Chapter : હઝરાતે અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ)
(Page : 167)
સવાલ : શું ઓરતો નબી બની શકે છે ? અત્યાર સુધી કોઈ ઓરત નબી થયા [૬૦] ઓરત નુ નબી હોવુંછે ?
જવાબ : જમ્હૂર ઉલમાએ ઉમ્મતનું મંતવ્ય આ છે કે ઓરત નબી હોઈ શકતી નથી અને અમ્બિયા અલયહિમુસ્સલામમાં અત્યાર સુધી કોઈ ઓરત નબી થઈ નથી.
અલ્લામહ બયઝાવી (રહિમહુલ્લાહ)એ તો આ મસ્અલહમાં ઉમ્મતનો ઈજમાઅ નકલ ફરમાવ્યો છે.
અકીદાની એક મન્ઝૂમ કિતાબમાં છે કે :
“વ મા કાનત્ નબિય્યન્ કત્તુ ઉન્સા-
વ લા અબ્દુવં વ શખ્સુન્ ઝૂ ઇફ્તિઆલ”
અર્થ આ છે કે:
કદી કોઈ ઓરત નબી થઈ નથી. અને ન કોઈ ગુલામ અને અધૂરો માણસ નબી થયો છે.[“નુખ્બતુલ્ લઆલી”: ૪]
અમુક લોકોએ હઝરત મરયમ અલયહસ્સલામને નબી કહ્યા છે, પરંતુ કુર્આન-હદીસ વગેરેની દલીલોથી આ મંતવ્યને રદ કરવામાં આવ્યું છે. આ મસ્અલો “મુસામરહ” : ૯પ , “નિબરાસ” : ૭૯ ઉપર પણ મવજૂદ છે.
Log in or Register to save this content for later.