Chapter : નેકી-બદી, જઝા-સઝા, હિસાબ-કિતાબ
(Page : 362 to 363)
[૧ર૬] સીવણકામ ઉપર સવાબ મળશે
સવાલ : જે દરજી શરીઅતના મુતાબિક કપડાં સીવે તેને આ કામ ઉપર આખિરતમાં સવાબ મળે કે નહિ ?
જવાબ : કપડાં સીવનાર ટેલર કે બીજું કોઈ પણ જાઈઝ કામ કરનાર વ્યિકત જો એ નિય્યતે કામ કરશે કે આ કામ વડે ઇબાદતના સાધનો પ્રાપ્ત થવાથી પોતે અને બીજા લોકો અલ્લાહ તઆલાની ઇબાદત માટે શિકતમાન બને અને સરળતા પામે અને નેક કામો માટેના સાધનો પોતાને અને બીજાઓને મળી રહે તો સિલાઈ કામ, ખાવા, પીવા, સૂવા અને માલ કમાવવા જેવા જાઈઝ કામો કરવાથી પણ તેમને આખિરતમાં સવાબ મળશે. એ નિય્યતે સિલાઈ કામ કરે કે મને હલાલ રોઝી મળે તો હું બીજાથી સવાલ કર્યા વિના પોતાની મહેનતથી આત્મનિર્ભર બની શાંતિથી અલ્લાહ તઆલાની ઇબાદત કરી શકું અને લોકો માટે સતર છુપાવવાના ફર્ઝના સાધનો તૈયાર કરી શકું તો સિલાઈકામ ઉપર પણ સવાબ મળી શકે છે.
શૈખ ઇબ્ને નુજૈમ (રહ.) લખે છે કે : મુબાહ અને જાઈઝ કામોમાં નેકીઓની તાકાત પ્રાપ્ત કરવાની અને તેના વડે નેકીઓ સુધી પહોંચવાની નિય્યત કરવામાં આવે તો તે કામો ઇબાદત ગણાશે, જેમ કે : ખાવું, સૂવું, માલ કમાવવો અને પત્ની સાથે શારિરીક સંબંધ કરવો. [“અશ્બાહ” : ૪ર] Log in or Register to save this content for later.