[પ] રામ-રહીમને સમાન સમજવા

Chapter : અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા

(Page : 74)

[પ] રામ-રહીમને સમાન સમજવા

સવાલ  :  હમારા એક સગા બિદઅતી ખ્યાલના છે. તબ્લીગી કામના સખ્ત વિરોધી છે. જમાઅતવાળાઓની બુરાઈ કરવામાં કંઈક બાકી નથી રાખતા. તેમની ગવર્નમેન્ટ નોકરી છે. તેમણે એક દુકાન લીધી છે તેનું “નામ રામ-રહીમ સહકારી મંડળી” રાખ્યું છે. તેમણે દુકાનનો હિસાબ-એકાઉન્ટનું કામ કરવા મને કહેલ છે. હવે તેઓ આ અકીદો ધરાવે છે કે રામ-રહીમ એક છે. એવા ઇસ્લામી મામાઝાદ ભાઈની દુકાનનું કામ કરી પગાર લેવો જાઈઝ છે કે કેમ?ગેર ઇસ્લામી અકાઈદવાળા સાથે સગાઈ સંબંધ રાખી શકાય કે નહી ?

જવાબ : ઘણા લોકો અજ્ઞાનતાથી એમ સમજે છે કે રામ-રહીમ એક જ છે. પરંતુ એ માન્યતા દુરુસ્ત નથી કારણ કે ગેર મુસ્લિમોની માન્યતા મુજબ પણ રામ મા-બાપના પેટથી જન્મ લેનાર મખ્લૂકમાંથી એક માણસ છે જયારે અલ્લાહ તઆલા તો સઘળી સૃષ્ટિનો ખાલિક અને સર્જનહાર છે અને “લમ્ યલિદ્ વ લમ્ યૂલદ” કોઈને જન્મ આપનાર અને કોઈથી જન્મ પામનાર નથી, માટે તમારા સગાને આ પ્રમાણે સમજુત કરવા જોઈએ. દુકાનનું આવું ગલત નામ રાખવાથી તેનો હિસાબ રાખવાની નોકરી કરવી નાજાઈઝ નહી ઠરે.

Log in or Register to save this content for later.