરતથી ઓળખીએ છીએ તે અલગ ઝિંદગી છે. માટે કબ્રની રાહત કે અઝાબ માટે અમુક ચોકકસ સવાલોથી મોમિન કે કાફિર મુનાફિક હોવાનો ફેંસલો કરવામાં આવશે અને આખિરતની જન્નતની રાહત કે દોઝખના અઝાબ વિશે મેદાને મહશરમાં ફરી હિસાબ કિતાબ થશે. જેમ કોઈ વ્યિકત અનેક દેશોનો સફર કરે તો દરેક દેશના કાયદા-કાનૂન મુજબ તેની પૂછપરછ અલગ-અલગ સ્થળે અને વારંવાર થાય છે- એવી જ રીતે દુનિયામાં આપણે જોઈએ છીએ કે એક જ કેસ-કઝિયો (અને તે પણ એક જ વ્યિકતનો) વારા ફરતી જિલ્લા કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ બધે જ ચલાવાય છે અને ત્યાં આપણને શંકા કેમ નથી થતી કે નીચલી કોર્ટમાં ફેંસલો કાયદેસર થઈ ચૂકયો છે હવે ફરી શા માટે કેસ ચલાવાય રહ્યો છે ? એવી જ રીતે કોઈ એક વ્યિકતનું કોઈ કામ માટેનું ઇન્ટરવ્યુ કે ઇન્કવાયરી અનેક જગ્યાએ, અનેક વ્યિકતઓ કરે છે.
માટે કબ્રની ઝિંદગીમાં સવાલ જવાબથી મોમિન અથવા કાફિર કે મુનાફિક હોવાનો ફેંસલો થઈ ગયા બાદ આખિરતમાં ફરી હિસાબ કિતાબ થવો એ કુર્આન-હદીસથી સાબિત છે અને તેની હિકમત-ભેદ અલ્લાહ તઆલા જ જાણેછે. એટલે આપણા માટે વગર કોઈ શંકાએ તે મુજબ અકીદો રાખવો ફર્ઝ અને જરૂરી છે. [“શર્હે અકાઈદ” : ૭૬ / ૮૦, “શર્હે ફિકહે અકબર” : ૧૧ર, ૧૧૮] Log in or Register to save this content for later.